Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આંદામાન અને નિકોબારમાં અનુભવાયા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા રહી 5

કોરોના મહામારીની સાથે એક સંકટ જે સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યું છે તો તે ભૂકંપ છે. જીહા, છેલ્લા ઘણા વર્ષોથી દુનિયાના અલગ-અલગ ખૂણે ભૂકંપના ઝટકાઓ અનુભવાઇ રહ્યા છે, જે એક ચિંતાનો વિષય છે. તાજેતરમાં આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, પોર્ટ બ્લેર, આંદામાન અને નિકોબાર ટાપુઓના 215 કિમી ESE પર સવારે 5:57 વાગ્યે 5.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યà
આંદામાન અને નિકોબારમાં અનુભવાયા ભૂકંપના આંચકા  રિક્ટર સ્કેલ પર તીવ્રતા રહી 5
Advertisement
કોરોના મહામારીની સાથે એક સંકટ જે સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યું છે તો તે ભૂકંપ છે. જીહા, છેલ્લા ઘણા વર્ષોથી દુનિયાના અલગ-અલગ ખૂણે ભૂકંપના ઝટકાઓ અનુભવાઇ રહ્યા છે, જે એક ચિંતાનો વિષય છે. તાજેતરમાં આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, પોર્ટ બ્લેર, આંદામાન અને નિકોબાર ટાપુઓના 215 કિમી ESE પર સવારે 5:57 વાગ્યે 5.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

મહત્વનું છે કે, આ ભૂકંપમાં જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ પોતાના એક ટ્વીટમાં આ ભૂકંપની માહિતી આપી હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 44 કિલોમીટરની ઉંડાઈએ હતું. આ પહેલા સોમવારે બપોરે લગભગ 3.02 મિનિટે પોર્ટ બ્લેરથી 256 કિમી દક્ષિણ પૂર્વમાં ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.4 નોંધવામાં આવી હતી. અત્યાર સુધી ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી.સવારે મોટાભાગના લોકો પોતપોતાના ઘરમાં સૂઈ ગયા હતા. ભૂકંપના આંચકાથી લોકો અચાનક જાગી ગયા અને ઘરની બહાર આવી ગયા હતા. અત્યાર સુધી ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી.
Advertisement

Advertisement

આ પહેલા ગઈકાલે જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 માપવામાં આવી હતી. ભૂકંપના કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. સોમવારે બપોરે 12:12 વાગ્યે ડોડા જિલ્લામાં ભૂકંપના ઓછી તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર પાંચ કિલોમીટરની ઊંડાઈએ હતું. આમ આવા ઘણા ભૂકંપ અલગ-અલગ જગ્યાએ આવતા રહે છે જે હવે એક ચિંતાનો વિષય બની ગયું છે. 

ઉલ્લેખનીય છે કે, જો અચાનક ભૂકંપ આવે તો ખુલ્લામાં ઘરની બહાર નીકળો. જો ઘરમાં ફસાઈ ગયા હોય, તો પલંગ અથવા મજબૂત ટેબલની નીચે છુપાવો. ઘરના ખૂણામાં ઉભા રહીને પણ તમે તમારી જાતને બચાવી શકો છો. ભૂકંપ દરમિયાન લિફ્ટનો ઉપયોગ કરશો નહીં. ખુલ્લી જગ્યામાં જાઓ, વૃક્ષો અને વીજ લાઈનોથી દૂર રહો. આ સિવાય ભૂકંપ પ્રતિરોધક મકાનો પણ એટલા જ મહત્વપૂર્ણ છે. જોકે તે મોંઘા નથી, પરંતુ લોકોમાં તેના વિશે જાગૃતિના અભાવને કારણે, લોકો ઘણીવાર તેની અવગણના કરે છે.
Tags :
Advertisement

.

×