Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mehul Choksi: દુનિયાને ઉલ્લુ બનાવી રહ્યો છે મેહુલ ચોકસી, બેલ્જિયમે ખોલ્યા રાજ

પંજાબ નેશનલ બેંક લોન કૌભાંડનો મુખ્ય આરોપી મેહુલ ચોક્સી હાલ બેલ્જિયમમાં રહે છે. બેલ્જિયમ સરકાર પણ આ વાત જાણે છે.
mehul choksi  દુનિયાને ઉલ્લુ બનાવી રહ્યો છે મેહુલ ચોકસી  બેલ્જિયમે ખોલ્યા રાજ
Advertisement
  • ભાગેડુ મેહુલ ચોક્સી હાલમાં બેલ્જિયમમાં છે
  • યુરોપના બેલ્જિયમે આ વાતની પુષ્ટિ કરી
  • ભારતીય અધિકારીઓએ બેલ્જિયન સમકક્ષોનો સંપર્ક કર્યો

Mehul Choksi: પંજાબ નેશનલ બેંક લોન ફ્રોડ કેસમાં ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સી હાલમાં બેલ્જિયમમાં છે. યુરોપના બેલ્જિયમે આ વાતની પુષ્ટિ કરી છે. બેલ્જિયમના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તેઓ તેમના દેશમાં મેહુલ ચોકસીની હાજરીથી વાકેફ છે અને આ સમગ્ર મામલામાં નજર રાખી રહ્યા છે.  જોકે, બેલ્જિયમે એમ પણ કહ્યું છે કે તેઓ કોઈપણ વ્યક્તિગત બાબતો પર ટિપ્પણી કરતા નથી. હવે ભારતીય અધિકારીઓએ મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરવા માટે તેમના બેલ્જિયન સમકક્ષોનો સંપર્ક કર્યો છે.

65 વર્ષીય ચોક્સી અને તેના ભાણીયા નીરવ મોદી 13,500 કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક લોન ફ્રોડ કેસમાં આરોપી છે. બંને લાંબા સમયથી દેશની બહાર છે. ચોક્સી તેની પત્ની પ્રીતિ સાથે એન્ટવર્પમાં રહે છે. પ્રીતિ ચોક્સી પાસે બેલ્જિયમની નાગરિકતા છે. ઘણા અહેવાલોમાં એ વાત સામે આવી છે કે ચોક્સી પાસે ‘એફ રેસિડેન્સી કાર્ડ’ છે. તે સારવાર માટે એન્ટિગુઆ અને બાર્બુડાથી બેલ્જિયમ આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો :  UP : 'એક પર એક ફ્રી', નોઈડામાં દારુની દુકાનો પર લાગી લાંબી કતારો

Advertisement

એન્ટિગુઆના વિદેશ મંત્રીએ અપડેટ આપ્યું

મેહુલ હજુ પણ એન્ટિગુઆ અને બાર્બુડાનું નાગરિકત્વ ધરાવે છે. આ કેરેબિયન દેશના વિદેશ પ્રધાન તાજેતરમાં રાયસીના સંવાદમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા. ત્યારે તેમણે કહ્યું કે મેહુલ હાલમાં એન્ટિગુઆમાં નથી. તે પોતાની સારવાર માટે દેશની બહાર ગયો છે.

મેહુલ 2018માં ભારતથી ભાગી ગયો હતો

મેહુલ ચોક્સી જાન્યુઆરી 2018માં તેના ભાણીયા નીરવ મોદી સાથે ભારતથી ભાગી ગયો હતો. પંજાબ નેશનલ બેંકમાં લોન છેતરપિંડીનો મામલો સામે આવે તે પહેલા જ બંનેએ દેશ છોડી દીધો હતો. આ ભારતનું બીજું સૌથી મોટું બેંક કૌભાંડ હતું. આ છેતરપિંડીનો મામલો સામે આવ્યાના બે મહિના પહેલા મેહુલે એન્ટિગુઆની નાગરિકતા લીધી હતી. વર્ષ 2021માં જ્યારે તે ક્યુબા જઈ રહ્યો હતો ત્યારે ડોમિનિકામાં પકડાયો હતો. આ પછી મેહુલે કહ્યું હતું કે રાજકીય ષડયંત્રના કારણે તેની વિરુદ્ધ આ કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે. તેણે એમ પણ કહ્યું હતું કે EDએ ભારતમાં તેની મિલકતો ગેરકાયદેસર રીતે જપ્ત કરી છે.

આ પણ વાંચો :  Kunal Kamra સામે નોંધાઈ FIR, એકનાથ શિંદે પર કરી હતી વિવાદિત ટિપ્પણી

Tags :
Advertisement

.

×