ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બાબાસાહેબના નામ પર ફરી રાજનીતિ! શાહના ભાષણ પર દેશવ્યાપી આંદોલન કરવાના મૂડમાં છે Mayawati

ડૉ. ભીમરાવ આંબેડકર પર ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં આપેલા નિવેદનથી રાજકીય ગરમાવો ઉભો થયો છે. કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો ભાજપ પર સતત આક્રમક પ્રહારો કરી રહ્યા છે.
12:59 PM Dec 21, 2024 IST | Hardik Shah
ડૉ. ભીમરાવ આંબેડકર પર ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં આપેલા નિવેદનથી રાજકીય ગરમાવો ઉભો થયો છે. કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો ભાજપ પર સતત આક્રમક પ્રહારો કરી રહ્યા છે.
Mayawati

Mayawati : ડૉ. ભીમરાવ આંબેડકર પર ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં આપેલા નિવેદનથી રાજકીય ગરમાવો ઉભો થયો છે. કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો ભાજપ પર સતત આક્રમક પ્રહારો કરી રહ્યા છે. ખાસ કરીને બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ આ મામલે દેશવ્યાપી આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે.

માયાવતીએ આંદોલનનો શંખનાદ કર્યો

માયાવતીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, ડૉ. આંબેડકર દલિતો અને વંચિત વર્ગો માટે પૂજનીય છે. અમિત શાહના નિવેદનને કારણે દેશભરમાં લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. BSP એ ગૃહમંત્રીને તેમની ટિપ્પણી પાછી ખેંચવા અને પસ્તાવાની માંગ કરી છે. જો આ માંગ પૂરી નહીં થાય તો 24 ડિસેમ્બર, 2024ના રોજ દેશભરમાં શાંતિપૂર્ણ આંદોલન કરવામાં આવશે, જેમાં તમામ જિલ્લાના મથકોએ વિરોધ પ્રદર્શન યોજાશે. માયાવતીએ માત્ર ગૃહમંત્રી અમિત શાહને જ નહીં કોંગ્રેસ પર પણ કટાક્ષ કર્યો હતો. માયાવતીએ કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું કે, કોંગ્રેસ અને ભાજપ બંનેના નેતાઓએ ડૉ. આંબેડકરનું સન્માન કર્યું નથી.

માયાવતીએ બાબાસાહેબને દલિતોના ગણાવ્યા મસીહા

બાબા સાહેબને દલિતોના મસીહા ગણાવતા માયાવતીએ કહ્યું, 'સાચા મસીહા બાબા સાહેબ, જેમણે દલિતો/બહુજનોને તેમના પગ પર ઊભા રહેવા અને સ્વાભિમાન સાથે જીવવા માટે આખી જીંદગી લડત આપી અને તેમને અનામત સહિત અનેક કાયદાકીય અધિકારો આપ્યા, પરંતુ તેમના ફોલોઅર્સનું હિત અને કલ્યાણ એ તેમનો સૌથી મોટો આદર છે, જેના માટે BSP સમર્પિત છે. જો કોંગ્રેસ, ભાજપ વગેરે જેવા પક્ષો બાબા સાહેબનું દિલથી આદર ન કરી શકે તો તેઓએ તેમનો અનાદર પણ ન કરવો જોઈએ. બાબા સાહેબના કારણે જે દિવસે SC, ST અને OBC વર્ગને બંધારણમાં કાયદાકીય અધિકારો મળ્યા, તે જ દિવસે સાત જન્મો માટે સ્વર્ગ પ્રાપ્ત થયું.

અમિત શાહે શું કહ્યું હતું?

આપને જણાવી દઇએ કે, સંસદમાં છેલ્લા ઘણા દિવસોથી સાંસદો વચ્ચે અદાણી મુદ્દે રાજનીતિ જોવા મળી પણ 17 ડિસેમ્બરે સંસદમાં અમિત શાહે જે કહ્યું તે સાંભળીને તો દેશની લગભગ તમામ પાર્ટીઓ ચોંકી ગઇ હતી. શાહના સંસદમાં પોતાના ભાષણ બાદ વિવાદ શરૂ થયો હતો. રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન બોલતા ગૃહમંત્રી અમિત શાહ આંબેડકરના જવાહરલાલ નહેરુની કેબિનેટમાંથી રાજીનામું આપવાની વાત કરી રહ્યા હતા. લગભગ 1 કલાક અને 7 મિનિટના તેમના લગભગ દોઢ કલાકના ભાષણમાં અમિત શાહે કહ્યું, “આ હવે એક ફેશન બની ગઈ છે… આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર. જો તમે ભગવાનનું આટલું નામ લીધું હોત, તો તમે 7 જન્મો માટે સ્વર્ગમાં ગયા હોત." કોંગ્રેસ પાર્ટી પર પોતાનો હુમલો ચાલુ રાખતા તેમણે કહ્યું, “અમને આંબેડકરનું નામ લેતા આનંદ થાય છે. આંબેડકરનું નામ સો ગણું વધારે લો. પરંતુ હું તમને જણાવું કે આંબેડકરજી પ્રત્યે તમારી લાગણી શું છે. આંબેડકરજીએ દેશની પ્રથમ કેબિનેટમાંથી કેમ રાજીનામું આપ્યું?

બાબાસાહેબ હતી નારાજ : અમિત શાહ

ગૃહમંત્રીએ વધુમાં કહ્યું, "તેમણે (આંબેડકરે) ઘણી વખત કહ્યું કે તેઓ અનુસૂચિત જાતિ અને જનજાતિ સાથેના વ્યવહારથી અસંતુષ્ટ છે. તેમણે સરકારની વિદેશ નીતિ સાથે અસંતોષ વ્યક્ત કર્યો હતો, કલમ 370 સાથે પણ સહમત ન હતા. આંબેડકરને ખાતરી "અમિત શાહ અહીં જ ન અટક્યા, તેમણે આંબેડકરના રાજીનામાની માંગ કરતું જવાહરલાલ નહેરુનું નિવેદન પણ વાંચ્યું. તેમણે કહ્યું, “શ્રી બીસી રોયે એક પત્ર લખ્યો કે જો આંબેડકર અને રાજાજી જેવા બે મહાન માણસો કેબિનેટ છોડી દે તો શું થશે, તો નહેરુજીએ તેમને જવાબમાં લખ્યું – રાજાજીના જવાથી થોડું નુકશાન થશે, આંબેડકરના જવાથી કેબિનેટ નબળું નહીં પડે." અમિત શાહનું સંપૂર્ણ ભાષણ અહીં સાંભળી શકાય છે.

આ પણ વાંચો:   UP ની ચૂંટણી પૂર્વે Mayawati એ 'એકલા ચલો રે' નો આપ્યો સંદેશ, જાણો શું છે પ્લાન

Tags :
Amit ShahBabasahebbabasaheb ambedkarBJPBSPCongressGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahHome Minister Amit ShahMayawati
Next Article