ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Indian Railways :રેલવે મુસાફરો માટે ખુશખબર! હવે આ ટિકિટ પર મળશે 20 ટકા ડિસ્કાઉન્ટ

તહેવારો દરમ્યાન મુસાફરો માટે  ખુશ ખબર ટિકિટના મૂળ ભાડા પર 20% ડિસ્કાઉન્ટ મળશે. યોજના ૧૪ ઓગસ્ટ ૨૦૨૫ થી શરૂ થશે Indian Railways : દેશમાં તહેવારો દરમ્યાન મુસાફરોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે રેલવેએ (Indian Railways) 'રાઉન્ડ ટ્રીપ પેકેજ'...
11:30 AM Aug 09, 2025 IST | Hiren Dave
તહેવારો દરમ્યાન મુસાફરો માટે  ખુશ ખબર ટિકિટના મૂળ ભાડા પર 20% ડિસ્કાઉન્ટ મળશે. યોજના ૧૪ ઓગસ્ટ ૨૦૨૫ થી શરૂ થશે Indian Railways : દેશમાં તહેવારો દરમ્યાન મુસાફરોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે રેલવેએ (Indian Railways) 'રાઉન્ડ ટ્રીપ પેકેજ'...
Ashwini Vaishnaw

Indian Railways : દેશમાં તહેવારો દરમ્યાન મુસાફરોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે રેલવેએ (Indian Railways) 'રાઉન્ડ ટ્રીપ પેકેજ' યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ, જે મુસાફરો નિર્ધારિત સમય મર્યાદામાં તેમની પરત યાત્રા બુક કરાવશે તેમને પરત ટિકિટના મૂળ ભાડા પર 20% ડિસ્કાઉન્ટ મળશે.આ યોજના ૧૪ ઓગસ્ટ ૨૦૨૫ થી શરૂ થશે. આ અંતર્ગત જવાની મુસાફરી માટે ટિકિટ ૧૩ ઓક્ટોબર ૨૦૨૫ થી ૨૬ ઓક્ટોબર ૨૦૨૫ ની વચ્ચેની તારીખ માટે બુક કરાવવાની રહેશે. રિટર્ન ટિકિટ બુક કરાવવા માટે એડવાન્સ રિઝર્વેશન સમયગાળો લાગુ થશે નહીં. રિટર્ન મુસાફરીના મૂળ ભાડા પર જ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

કોણે મળશે છૂટ (Indian Railways )

રેલ્વે અનુસાર, આ યોજના હેઠળ, જો કોઈ મુસાફર આવનારી અને જતી બંને બાજુની ટિકિટ એકસાથે બુક કરાવે છે, તો પરત ફરવાના મૂળ ભાડા પર 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.આ ડિસ્કાઉન્ટ ફક્ત તે મુસાફરોને જ આપવામાં આવશે જેઓ આવનારી અને જતી બંને બાજુની ટિકિટ એક જ નામ અને વિગતો સાથે બુક કરાવશે. બંને ટિકિટ એક જ વર્ગ અને એક જ સ્ટેશન જોડી ((O-D Pair) ની હોવી જોઈએ. આવનારી ટિકિટ: 13 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર 2025 વચ્ચેની મુસાફરી માટે હોવી જોઈએ. જ્યારે રિટર્ન ટિકિટ 17 નવેમ્બરથી 1 ડિસેમ્બર 2025 વચ્ચેની મુસાફરી માટે હોવી જોઈએ.

આ પણ  વાંચો -Ministry of Defence : ઈન્ડિયન આર્મી અને એરફોર્સને મળશે નવા 200 હાઈટેક હેલિકોપ્ટર્સ

કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? (Indian Railways )

આ નવી યોજના મુજબ, આવનારી ટિકિટ પહેલા બુક કરાવવાની રહેશે અને તે પછી કનેક્ટિંગ જર્ની સુવિધા સાથે રિટર્ન ટિકિટ બુક કરાવવામાં આવશે. રિટર્ન ટિકિટ બુક કરાવતી વખતે એડવાન્સ રિઝર્વેશન પીરિયડ (ARP) નો નિયમ લાગુ પડશે નહીં. શરત એ છે કે બંને બાજુની ટિકિટ ફક્ત કન્ફર્મ હોવી જોઈએ. ટિકિટમાં કોઈ ફેરફાર (Modification) )કરી શકાશે નહીં. રિફંડની કોઈ સુવિધા રહેશે નહીં. રિટર્ન ટિકિટ બુક કરાવતી વખતે અન્ય કોઈ ડિસ્કાઉન્ટ, વાઉચર, પાસ, પીટીઓ કે રેલ મુસાફરી કૂપન લાગુ પડશે નહીં.આ યોજના તમામ વર્ગો અને તમામ ટ્રેનોમાં લાગુ પડશે, જેમાં સ્પેશ્યલ ટ્રેનો (Trains on Demand)નો સમાવેશ થાય છે. ફ્લેક્સી ફેર ધરાવતી ટ્રેનોમાં આ સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. બંને ટિકિટો એક જ માધ્યમથી બુક કરાવવાની રહેશે - કાં તો ઓનલાઈન (ઈન્ટરનેટ) અથવા રિઝર્વેશન કાઉન્ટર પરથી. જો ચાર્ટ તૈયાર કરતી વખતે ભાડામાં કોઈ તફાવત હોય, તો મુસાફરો પાસેથી કોઈ વધારાના પૈસા લેવામાં આવશે નહીં.

આ પણ  વાંચો -Weather Forecast: દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ, યુપીમાં નદીઓમાં પૂર, ઉત્તરાખંડમાં યલો એલર્ટ

આ યોજના પાછળનું કારણ શું છે?

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ માને છે કે આ ઓફરથી તહેવારો દરમિયાન મુસાફરોની ભીડ અલગ અલગ તારીખે વહેંચાઈ જશે. બંને બાજુથી ખાસ ટ્રેનોનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવશે અને મુસાફરો સરળતાથી ટિકિટ મેળવી શકશે. આ માટે, રેલ્વેએ પ્રેસ, મીડિયા અને સ્ટેશનો પર જાહેરાતો દ્વારા વ્યાપક પ્રચાર કરવા સૂચનાઓ આપી છે.

Tags :
Festival travel dealsFestive Season Train TicketsIndian RailwaysRailway bookingRound Trip PackageTrain ticket discount
Next Article