Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બિહારના વૈશાલી જિલ્લામાં ટ્રકે અડફેટે લેતા 10ના મોત, અનેક ગંભીર

બિહારના વૈશાલી જિલ્લામાં રવિવારે મોડી સાંજે મહાનાર-હાજીપુર મુખ્ય માર્ગ પર દેસારી પોલીસ સ્ટેશન વિસ્તારના સુલતાનપુર 28 ટોલા નજીક એક ઝડપી ટ્રકે 15 લોકોને કચડી નાખ્યા. આ દર્દનાક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં દસ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ટ્રકની નીચે ઘણા લોકો દટાયા હોવાના પણ સમાચાર છે. મૃત્યુ પામેલા મોટાભાગના લોકો લગ્ન સમારોહમાંથી ભોજન કરીને પરત ફરી રહ્યા હતા.ઘટનાની જાણ થતાં જ પો
બિહારના વૈશાલી જિલ્લામાં ટ્રકે અડફેટે લેતા 10ના મોત  અનેક ગંભીર
Advertisement
બિહારના વૈશાલી જિલ્લામાં રવિવારે મોડી સાંજે મહાનાર-હાજીપુર મુખ્ય માર્ગ પર દેસારી પોલીસ સ્ટેશન વિસ્તારના સુલતાનપુર 28 ટોલા નજીક એક ઝડપી ટ્રકે 15 લોકોને કચડી નાખ્યા. આ દર્દનાક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં દસ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ટ્રકની નીચે ઘણા લોકો દટાયા હોવાના પણ સમાચાર છે. મૃત્યુ પામેલા મોટાભાગના લોકો લગ્ન સમારોહમાંથી ભોજન કરીને પરત ફરી રહ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. ઈજાગ્રસ્તોમાંથી અનેકની સ્થિતિ ગંભીર છે, ઘટના બાદ ટ્રક ચાલક ફરાર બન્યો હતો. ઈજાગ્રસ્તોમાં ઘણાં બાળકો પણ હતા. આ દુર્ઘટનામાં મૃતકઆંક વધવાની પણ સંભાવના છે.
આ સિવાય સોનપુર મેલા ગ્રાઉન્ડમાં ચિડિયા માર્કેટ નજીક રવિવારે સાંજે અચાનક હીંચકાની સાઇડર તૂટી ગઈ હતી. જે તૂટીને ઇલેક્ટ્રિક વાયર પર પડ્યું તેથી ઇલેક્ટ્રિક વાયર તૂટ્યો અને આજુબાજુના વિસ્તારમાં અંધારુ થઈ જતાં અફરા-તફરી મચી હતી. આ ઘટનામાં એક મહિલા સહિત અડધો ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે.
રાષ્ટ્રપતિએ દુ:ખ વ્યક્ત કર્યું
દુર્ઘટના અંગે રાષ્ટ્રપતિએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું કે, બિહારના વૈશાલીમાં થયેલા માર્ગ અકસ્માતમાં બાળકો સહિત અનેક લોકોના મોતના સમાચાર અત્યંત પીડાદાયક છે. હું આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલ થયેલા લોકો ઝડપથી સાજા થાય તેવી કામના કરું છું.
મૃતકો અને ઈજાગ્રસ્તોને સહાયની જાહેરાત
બિહારમાં સર્જાયેલા આ અકસ્માત અંગ PMO તરફથી ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું કે બિહારના વૈશાલીમાં સર્જાયેલો અકસ્માત દુ:ખદ છે. હતભાગી પરિવાર પ્રત્યે સંવેદના છે અને ઈજાગ્રસ્તો જલ્દી જ સાજા થઈ જાય તેવી કામના સાથે જ મૃતકોના પરિવારજનોને રૂ. 2 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો - ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×