Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શ્રદ્ધાળુઓ કરતા VIP પર વધારે ધ્યાન, મહાકુંભ દુર્ઘટના અંગે ભડક્યા રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે જેવી દુર્ઘટના થઇ છે તેવી આગળ ન થાય તે માટે સરકાર વ્યવસ્થામાં સુધારો કરવો પડશે. વીઆઇપી કલ્ચર પર લગાવ લગાવવી જોઇએ
શ્રદ્ધાળુઓ કરતા vip પર વધારે ધ્યાન  મહાકુંભ દુર્ઘટના અંગે ભડક્યા રાહુલ ગાંધી
Advertisement
અખિલેશ યાદવે પણ સરકારની ઝાટકણી કાઢી
બીજી તરફ અખિલેશ યાદવે પણ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કરીને સરકાર અને તંત્રની ઝાટકણી કાઢી છે. તેમણે કહ્યું કે, આ ઘટના ગેરવ્યવસ્થાના કારણે અને સરકારના વીઆઇપી કલ્ચર અને વીઆઇપી મુવમેન્ટમાં તંત્રની વ્યસ્તતાને કારણે બની છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મૌની અમાવસ્યા પ્રસંગે આશરે 2 કરોડ લોકો પ્રયાગરાજમાં સ્નાન કર્યું છે.

હેલિકોપ્ટરનો દુરૂપયોગ ખુબ થયો હવે સદુપયોગ કરો

અખિલેશે અપીલ કરી કે, મહાકુંભમાં ખરાબ વ્યવસ્થાના કારણે ઘાયલ થયેલા લોકોની મદદ માટે સરકારને અમારી અપીલ છે. ઘાયલોને એર એમ્બ્યુલન્સની મદદથી નજીકની સર્વશ્રેષ્ઠ હોસ્પિટલ ખસેડવામાં આવે. મૃતકના શબોને તેમના પરિવારોને સોંપવા અને તેમને તેમના ઘર સુધી મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે. જે લોકો ખોવાઇ ગયા છે તેમને મળાવવા માટે ત્વરિત પ્રયાસ કરવામાં આવે. હેલિકોપ્ટરનો દુરપયોગ તો ખુબ થઇ રહ્યો છે સરકારને અપીલ છે કે હવે સદઉપયોગ કરે.
Tags :
Advertisement

.

×