Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

JNU માં 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન પથ્થરમારો, તંગ સ્થિતિ સર્જાઈ

ગુરુવારે દિલ્હી સ્થિત જ્વાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)ના કેમ્પસમાં ફિલ્મ 'The Sabarmati Report' ની સ્ક્રીનિંગ દરમિયાન તંગ સ્થિતિ સર્જાઈ હતી. PTI ની માહિતી મુજબ, સ્ક્રીનિંગ દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી. આ ફિલ્મની સ્ક્રીનિંગ ABVP (અખિલ ભારતીય વિદ્યાર્થિ પરિષદ) દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ABVP એ આક્ષેપ કર્યો કે સ્ક્રીનિંગ શરૂ થયા બાદ ફક્ત 10 મિનિટમાં કેટલાક અનિચ્છનીય તત્વોએ પથ્થરમાર કર્યો, જેના કારણે કેટલાક લોકો ઘાયલ થયા હતા. ABVP ના જણાવ્યા અનુસાર, આ ઘટના અત્યંત નિંદનીય છે.
jnu માં  ધ સાબરમતી રિપોર્ટ  ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન પથ્થરમારો  તંગ સ્થિતિ સર્જાઈ
Advertisement
  • JNU માં "ધ સાબરમતી રિપોર્ટ" ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન પથ્થરમારો
  • ABVP દ્વારા આયોજીત ફિલ્મ સ્ક્રીનિંગમાં હિંસા
  • JNU માં ફિલ્મ સ્ક્રીનિંગમાં તંગદિલી, કેટલાક ઘાયલ
  • "ધ સાબરમતી રિપોર્ટ" ફિલ્મ: JNU માં પથ્થરમારાનો વિવાદ
  • ABVP નો આક્ષેપ: JNU માં ફિલ્મ સ્ક્રીનિંગ દરમિયાન હુમલો

ગુરુવારે દિલ્હી સ્થિત જ્વાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)ના કેમ્પસમાં ફિલ્મ 'The Sabarmati Report' ની સ્ક્રીનિંગ દરમિયાન તંગ સ્થિતિ સર્જાઈ હતી. PTI ની માહિતી મુજબ, સ્ક્રીનિંગ દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી. આ ફિલ્મની સ્ક્રીનિંગ ABVP (અખિલ ભારતીય વિદ્યાર્થિ પરિષદ) દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ABVP એ આ અંગે આક્ષેપ કર્યો કે સ્ક્રીનિંગ શરૂ થયા બાદ ફક્ત 10 મિનિટમાં કેટલાક અનિચ્છનીય તત્વોએ પથ્થરમાર કર્યો, જેના કારણે કેટલાક લોકો ઘાયલ થયા હતા. ABVP ના જણાવ્યા અનુસાર, આ ઘટના અત્યંત નિંદનીય છે.

ABVP નું નિવેદન અને ફિલ્મ વિશે માહિતી

ABVP ના JNU પ્રમુખ રાજેશ્વર કાંત દુબેએ કહ્યું કે, "અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયેલી અને અનેક રાજ્યોમાં કરમુક્ત થયેલી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'ના સ્ક્રીનિંગનું આયોજન કર્યું છે." આ ફિલ્મ સાબરમતી એક્સપ્રેસની ઘટનાઓને દર્શાવે છે, જેમાં 27 ફેબ્રુઆરી 2002ના રોજ 59 કારસેવકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. રાજેશ્વર કાંત દુબેએ વધુમાં જણાવ્યું કે અમે અગાઉ પણ JNU માં આવી ફિલ્મો બતાવી ચૂક્યા છીએ.

Advertisement

Advertisement

ફિલ્મની રજૂઆત અને મુખ્ય પાત્રો

'ધ સાબરમતી રિપોર્ટ' 15 નવેમ્બર, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ધીરજ સરના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં વિક્રાંત મેસી, રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરાએ મુખ્ય ભૂમિકા ભજવી છે. ફિલ્મના નિર્માતાઓમાં શોભા કપૂર, એકતા આર કપૂર, અમૂલ મોહન અને અંશુલ મોહનનો સમાવેશ થાય છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ સાથીદારો અને ભાજપના સાંસદો સાથે નવી સંસદ બિલ્ડીંગમાં આ ફિલ્મ જોઈ હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, રાજનાથ સિંહ અને નીતિન ગડકરી સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો:  Hathras : “સરકાર ન્યાય આપવાને બદલે અત્યાચાર કરી રહી છે!” રાહુલ ગાંધીનો ગંભીર આક્ષેપ

Tags :
Advertisement

.

×