સંભલ નરસંહાર પર CM યોગીનું નિવેદન, "ગુનેગારોને સજા કેમ નથી મળી?"
- સંભલ નરસંહાર પર CM યોગીનો સવાલ
- 46 વર્ષ બાદ પણ ન્યાય બાકી : CM યોગી
- 46 વર્ષ જૂના કાનૂની વિવાદ પર ચર્ચા
ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે સંભલ પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે 46 વર્ષ પહેલા સંભલમાં જે ગુનેગારોએ નરસંહાર કર્યો હતો તેમને આજ સુધી સજા કેમ નથી થઈ? આની ચર્ચા કેમ નથી થતી? CM યોગીએ કહ્યું કે અયોધ્યા આવતા લોકો ખુશ છે. શું પ્રશાસને રાતોરાત સંભલમાં આવું પ્રાચીન મંદિર બનાવ્યું? બજરંગબલીની આવી પ્રાચીન પ્રતિમા ત્યાં રાતોરાત દેખાઈ?
CM યોગીએ કહ્યું કે આજે જ્યારે અયોધ્યા આનંદથી ભરેલી છે, જે લોકોએ બંધારણમાં ગુપ્ત રીતે સેક્યુલર શબ્દ દાખલ કર્યો છે તે લોકો ઘરોમાં બેસીને શોક મનાવી રહ્યા છે. તેઓ ચિંતિત છે કે, અયોધ્યામાં રામ મંદિર કેવી રીતે બન્યું? અયોધ્યા આટલી ભવ્ય અને દિવ્ય કેવી રીતે બની? તેઓ ચિંતિત છે કે કાશી વિશ્વનાથનું પરિવર્તન કેવી રીતે થયું?
Lucknow: UP CM Yogi Adityanath says, "...Yesterday, during the Parliament's discussion on the Constitution, the issue of Sambhal came up. It was during their rule, 46 years ago, that a temple in Sambhal was forcibly closed. Today, that ancient temple has re-emerged, bringing… pic.twitter.com/5b0BDeKzxl
— IANS (@ians_india) December 15, 2024
આ પણ વાંચો : પુત્રવધૂ નિકિતા સહિત 3 લોકોની ધરપકડ, Atul Subhash ના પિતાનું દાર્દભર્યું નિવેદન
યોગી આદિત્યનાથે WHEF માં આપી હતી હાજરી...
અગાઉ ગઈકાલે મુંબઈમાં CM યોગી આદિત્યનાથે મુંબઈમાં વર્લ્ડ હિન્દુ ઈકોનોમિક ફોરમ (WHEF)ની વાર્ષિક કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે ભાજપ સરકારમાં કામદારોના સન્માનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, PM નરેન્દ્ર મોદીએ રામ મંદિર બનાવનારા કાર્યકરોનું સન્માન કર્યું. તાજમહેલ બનાવનાર મજૂરોના હાથ કાપી નાખવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Jammu and Kashmir રિયાસીમાં આતંકવાદી ઠેકાણું પકડાયું, અરનિયામાં ડ્રોન ઝડપાયું
રામ મંદિર બનાવનાર કામદારોનું સન્માન...
યોગી આદિત્યનાથે કહ્યું, "તમે જોયું જ હશે કે કેવી રીતે 22 જાન્યુઆરીના રોજ PM નરેન્દ્ર મોદી રામ મંદિર બનાવનાર કામદારોનું સન્માન કરી રહ્યા હતા. એક તરફ PM તેમના પર ફૂલ વરસાવી રહ્યા હતા, તો બીજી તરફ, આ પહેલાની સ્થિતિ. એવું કહેવાય છે કે, તાજમહેલ બનાવનારા મજૂરોના હાથ કાપી નાખવામાં આવ્યા હતા. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે ઈતિહાસમાં કાપડ ઉદ્યોગમાં કામ કરતા કામદારોના હાથ પણ કાપી નાખવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર પરંપરા અને વારસાનો નાશ થયો હતો.
આ પણ વાંચો : Atul Subhash આત્મહત્યા કેસમાં માતા, પત્ની અને ભાઈની ધરપકડ


