Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અંદરો અંદર વધારે ઝગડો... દિલ્હીમાં ચૂંટણી પરિણામો વચ્ચે ઉમર અબ્દુલ્લાએ કોંગ્રેસ-AAP પર સાધ્યું નિશાન

દિલ્હીમાં મતગણતરી ચાલી રહી છે. શરૂઆતના વલણો ભાજપની તરફેણમાં આવી રહ્યા છે. અત્યાર સુધીના આંકડા મુજબ, ભાજપ 28 બેઠકો પર આગળ છે.
અંદરો અંદર વધારે ઝગડો    દિલ્હીમાં ચૂંટણી પરિણામો વચ્ચે ઉમર અબ્દુલ્લાએ કોંગ્રેસ aap પર સાધ્યું નિશાન
Advertisement
  • BJP ને સ્પષ્ટ બહુમતી મળવા જઇ રહી છે
  • ઓમર અબ્દુલ્લાએ બંન્ને પાર્ટી પર વ્યંગ કર્યો હતો
  • જો આપ અને કોંગ્રેસ સાથે લડ્યા હોત તો ચિત્ર અલગ હોત

નવી દિલ્હી : દિલ્હીમાં મતગણતરી ચાલી રહી છે. શરૂઆતના વલણો ભાજપની તરફેણમાં આવી રહ્યા છે. અત્યાર સુધીના આંકડા મુજબ, ભાજપ 28 બેઠકો પર આગળ છે. જ્યારે AAP માત્ર 9 બેઠકો પર આગળ છે. મત ગણતરી વચ્ચે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને કોંગ્રેસ અને AAP પર નિશાન સાધ્યું છે. આજે દિલ્હીમાં મત ગણતરીનો દિવસ છે. મત ગણતરી ચાલી રહી છે. શરૂઆતના વલણો ભાજપની તરફેણમાં આવી રહ્યા છે. અત્યાર સુધીના આંકડા મુજબ, ભાજપ 32 બેઠકો પર આગળ છે. જ્યારે AAP માત્ર 14 બેઠકો પર આગળ છે. મતગણતરી દરમિયાન, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને કોંગ્રેસ અને AAP પર નિશાન સાધ્યું છે.

આ પણ વાંચો : LIVE: Delhi Election Results 2025 Live : વલણો જોયા બાદ સંજય રાઉતે INDIA એલાયન્સ પર કર્યો કટાક્ષ

Advertisement

અબ્દુલ્લાનું ટ્વીટ થઇ રહ્યું છે વાયર

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર 'મહાભારત' સીરિયલનો એક દ્રશ્ય શેર કરતા ઓમર અબ્દુલ્લાએ ફક્ત આટલું જ લખ્યું, 'અંદરો અંદર લડો!'... સ્પષ્ટ છે કે તેઓ દિલ્હીમાં કોંગ્રેસ અને AAP દ્વારા અલગ-અલગ ચૂંટણી લડવાના નિર્ણયનો ઉલ્લેખ કરી રહ્યા છે.

Advertisement

વિધાનસભા ચૂંટણીમાં 'ઇન્ડિયા' બ્લોક કામ કરતું નથી

કોંગ્રેસ અને AAP કેન્દ્રમાં ઇન્ડિયા બ્લોકનો ભાગ છે પરંતુ વિધાનસભા ચૂંટણીમાં આ ગઠબંધન કામ કરતું નથી. પહેલા હરિયાણામાં અને પછી દિલ્હીમાં, કોંગ્રેસ અને AAP એકબીજા સામે લડ્યા અને બંને જગ્યાએ ભાજપને ફાયદો થયો.

આ પણ વાંચો : Rajkot : સિવિલ હોસ્પિટલમાં પાંજરા મૂકાયા, 40 ઉંદર પકડાયા, Gujarat First નાં અહેવાલની અસર!

એક્ઝિટ પોલ સાચા સાબિત થઈ રહ્યા છે.

દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. પરિણામો પહેલા જાહેર થયેલા એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું હતું કે આ વખતે દિલ્હી ભાજપ માટે દૂર નથી, એટલે કે એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતી મળવાનું કહેવામાં આવ્યું હતું. શરૂઆતના વલણોમાં, એક્ઝિટ પોલ સાચા સાબિત થઈ રહ્યા હોય તેવું લાગે છે.

આ પણ વાંચો : Surat : સુરતની SVNIT કોલેજમાં રેગિંગનું કાળો તાંડવ! વધુ એક Video વાઇરલ થતાં ખળભળાટ

Tags :
Advertisement

.

×