Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ram Mandir Inauguration: 32 વર્ષ સુધી કરેલી PM Modi ની તપસ્યા 22 જાન્યુ. એ સફળશે

Ram Mandir Inauguration: PM Narendra Modi 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ ખાસ દિવસને લઈને દેશભરમાં તૈયારીઓ થઈ રહી છે. જ્યારે PM Modi પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપે છે, ત્યારે તે તસવીર તેમને તેમની ભૂતકાળની તસવીરની પણ યાદ...
ram mandir inauguration  32 વર્ષ સુધી કરેલી pm modi ની તપસ્યા 22 જાન્યુ  એ સફળશે
Advertisement

Ram Mandir Inauguration: PM Narendra Modi 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ ખાસ દિવસને લઈને દેશભરમાં તૈયારીઓ થઈ રહી છે. જ્યારે PM Modi પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપે છે, ત્યારે તે તસવીર તેમને તેમની ભૂતકાળની તસવીરની પણ યાદ અપાવશે, જે લગભગ 32 વર્ષ જૂની છે.

આ 32 વર્ષ જૂની ક્ષણ 14 જાન્યુઆરી 1992 ના રોજ આવી હતી અને મંદિર નિર્માણની યાત્રામાં તેનું ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. હકીકતમાં 32 વર્ષ પહેલા 14 જાન્યુઆરી 1992 ના રોજ PM Modi કન્યાકુમારીથી કાશ્મીર સુધી એકતા યાત્રા કાઢીને અયોધ્યામાં રામજન્મભૂમિ પહોંચ્યા હતા.

Advertisement

Ram Mandir Inauguration

Ram Mandir Inauguration

Advertisement

રામલલાને ટેન્ટમાં જોઈને ઠરાવ કર્યો હતો

જ્યારે તેઓ અયોધ્યામાં રામજન્મભૂમિ પહોંચ્યા ત્યારે રામલલા તંબુમાં બેઠા હતા. અહીં તેમણે ભગવાન શ્રી રામના દર્શન કર્યા અને લાંબા સમય સુધી મૂર્તિને જોતા રહ્યા. દર્શન બાદ જ્યારે એક પત્રકારે PM Modi ને પૂછ્યું કે તેઓ અહીં ક્યારે આવશે તો તેમણે કહ્યું કે મંદિર બન્યા બાદ જ તેઓ અયોધ્યા પાછા ફરશે.

PM Modi એ 11 દિવસની વિશેષ વિધિ શરૂ કરી છે

આ યાત્રા PM Modi એ 1992 માં RSS ના ભૂતપૂર્વ પ્રચારક અને ગુજરાતના મહાસચિવ મુરલી મનોહર જોશી સાથે કરી હતી. અયોધ્યામાં PM Modi રામ મંદિરને લઈને કેટલા ગંભીર હતા તેનો અંદાજ 1998 માં મોરેશિયસમાં ઈન્ટરનેશનલ રામાયણ કોન્ફરન્સમાં આપેલા તેમના ભાષણ પરથી પણ લગાવી શકાય છે. ત્યારબાદ લોકોને સંબોધિત કરતી વખતે તેમણે શ્રી રામના જન્મસ્થળ અયોધ્યામાં મંદિર નિર્માણ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતો.

હવે જ્યારે અહીં મંદિર તૈયાર થઈ ગયું છે, ત્યારે પીએમ PM Modi એ પણ 22 જાન્યુઆરીએ ઉદ્ઘાટનના 11 દિવસ પહેલા એક વિશેષ વિધિ શરૂ કરી છે. આ વિધિ અંતર્ગત તે 22 જાન્યુઆરી સુધી ઉપવાસ કરશે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના એક સપ્તાહ પહેલા 16 જાન્યુઆરીથી શ્રી રામ જન્મભૂમિ મંદિર પરિસરમાં વૈદિક અનુષ્ઠાન શરૂ થશે.

આ પણ વાંચો: Bhajanlal Government: ભજનલાલ સરકારનો મોટો નિર્ણય, 22 જાન્યુઆરીએ દારૂની દુકાનો રહેશે બંધ

Tags :
Advertisement

.

×