PM Modi Krishi Yojana: ખેડૂતોને રૂ.35,440 કરોડની ભેટ, ધન ધાન્ય મિશન શરૂ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોને આપી મોટી ભેટ (PM Kisan Yojana 2025)
- દિલ્હીમાં બે કૃષિ યોજનાનો PM મોદી કરાવ્યો પ્રારંભ
- ધન-ધાન્ય કૃષિ યોજનાની PM મોદીએ કરાવી શરૂઆત
- 'દલહન આત્મનિર્ભરતા મિશન' પણ કરાવ્યો પ્રારંભ
PM Kisan Yojana 2025 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર, 11 ઑક્ટોબરના રોજ ખેડૂતોના હિતમાં એક વધુ મોટું અને ઐતિહાસિક પગલું ભર્યું છે. તેમણે કૃષિ ક્ષેત્રમાં કુલ રૂ.35,440 કરોડના ખર્ચે બે મોટી યોજનાઓનું લોન્ચિંગ કર્યું છે. આ સાથે જ, પીએમ મોદીએ દેશભરમાં કૃષિ ઉત્પાદન વધારવા અને ખેડૂતોની આવક વધારવાના ઉદ્દેશથી રૂ.24,000 કરોડની પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના (PM Dhan Dhaanya Krishi Yojanaનો પણ પ્રારંભ કરાવ્યો છે.
ઐતિહાસિક દિવસે નવી યોજનાઓની ભેટ (PM Kisan Yojana 2025)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે જણાવ્યું કે, "આજની 11 ઑક્ટોબરની તારીખ ખૂબ જ ઐતિહાસિક છે. આજે ભારત માતાના બે મહાન રત્નો - ભારત રત્ન જયપ્રકાશ નારાયણ અને ભારત રત્ન નાનાજી દેશમુખની જન્મજયંતિ છે. આ બંને મહાન સપૂતો ગ્રામીણ ભારતનો અવાજ હતા અને લોકશાહી ક્રાંતિના પ્રણેતા હતા." પીએમ મોદીએ કહ્યું કે આ બંને નેતાઓ ગ્રામીણ ભારતના વિકાસના પ્રતીક હતા, અને આજે જે યોજનાઓ શરૂ કરવામાં આવી છે, તે આત્મનિર્ભર ભારત અને ખેડૂતોના કલ્યાણના તેમના સપનાને સાકાર કરવાની દિશામાં એક પગલું છે.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi launches two major schemes in the agriculture sector, with an outlay of Rs 35,440 crore. PM Modi also launches the PM Dhan Dhaanya Krishi Yojana, which has an outlay of Rs 24,000 crore.
(Souce: DD News) pic.twitter.com/41yJrAnmpO
— ANI (@ANI) October 11, 2025
PM ધન ધાન્ય કૃષિ યોજના: 100 જિલ્લાઓને નવી દિશા (PM Kisan Yojana 2025)
સરકાર દ્વારા શરૂ કરાયેલી પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના (PMDDKY) હેઠળ દેશના 100 જિલ્લાઓમાં વિશેષ કાર્યક્રમો ચલાવવામાં આવશે. આ યોજનાના મુખ્ય લક્ષ્યો નીચે મુજબ છે:
- કૃષિ ઉત્પાદનમાં વધારો કરવો.
- ખેડૂતોને સસ્તી લોનની સુવિધા પૂરી પાડવી.
- સિંચાઈ પ્રણાલીને મજબૂત બનાવવી.
- પાકોમાં વિવિધતા લાવવી અને પાક વ્યવસ્થાપનને આધુનિક બનાવવું.
આ યોજનાનો હેતુ ખેતીને માત્ર આજીવિકાનું સાધન નહીં, પરંતુ લાભકારી વ્યવસાય બનાવવાનો છે.
કઠોળમાં આત્મનિર્ભરતા માટે 6-વર્ષનું મિશન
પીએમ મોદીએ આ પ્રસંગે દેશને કઠોળના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા માટે 6-વર્ષના "રાષ્ટ્રીય દાળ આત્મનિર્ભર મિશન"ની પણ શરૂઆત કરી, જેમાં રૂ.11,440 કરોડનું રોકાણ કરવામાં આવશે. સરકારનો લક્ષ્ય છે કે આવનારા વર્ષોમાં ભારત કઠોળની આયાતથી મુક્ત થાય.
કૃષિ માળખાગત સુવિધાઓ અને પશુપાલન પર ભાર
સરકારે ખેડૂતોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રૂ.3,650 કરોડના ખર્ચે "કૃષિ માળખાગત સુવિધા ફંડ યોજના" શરૂ કરી છે, જેનાથી સંગ્રહ, પ્રક્રિયાકરણ અને લોજિસ્ટિક્સને લગતી સુવિધાઓ વિકસાવવામાં આવશે. પશુપાલન ક્ષેત્ર માટે પણ રૂ.1,166 કરોડના ખર્ચે 17 અલગ-અલગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે, જેનો હેતુ દૂધ ઉત્પાદન અને પશુધનની ઉત્પાદકતા વધારવાનો છે. મત્સ્ય પાલન યોજના માટે રૂ.693 કરોડ અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે રૂ.800 કરોડનું રોકાણ મંજૂર કરાયું છે.
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન
વડા પ્રધાને જણાવ્યું કે સરકાર ખેડૂતો વચ્ચે પ્રાકૃતિક ખેતી (Natural Farming)ને લોકપ્રિય બનાવવા માટે વિશેષ અભિયાન ચલાવી રહી છે. રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઘટાડીને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાથી માટીની ગુણવત્તા સુધરશે અને ખેતીનો ખર્ચ ઘટશે, જેનાથી ખેડૂતનો નફો વધશે. વડા પ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું, 'જ્યારે ખેડૂત સશક્ત થશે, ત્યારે દેશ સશક્ત થશે.' મોદી સરકારની આ નવી યોજનાઓ દેશના કૃષિ ક્ષેત્ર માટે એક વ્યાપક વિકાસનો નકશો રજૂ કરે છે.
આ પણ વાંચો : અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મુત્તાકીએ એસ.જયશંકર સાથે કરી ખાસ મુલાકાત, 'ભારત સાથે મિત્રતા હંમેશા રહેશે'


