ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mock Drill: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રાલયે કેટલાક રાજ્યોને કર્યા મોટો આદેશ

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે મોટા સમાચાર 7મી મેએ કેટલાક રાજ્યોને મોકડ્રીલ યોજવા મોકલ્યું સૂચન હવાઈ હુમલા સમયે વૉર્નિંગ સાયરનની તૈયારીના આદેશ કેન્દ્રીય ગૃહમંત્રાલયે દેશના કેટલાક રાજ્યોને કર્યા આદેશ હવાઈ હુમલા સમયે પોતાને બચાવવા મોકડ્રીલનું સૂચન વિદ્યાર્થીઓ,નાગરિકોને તાલીમ આપવાનો આપ્યો આદેશ...
07:21 PM May 05, 2025 IST | Hiren Dave
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે મોટા સમાચાર 7મી મેએ કેટલાક રાજ્યોને મોકડ્રીલ યોજવા મોકલ્યું સૂચન હવાઈ હુમલા સમયે વૉર્નિંગ સાયરનની તૈયારીના આદેશ કેન્દ્રીય ગૃહમંત્રાલયે દેશના કેટલાક રાજ્યોને કર્યા આદેશ હવાઈ હુમલા સમયે પોતાને બચાવવા મોકડ્રીલનું સૂચન વિદ્યાર્થીઓ,નાગરિકોને તાલીમ આપવાનો આપ્યો આદેશ...
Home Ministry instructions for mock drill

Mock Drill: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે આદેશ આપતા કહ્યું કે છે કેટલાક રાજ્યોની મોકડ્રીલ (Mock Drill)શરૂ કરવામાં આવશે. ગૃહ મંત્રાલયે (Home ministry)કેટલાક રાજ્યોને આ આદેશ આપ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ, નાગરિકોને ટ્રેનિંગ આપવા સૂચના અપાઈ છે. ત્યારે એર રેડ વોર્નિગ સાયરનની તૈયારી માટે આદેશ આપી દેવામાં આવ્યો છે.

સામાન્ય નાગરિક અને વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે

પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેટલાક રાજ્યોને 7 મે ના રોજ નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવાનો નિર્દેશ આપ્યો છે. સરકારી સૂત્રોએ આ માહિતી આપી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ કવાયત દરમિયાન, હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન વગાડવામાં આવશે અને નાગરિકો અને વિદ્યાર્થીઓને દુશ્મનના હુમલા દરમિયાન પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તેની તાલીમ આપવામાં આવશે.

નીચેના પગલાં લેવામાં આવશે

આ પણ  વાંચો -Rahul Gandhi Citizenship મુદ્દે સરકારે કોઈ જ જવાબ ન આપતા હાઈકોર્ટે અરજી ફગાવી

રાજ્યોને પણ આપવામાં આવ્યા નિર્દેશ

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ કવાયત દરમિયાન મહત્વપૂર્ણ પ્લાન્ટ્સ અને સંસ્થાઓને ઝડપથી છુપાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. રાજ્યોને તેમની સ્થળાંતર યોજનાઓને અપડેટ કરવા અને રિહર્સલ કરવા કહેવામાં આવ્યું છે, જેથી કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. આ કવાયત દેશની આંતરિક સુરક્ષાને મજબૂત બનાવવા અને કટોકટીની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તૈયારી કરવાના ઉદ્દેશ્ય સાથે હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ  વાંચો -PM Modi Defence meeting: નેવી અને IAF ચીફ બાદ ડિફેન્સ સેક્રેટરીની PM મોદી સાથે બેઠક

PM મોદીએ ગુનેગારોને દફનાવવાનું વચન આપ્યું

તમને જણાવી દઈએ કે 22 એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઘણા કડક પગલાં લીધા છે, જેના પછી બંને દેશો વચ્ચે તણાવ યથાવત છે. પાકિસ્તાનને ડર છે કે ભારત ગમે ત્યારે તેના પર હુમલો કરી શકે છે. દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલગામ હુમલાના ગુનેગારો અને તેમના માસ્ટરનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. આ હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

Tags :
Central governmentHome ministryHome Ministry instructions for mock drillinstructions for mock drillinstructions to states for mock drillpm modi
Next Article