Mumbai : ગેટવે ઓફ ઈન્ડિયા પાસેની દુર્ઘટના, નેવી અને કોસ્ટ ગાર્ડનું રાહત અભિયાન ચાલુ
- Mumbai માં ગેટવે ઓફ ઈન્ડિયા પાસે મોટી દુર્ઘટના
- Mumbai ના દરિયામાં બોટ પલટી
- 1 નું મોત, બચાવ કામગીરી ચાલુ
દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai)થી એક હૃદયદ્રાવક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. મુંબઈ (Mumbai)માં સ્થિત પ્રસિદ્ધ ગેટવે ઓફ ઈન્ડિયા પાસે મુસાફરોથી ભરેલી બોટ દરિયામાં પલટી ગઈ છે. પોલીસે પણ આ ઘટનાની માહિતી શેર કરી છે. પોલીસે કહ્યું છે કે, મુસાફરોથી ભરેલી બોટ દરિયામાં પલટી ગઈ છે. પોલીસે કહ્યું છે કે જે બોટ પલટી ગઈ તેમાં કેટલા મુસાફરો હતા તે અંગે હજુ સુધી કોઈ સંપૂર્ણ માહિતી સામે આવી નથી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 1 વ્યક્તિના મોતના સમાચાર આવી રહ્યા છે.
કેવી રીતે થયો અકસ્માત?
પ્રાથમિક માહિતી મુજબ મુંબઈ (Mumbai)ના ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા આઈલેન્ડ જઈ રહેલી બોટ અચાનક પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ પછી નજીકની બોટ દ્વારા બોટમાં સવાર મુસાફરોને બચાવવામાં આવી રહ્યા છે. આ ઘટના સાંજે 4 વાગ્યાની આસપાસ બની હતી. હાલ 21 લોકોને બચાવી લેવાયા છે. તે જ સમયે, એક વ્યક્તિના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે.
Mumbai Boat accident | Mumbai: There were a total of 85 passengers on board including the crew. 80 people have been rescued so far and 5 people are missing. The 5 admitted to the hospital are in critical condition and 1 is dead. The rest of the people are stable: BMC
(Image… pic.twitter.com/rXSUD3OtBE
— ANI (@ANI) December 18, 2024
આ પણ વાંચો : 'બાબા સાહેબના નામ પર રાજકારણ બંધ કરો', Amit Shah ના કોંગ્રેસ પર આકરા પ્રહાર
બચાવ કામગીરી ચાલુ...
મળતી માહિતી મુજબ એલિફન્ટા જઈ રહેલી બોટનું નામ નીલકમલ હતું. આ બોટમાં 56 મુસાફરો સવાર હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. નેવી, જેએનપીટી, કોસ્ટ ગાર્ડ અને યલોગેટ પોલીસ સ્ટેશન 3 અને સ્થાનિક માછીમારી બોટની મદદથી અકસ્માત સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. એમ્બ્યુલન્સ પણ સ્થળ પર હાજર છે. નૌકાદળ દ્વારા કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસના સહયોગથી દુર્ઘટના સ્થળે બચાવના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. નેવીની 11 બોટ, મરીન પોલીસની 03 બોટ અને કોસ્ટ ગાર્ડની 01 બોટ આ વિસ્તારમાં છે. આ સિવાય 04 હેલિકોપ્ટર પણ બચાવ કાર્યમાં લાગેલા છે.
આ પણ વાંચો : 'આંબેડકરના અપમાનથી દેશ દુઃખી છે', Mallikarjun Kharge એ ઉઠાવ્યો Amit Shah પર સવાલ
CM ફડણવીસે આપ્યું નિવેદન...
एलिफंटाकडे जाणाऱ्या नीलकमल या बोटीचा अपघात घडल्याचे वृत्त प्राप्त झाले. नौदल, कोस्टगार्ड, पोर्ट, पोलिस पथकच्या बोटी तातडीने मदतीसाठी रवाना करण्यात आल्या आहेत. जिल्हा आणि पोलिस प्रशासनाशी सातत्याने आम्ही संपर्कात असून, सुदैवाने बहुसंख्य नागरिकांना वाचविण्यात आले आहे. तथापि अजूनही…
— Devendra Fadnavis (@Dev_Fadnavis) December 18, 2024
મહારાષ્ટ્રના CM ફડણવીસે પણ ગેટવે ઑફ ઈન્ડિયા પાસે બોટ પલટી જવાની દુર્ઘટનાની નોંધ લીધી છે. તેમણે કહ્યું - "માહિતી મળી હતી કે એલિફન્ટા જઈ રહેલી નીલકમલ બોટને અકસ્માત થયો છે. નેવી, કોસ્ટ ગાર્ડ, પોર્ટ, પોલીસની ટીમોને તાત્કાલિક મદદ માટે મોકલવામાં આવી છે. અમે જિલ્લા અને પોલીસ પ્રશાસન સાથે સતત સંપર્કમાં છીએ, સદનસીબે મોટાભાગના "નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે. જો કે, બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે. જિલ્લા વહીવટીતંત્રને તેમની તમામ સિસ્ટમને એકત્ર કરવા આદેશ આપવામાં આવ્યો છે."
આ પણ વાંચો : કોર્ટની મોટી રાહત, Delhi રમખાણોનો કથિત માસ્ટરમાઇન્ડ ઉમર ખાલિદને મળ્યા જામીન


