NCERT : વિદ્યાર્થીઓ 'Operation Sindoor'ની ગૌરવ ગાથાનો કરશે અભ્યાસ, NCERTએ લીધો મોટો નિર્ણય
- NCERT પાઠ્યપુસ્તકોમાં ખાસ મોડ્યુલ ઉમેર્યો
- ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાયું
- પહેલગામ હુમલા અને પાકિસ્તાન પર આરોપ
- શાંતિ અને સન્માનનું વચન
NCERT : રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT) એ તેના પાઠ્યપુસ્તકોમાં એક નવો અને ખાસ મોડ્યુલ ઉમેર્યો છે જેનું નામ છે ઓપરેશન સિંદૂર. આ મોડ્યુલ ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ પહેલ પાઠ્યપુસ્તકોમાં શૈક્ષણિક સામગ્રીને સતત અપડેટ કરવાના ચાલુ પ્રયાસનો એક ભાગ છે.
પહેલગામ હુમલા અને પાકિસ્તાન પર આરોપ (NCERT)
આ મોડ્યુલમાં 13 સપ્ટેમ્બર, 2025ના પહેલગામ આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. NCERT અનુસાર, પાકિસ્તાને ભલે આ હુમલામાં તેની સંડોવણીનો ઇનકાર કર્યો હોય, પરંતુ આ હુમલો પાકિસ્તાનના લશ્કરી અને રાજકીય નેતૃત્વના સીધા આદેશ પર કરવામાં આવ્યો હતો. આ મોડ્યુલ દ્વારા વિદ્યાર્થીઓને આ ઐતિહાસિક ઘટના વિશે જાણકારી આપવામાં આવશે.
NCERT releases special module on Operation Sindoor for classes 3 to 12
— Press Trust of India (@PTI_News) August 19, 2025
આ પણ વાંચો -India China Ties : ડોભાલ બાદ PM મોદીને મળ્યા ચીનના વિદેશ મંત્રી,કહ્યું કે વાંગ યીને મળીને...!
પીડિતોની વિધવાઓને શ્રદ્ધાંજલિ
આ મોડ્યુલનું નામ ઓપરેશન સિંદૂર રાખવા પાછળ એક ખાસ હેતુ છે. આ નામ હુમલાના શહીદોની વિધવાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પસંદ કરવામાં આવ્યું છે. NCERT મુજબ, આ નામ એકતા, સહાનુભૂતિ અને આદરનું પ્રતીક છે.
આ પણ વાંચો -Mumbai Monorail Rescue: મુંબઈમાં મોનો રેલ અધવચ્ચે અટકી , લોકોને શ્વાસ લેવામાં પડી તકલીફ
શાંતિ અને સન્માનનું વચન
આ મોડ્યુલમાં જણાવવામાં આવ્યું છે કે ઓપરેશન સિંદૂર માત્ર એક લશ્કરી કાર્યવાહી નથી, પરંતુ તે શાંતિનું રક્ષણ કરવા અને દેશ માટે બલિદાન આપનારા શહીદોનું સન્માન કરવાનું એક વચન છે. આ પહેલનો હેતુ વિદ્યાર્થીઓમાં દેશભક્તિ, સન્માન અને જવાબદારીની ભાવના કેળવવાનો છે. આ મોડ્યુલ દ્વારા વિદ્યાર્થીઓને ઓપરેશન સિંદૂરના મહત્વ અને તેની પાછળના ઉદ્દેશ્ય વિશે ઊંડાણપૂર્વક સમજણ પૂરી પાડવામાં આવશે.


