ગાઝા યુદ્ધ મુદ્દે Priyanka Gandhi એ ઈઝરાયલ પર નરસંહારનો આરોપ લગાવ્યો, મળ્યો વળતો જવાબ
- ગાઝા યુદ્ધ મુદ્દે Priyanka Gandhi ના સરકાર સામે સવાલ
- ઈઝરાયલ પર નરસંહારનો પ્રિયંકા ગાંધીનો આરોપ
- પેલેસ્ટાઈનમાં ઈઝરાયલ નરસંહાર કરી રહ્યું છેઃ પ્રિયંકા
- ભારત સરકાર ચૂપ બેઠી છે તે શરમજનકઃ પ્રિયંકા
- પ્રિયંકાના આરોપ મુદ્દે ઈઝરાયલી રાજદૂતનો પલટવાર
- ઈઝરાયલે 25 હજાર હમાસ આતંકી માર્યાઃ રૂવેન અઝાર
- હમાસના આંકડા પર વિશ્વાસ ન કરોઃ રૂવેન અઝાર
Priyanka Gandhi questions government over Gaza war : કોંગ્રેસના સાંસદ અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા યુદ્ધ અંગે ઇઝરાયલ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, ઇઝરાયલ ગાઝામાં “નરસંહાર” કરી રહ્યું છે અને હજારો પેલેસ્ટિનિયનોના મોત માટે જવાબદાર છે. પ્રિયંકા (Priyanka Gandhi) એ મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં આ મુદ્દે પોતાનો કડક વલણ રજૂ કર્યું અને ભારત સરકાર પર પણ આ મામલે મૌન સાધવાનો આરોપ મૂક્યો.
મૃત્યુઆંક અને પત્રકારોની હત્યા અંગે પ્રિયંકાની ટીકા
પ્રિયંકાએ પોતાના સંદેશમાં દાવો કર્યો કે, ગાઝામાં અત્યાર સુધીમાં 60,000 થી વધુ લોકોના મોત થયાં છે, જેમાં 18,430 બાળકોનો સમાવેશ થાય છે. તેમણે એક સમાચાર સંસ્થાના 5 પત્રકારોની ટાર્ગેટેડ હત્યાને “જઘન્ય ગુનો” ગણાવી હતી. તેમના મતે, આવી હત્યા માત્ર પેલેસ્ટિનિયન ભૂમિ પર કરવામાં આવેલા ગંભીર માનવ અધિકાર ઉલ્લંઘનનું ઉદાહરણ છે. તેમણે જણાવ્યું કે આવા કૃત્યો સામે મૌન અને નિષ્ક્રિયતા એ પણ એક પ્રકારનો ગુનો છે.
સત્ય માટે ઊભા રહેવાની હિંમત પર Priyanka એ ભાર મુક્યો
પ્રિયંકાએ જણાવ્યું કે, દુનિયામાં જ્યાં મીડિયાનો મોટો હિસ્સો સત્તા અને વ્યવસાયના પ્રભાવ હેઠળ છે, ત્યાં આવા બહાદુર પત્રકારો સાચા પત્રકારત્વનો અર્થ યાદ અપાવે છે. “5 અલ-જઝીરા પત્રકારોની ક્રૂર હત્યા એ બીજો જઘન્ય ગુનો છે, પરંતુ સત્ય માટે ઊભા રહેવાની તેમની હિંમત ઇઝરાયલી હિંસા અને નફરતથી ક્યારેય તૂટશે નહીં,” એમ પ્રિયંકાએ ઉમેર્યું. તેમણે પત્રકારોના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના પણ કરી.
The Israeli state is committing genocide. It has murdered over 60,000 people, 18,430 of whom were children.
It has starved hundreds to death including many children and is threatening to starve millions.
Enabling these crimes by silence and inaction is a crime in itself.
It…
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 12, 2025
ગાઝામાં ઇઝરાયલી કાર્યવાહી સામે સતત અવાજ
પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) લાંબા સમયથી ગાઝામાં પેલેસ્ટિનિયનો સાથે એકતા વ્યક્ત કરી રહી છે અને ઇઝરાયલની સૈનિક કાર્યવાહીનો વિરોધ કરી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર કાર્યાલયે તાજેતરમાં જ પત્રકારોના કેમ્પ પર થયેલા હવાઈ હુમલાને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનો ગંભીર ભંગ ગણાવ્યો હતો. પ્રિયંકાએ આ મુદ્દાને ઉઠાવીને કહ્યું કે આ વિશ્વને બતાવે છે કે સત્ય માટે અવાજ ઉઠાવવો કેટલો મહત્વપૂર્ણ છે.
ઇઝરાયલી રાજદૂતનો પલટવાર
પ્રિયંકાના આક્ષેપો બાદ નવી દિલ્હીમાં ઇઝરાયલી દૂતાવાસના રાજદૂત રૂવેન અઝારે પ્રતિક્રિયા આપી. તેમણે આ આરોપોને “શરમજનક છેતરપિંડી” ગણાવ્યા. રાજદૂતના જણાવ્યા મુજબ, ઇઝરાયલ અત્યાર સુધીમાં 25,000 હમાસ આતંકવાદીઓને મારી ચૂક્યું છે. તેમના મતે, નાગરિકોના મોત માટે હમાસ જ જવાબદાર છે, કારણ કે તેઓ નાગરિકોની પાછળ છુપાઈને લડાઈ કરે છે અને માનવતાવાદી સહાય પહોંચાડવામાં અવરોધ સર્જે છે.
નરસંહારના દાવાઓનો ઇનકાર
રૂવેન અઝારે દાવો કર્યો કે ઇઝરાયલે ગાઝામાં અત્યાર સુધી 2 મિલિયન ટનથી વધુ ખાદ્ય સામગ્રી પહોંચાડી છે અને નરસંહારના તમામ આક્ષેપો ખોટા છે. તેમણે લોકોને “હમાસના આંકડાઓ પર વિશ્વાસ ન કરવા” વિનંતી કરી અને કહ્યું કે હમાસ જ નાગરિક જાનહાનિ માટે મુખ્ય રીતે જવાબદાર છે.
આ પણ વાંચો : INDIA Alliance Protest : રાહુલે કહ્યું, ચૂંટણી પંચ માટે હવે છુપાવવું ખૂબ મુશ્કેલ


