દિલ્હીમાં વધતા પ્રદૂષણ પર શશિ થરૂરે ચિંતા વ્યક્ત કરી
- શશિ થરૂર: દિલ્હી રાજધાની રહેશે કે નહીં? વાયુ પ્રદૂષણ પર મોટો સવાલ!
- દિલ્હીનું AQI 500 ને પાર, ઢાકા પછી સૌથી વધુ પ્રદૂષિત શહેર!
- વાયુ પ્રદૂષણ: શશિ થરૂરે ઉઠાવ્યા ગંભીર સવાલો, સરકારને કર્યો પડકાર!
- દિલ્હીનું AQI ગંભીર સ્તર કરતાં 4 ગણું વધુ, થરૂરની ચિંતા વધી!
- દિલ્હીમાં શ્વાસ લેવો મુશ્કેલ: શું દિલ્હી હજી રાજધાની રહેવી જોઈએ?
Shashi Tharoor : દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણને લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે આ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમનું માનવું છે કે હવાની નબળી ગુણવત્તાને કારણે નવેમ્બરથી જાન્યુઆરીની વચ્ચે દિલ્હીમાં રહેવું અનુકૂળ નથી, અને આ સાથે તેમણે સવાલ કર્યો છે કે શું દિલ્હી ભારતની રાજધાની રહેવી જોઈએ.
દિલ્હીનું AQI અને વૈશ્વિક સ્તરે પરિસ્થિતિ
શશિ થરૂરે ટ્વિટર પર લખ્યું કે, "દિલ્હી હવે ઢાકા પછી વૈશ્વિક સ્તરે સૌથી વધુ પ્રદૂષિત શહેર છે." તેઓએ સ્વિસ એર ક્વોલિટી ટેક્નોલોજી કંપની IQAirના એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ડેટાને ટાંકીને જણાવ્યું કે, "દિલ્હીનું AQI ખતરનાક સ્તર કરતાં 4 ગણું વધુ છે અને તે ઢાકાની તુલનામાં લગભગ 5 ગણું વધારે ખતરનાક છે." તેઓએ તે વાત પણ રજૂ કરી કે, "તે અમાનવીય છે કે આપણી સરકાર વર્ષોથી આવું થતું જોઈ રહી છે અને તેના વિશે કંઈ કરી રહી નથી." થરૂરે આગળ કહ્યું કે, તેઓ 2015 થી સાંસદો સહિત નિષ્ણાતો અને હિતધારકો માટે એર ક્વોલિટી રાઉન્ડટેબલ ચલાવી રહ્યા હતા, પરંતુ તેમણે ગયા વર્ષે તેને છોડી દીધું કારણ કે કશું બદલાતું નહોતું અને કોઈને પણ તેનો કોઇ ફરક પડતો નહતો.
Delhi is officially the most polluted city in the world, 4x Hazardous levels and nearly five times as bad as the second most polluted city, Dhaka. It is unconscionable that our government has been witnessing this nightmare for years and does nothing about it. I have run an Air… pic.twitter.com/sLZhfeo722
— Shashi Tharoor (@ShashiTharoor) November 18, 2024
પ્રદૂષણના ખતરામાં વધારો
દિલ્હી અને નેશનલ કેપિટલ રીઝન (NCR)માં શ્વાસ લેવામાં ગમ્મત અને તકલીફ જણાઈ રહી છે. આ ઉપરાંત, AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ)નું સ્તર મંગળવારના રોજ 500 પોઈન્ટને પર કરી ગયું હતું, જે ખતરનાક રીતે ઉચ્ચ છે. આ ખતરનાક AQI, લોકોના સ્વાસ્થ્ય અને સલામતી અંગે ચિંતાઓ ઊભી કરે છે.
અહીં AQI 500થી વધુ
મંગળવારે સવારે, શહેરનો હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 500 પોઈન્ટ (ગંભીર કરતાં વધુ)ને સ્પર્શતો જોવા મળ્યો હતો. આ વિસ્તારમાં સતત સાતમા દિવસે ધુમ્મસનું ગાઢ સ્તર યથાવત રહ્યું હતું. શહેરનો AQI સોમવારે 494, રવિવારે 441 અને શનિવારે 417 હતો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, મંગળવારે સવારે 5 વાગ્યે દિલ્હીના આનંદ વિહાર, અશોક વિહાર, બવાના, જહાંગીરપુરી, મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ અને અન્ય કેટલાક સ્થળોનો હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 500 ના આંકને સ્પર્શી ગયો હતો.
શશિ થરૂરના સવાલ: શું દિલ્હી રાજધાની રહેશે?
થરૂરે કહ્યું, "જો શહેર નવેમ્બરથી જાન્યુઆરી સુધી હવામાં ધૂમ્મસ અને પ્રદૂષણના કારણે રહેવા માટે અયોગ્ય બની જાય છે, તો શું તે હજી રાજધાની તરીકે રહેવી જોઈએ?" આ સવાલ તેમણે સરકારને પડકારતાં પુછ્યો છે.
આ પણ વાંચો: વાયુ પ્રદૂષણથી બચવા માટે તબીબી નિષ્ણાતોની મહત્વપૂર્ણ સલાહ, ખાસ વાંચી લો નહીં તો..!


