Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડ પર રેલ્વેનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું અધિકારીએ?

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી નાસભાગ અંગે રેલવે અધિકારીનું પહેલું નિવેદન સામે આવ્યું છે. આ ઘટના અંગે રેલવે અધિકારીએ શું કહ્યું વાંચો.
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડ પર રેલ્વેનું પહેલું નિવેદન  જાણો શું કહ્યું અધિકારીએ
Advertisement
  • દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી નાસભાગ અંગે રેલવે અધિકારીનું નિવેદન સામે આવ્યું
  • ન તો કોઈ ટ્રેન કેન્સલ કરવામાં આવી, ન તો કોઈ ટ્રેનનું પ્લેટફોર્મ બદલવામાં આવ્યું
  • આ ઘટનાની તપાસ ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે

Railways' first statement on stampede : નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી નાસભાગને લઈને નવા ખુલાસા થઈ રહ્યા છે. એક તરફ કુલીનું કહેવું છે કે પ્લેટફોર્મ બદલવાને કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી, તો બીજી તરફ આ ઘટના પર રેલવે અધિકારીનું પહેલું નિવેદન સામે આવ્યું છે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે ન તો કોઈ ટ્રેન કેન્સલ કરવામાં આવી હતી અને ન તો કોઈ ટ્રેનનું પ્લેટફોર્મ બદલવામાં આવ્યું હતું.

ભાગદોડ કેવી રીતે થઈ?

ઉત્તર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી હિમાંશુ શેખર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે પટના તરફ જતી મગધ એક્સપ્રેસ નવી દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 14 પર ઊભી હતી અને જમ્મુ તરફ જતી ઉત્તર સંપર્ક ક્રાંતિ પ્લેટફોર્મ નંબર 15 પર ઊભી હતી. આ દરમિયાન પ્લેટફોર્મ 14-15 તરફ આવી રહેલ એક મુસાફર લપસીને સીડી પર પડી ગયો હતો અને તેની પાછળ ઉભેલા અનેક મુસાફરો તેની સાથે અથડાયા હતા અને આ દુ:ખદ ઘટના બની હતી.

Advertisement

હિમાંશુ શેખર ઉપાધ્યાયે કહ્યું કે આ ઘટનાની તપાસ ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે. કોઈ ટ્રેન કેન્સલ કરવામાં આવી નથી કે પ્લેટફોર્મમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે, તેથી કમિટી તેનો રિપોર્ટ અને તારણો રજૂ કરે તે પહેલાં કંઈપણ કહેવું વહેલું ગણાશે. તેમનું કહેવું છે કે પ્લેટફોર્મ પર સ્થિતિ હવે સામાન્ય છે.

Advertisement

આ પણ વાંચો :  બાળકીનો હાથ સરકી ગયો, ભીડના કારણે બાળકી ધકેલાઈ ગઈ, લોખંડનો સળિયો માથામાં ઘુસી ગયો! દિલ્હી નાસભાગની દર્દનાક કહાની

Tags :
Advertisement

.

×