Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ મુદ્દે સુપ્રીમ કોર્ટની કેન્દ્રને નોટિસ

સુપ્રીમ કોર્ટે પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ, 1991 ને પડકારતી અરજીઓ પર સુનાવણી શરૂ કરી છે. આ અરજીઓ ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સિસ્ટ), ઈન્ડિયન મુસ્લિમ લીગ, એનસીપી શરદ પવાર, આરજેડી સાંસદ મનોજ કુમાર ઝા સહિત 6 પક્ષોએ દાખલ કરી છે. સુનાવણી દરમિયાન, કોર્ટે કેન્દ્ર સરકારને 4 અઠવાડિયામાં જવાબ માગ્યો છે અને નીચલી અદાલતોને આવા કેસોમાં આદેશ આપવાનું રોકી દીધું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આગામી સુનાવણી સુધી કોઈ નવી અરજી દાખલ કરી શકાશે નહીં. કોર્ટે તમામ પક્ષકારોને તેમની દલીલો સંપૂર્ણ રીતે તૈયાર રાખવા જણાવ્યું છે.
પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ મુદ્દે સુપ્રીમ કોર્ટની કેન્દ્રને નોટિસ
Advertisement
  • Places of Worship Act મુદ્દે સુપ્રીમ કોર્ટની કેન્દ્રને નોટિસ
  • સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી 4 સપ્તાહમાં માગ્યો જવાબ
  • નીચલી અદાલતો આવા કેસમાં આદેશ નહીં આપેઃ સુપ્રીમ કોર્ટ
  • આગામી સુનાવણી સુધી નવી કોઈ અરજી દાખલ નહીં કરાય
  • હાલમાં મંદિર-મસ્જિદની કોઈ અરજી નહીં થઈ શકે દાખલ
  • તમામ પક્ષકારોને તર્ક સાથે હાજર રહેવા સુપ્રીમ કોર્ટનો આદેશ
  • અનેક મુદ્દા ઉઠાવાયા છે, અમે વિચાર કરીશુંઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર (Central Government) ને પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટ (Places of Worship Act) માં નોટિસ પાઠવી છે. આજથી (12 ડિસેમ્બર) સુપ્રીમ કોર્ટમાં પ્લેસ ઓફ વર્શીપ એક્ટ-1991ને પડકારતી અરજીઓ પર સુનાવણી શરૂ થઈ. સુનાવણી દરમિયાન CJI સંજીવ ખન્ના, જસ્ટિસ પીવી સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની સ્પેશિયલ બેન્ચે કહ્યું કે અમે એક વાત સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આગામી સુનાવણી સુધી કોઈ નવી અરજી દાખલ કરી શકાશે નહીં. કોર્ટે તમામ પક્ષકારોને તેમની દલીલો સંપૂર્ણ રીતે તૈયાર રાખવા જણાવ્યું હતું જેથી કેસનો ઝડપથી નિકાલ થઈ શકે. આ અરજી સીપીઆઈ-એમ, ઈન્ડિયન મુસ્લિમ લીગ, એનસીપી શરદ પવાર, આરજેડી સાંસદ મનોજ કુમાર ઝા સહિત 6 પક્ષોએ દાખલ કરી છે.

સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસ પર કેન્દ્ર સરકારનો આદેશ

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પેન્ડિંગ અરજીઓ પર 4 અઠવાડિયામાં જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ (CJI)એ પૂછ્યું કે મથુરા અને જ્ઞાનવાપી સહિત કેટલી અરજીઓ પેન્ડિંગ છે? CJIએ કહ્યું કે, તમામ પક્ષકારો પોતાના જવાબ 4 અઠવાડિયામાં દાખલ કરે. આ સુનાવણી માટે તમામ દલીલો તૈયાર રાખવામાં આવવી જોઈએ જેથી કેસનો ઝડપી નિકાલ થઈ શકે.

Advertisement

Advertisement

કેસની નવી અરજીઓ પર રોક

CJIએ સ્પષ્ટ કર્યું છે કે, મામલો સબજ્યુડિસ છે અને નિકાલ સુધી કોઈ નવી અરજીઓ દાખલ થઈ શકશે નહીં. સુપ્રીમ કોર્ટે અગાઉના રામજન્મભૂમિ કેસનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે જે કેસ નોંધાયા છે તે ચાલુ રહેશે. વરિષ્ઠ વકીલ રાજુ રામચંદ્રને દલીલ કરી હતી કે જે કેસ ચાલી રહ્યા છે તેમાં હાલમાં કોઈપણ કાર્યવાહી પર રોક જરૂરી છે. CJIએ વધુ પૂછ્યું કે અત્યારે કેટલા કેસ પેન્ડિંગ છે અને એમ પણ ઉલ્લેખ કર્યો કે મથુરાના એક અને જ્ઞાનવાપીના એક કેસની જાણ છે. સોલિસિટર જનરલ (SG)એ પ્રશ્ન ઉઠાવ્યો કે શું કોઈ અજાણી વ્યક્તિ, જે પક્ષકાર નથી, આવીને સમગ્ર કાર્યવાહી અટકાવવા કહી શકે છે. આ મુદ્દો ચર્ચાનો છે.

1991ના પૂજાના સ્થાનો અધિનિયમ અંગે ચર્ચા

CJIએ કહ્યું કે પૂજાના સ્થાનો અધિનિયમ, 1991 અનુસાર, 15 ઓગસ્ટ 1947ના રોજ જે પૂજાના સ્થળોની સ્થિતિ હતી તે જાળવી રાખવાની જોગવાઇ છે. આ કાયદો સ્થળોની સ્થિતિમાં ફેરફાર પર પ્રતિબંધ મૂકે છે. આ કાયદામાં અયોધ્યાના રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને બહાર રાખવામાં આવ્યો હતો. કોર્ટે આ કાયદાને પડકારતી અરજીઓ પર જણાવ્યું કે કેસની સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવી છે અને ત્યાં સુધી સ્થિતિ જેમની તેમ જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો છે.

5 ડિસેમ્બરે સુનાવણી થવાની હતી

અગાઉ આ કેસની સુનાવણી 5 ડિસેમ્બરે થવાની હતી, પણ તે આગામી સુનાવણી માટે આગળ ધપાવવામાં આવી છે. 5 ડિસેમ્બરના રોજ CJI સંજીવ ખન્ના, જસ્ટિસ પીવી સંજય કુમાર અને જસ્ટિસ મનમોહનની બેંચે આ કેસને આગળ ધપાવ્યો. અરજી દાખલ કરનારાઓમાં ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી, વાર્તાકાર દેવકીનંદન ઠાકુર અને વકીલ અશ્વિની ઉપાધ્યાય સહિત હિન્દુ પક્ષના દાવેદારોનો સમાવેશ થાય છે. હિન્દુ પક્ષનું કહેવું છે કે 1991નો અધિનિયમ હિન્દુ, જૈન, બૌદ્ધ અને શીખ સમુદાયો સામે છે, જેની અસરથી તેઓ પોતાના પ્રાચીન તીર્થસ્થળો પર કબજો જમાવી શકતા નથી.

આ પણ વાંચો:  "One Nation, One Election" બીલને કેબિનેટની મંજૂરી, સંસદમાં રજૂઆતનો માર્ગ ખુલ્યો!

Tags :
Advertisement

.

×