Shocking : ગ્રેટર નોઈડામાં કળિયુગી પુત્રએ વીમાના પૈસા માટે પિતાની કરી હત્યા
- વીમાના પૈસા માટે પુત્રનો ક્રૂર ખેલ, પિતાની જ હત્યા કરી નાખી
- ગ્રેટર નોઈડામાં કળિયુગી પુત્રનો પિતા વિરુદ્ધ ઘાતકી ષડયંત્ર
- પિતાની હત્યા પછી વીમાના 50 લાખ પડાવ્યા, પોલીસે ભેદ ઉકેલ્યો
- આર્થિક કટોકટી વચ્ચે પુત્ર બની ગયો પિતાનો કાતિલ!
- વિમાની લાલચ, પુત્રએ જ પિતાને મોતને ઘાટ ઉતાર્યો
- 7 મહિના પછી હકીકત સામે આવી! પોલીસ તપાસમાં પુત્ર થયો એક્સપોઝ
- ઘરના લોનના દબાણ વચ્ચે પિતાની જિંદગીનો સોદો!
- પોલીસ તપાસમાં ખુલાસો: પિતાની હત્યા પાછળ પુત્રની વીમા લાલચ
Greater Noida murder case : ગ્રેટર નોઈડામાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે, જેમાં આર્થિક સંકટ (financial crisis) થી પરેશાન એક પુત્રએ વીમાની રકમ (insurance money) હડપ કરવા માટે પોતાના પિતાની જ હત્યા કરી દીધી. 7 મહિનાની સઘન તપાસ બાદ કાસના કોતવાલી પોલીસે આ અંધ હત્યા કેસનો પર્દાફાશ કર્યો અને આરોપી પુત્રની ધરપકડ કરી છે. આ ઘટનાએ સમાજમાં આર્થિક દબાણ (economic pressure) અને નૈતિક મૂલ્યોના પતન પર સવાલો ઉભા કર્યા છે.
ઘટનાની પૃષ્ઠભૂમિ
ગ્રેટર નોઈડાના એડીસીપી સુધીર કુમારે જણાવ્યું કે, મૃતક પ્રકાશ બોસાક મૂળ બિહારના કિશનગંજનો રહેવાસી હતો અને સિકંદરાબાદના બિસ્વા ગામમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. 8 ઓગસ્ટ, 2024ના રોજ કાસના કોતવાલી વિસ્તારના એક જંગલમાં પ્રકાશ બોસાકની લાશ મળી આવી હતી. તેના શરીર પર છરીના ઘા હતા, જેનાથી સ્પષ્ટ થયું કે તેની હત્યા કરવામાં આવી હતી. શરૂઆતમાં, મૃતકના પુત્ર સંતોષે અજાણ્યા લોકો પર હત્યાનો આરોપ મૂકીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે આ હત્યા સંતોષે જ કરી હતી.
આર્થિક સંકટ અને લોનનો બોજ
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રકાશ બોસાક લગભગ 20 વર્ષથી પરિવાર સાથે નોઈડામાં ભાડાના મકાનમાં રહેતા હતા. વર્ષ 2022માં પ્રકાશ અને તેમના મોટા પુત્ર સંતોષે એક ખાનગી બેંકમાંથી 12.5 લાખ રૂપિયાની હોમ લોન લઈને બુલંદશહેરમાં ઘર ખરીદ્યું હતું. આ લોનનો માસિક હપ્તો 12,500 રૂપિયા હતો, જે ચૂકવવામાં પરિવારને મુશ્કેલી પડી રહી હતી. આ સમસ્યાને હલ કરવા સંતોષ અને પ્રકાશે બીજી લોન લેવાનું નક્કી કર્યું. તેમણે એક કંપની પાસેથી 21 લાખ રૂપિયાની લોન લીધી, જેમાંથી 12.5 લાખ રૂપિયા હોમ લોન ચૂકવવામાં વપરાયા અને બાકીના 7.69 લાખ રૂપિયા સંતોષે પોતાની મસાલા પેકેજિંગની પેઢી ‘પીએસજી મસાલા’ના ખાતામાં જમા કરાવ્યા. આ લોનનો માસિક હપ્તો 27,000 રૂપિયા હતો, જે પરિવાર માટે ભારે બની ગયો.
વીમાની રકમ માટે હત્યાનું ષડયંત્ર
આ બીજી લોનમાં પ્રકાશનો 60 ટકા જીવન વીમો સામેલ હતો. શરૂઆતમાં હપ્તા ચૂકવવામાં કોઈ મુશ્કેલી ન હતી, પરંતુ ધીમે-ધીમે પૈસા ખૂટવા લાગ્યા અને સંતોષનો મસાલા વ્યવસાય પણ નુકસાનમાં ચાલવા લાગ્યો. આ દરમિયાન સંતોષને જાણ થઈ કે તેના પિતાએ 25 લાખ રૂપિયાની બે જીવન વીમા પોલિસી લીધી છે, જેમાં તેની માતા નોમિની હતી. આર્થિક તંગીથી પીડાતા સંતોષે નક્કી કર્યું કે પિતાની હત્યા કરીને વીમાના લગભગ 50 લાખ રૂપિયા મેળવી લેવામાં આવે. આ યોજના હેઠળ, તેણે પોતાના પિતા પ્રકાશ બોસાકને છરીના ઘા મારીને મારી નાખ્યા.
હત્યા બાદ વીમાની રકમ મેળવી
પોલીસના જણાવ્યા મુજબ, હત્યા કર્યા બાદ સંતોષે તાત્કાલિક પિતાનું મૃત્યુ પ્રમાણપત્ર બનાવ્યું અને 3 મહિનાની અંદર વીમાની રકમ તેની માતાના બેંક ખાતામાં જમા કરાવી દીધી. આ રકમ લગભગ 50 લાખ રૂપિયા હતી. આ ઝડપી નાણાકીય લેવડદેવડથી પોલીસને સંતોષ પર શંકા ગઈ. 7 મહિનાની વિગતવાર તપાસ બાદ પોલીસે સંતોષને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરી, જેમાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો.
આ પણ વાંચો : નીતિન ગડકરીનું અત્યાર સુધીનું સૌથી મોટું નિવેદન! કહ્યું - નેતાઓએ ઉભો કર્યો જાતિવાદ


