Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Stand-up Comedian સમય રૈનાને માફી માંગવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ, જાણો શું છે સમગ્ર મામલો?

યુટ્યુબ પર વિવાદિત ટિપ્પણી કરવા બદલ હાસ્ય કલાકારો મુશ્કેલીમાં. કોર્ટે તેમના કન્ટેન્ટને હવે 'વ્યાપારી ભાષણ' ગણાવ્યું.
stand up comedian સમય રૈનાને માફી માંગવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ  જાણો શું છે સમગ્ર મામલો
Advertisement

Advertisement

  • Stand-Up Comedian ને Supreme Court ની ફટકાર
  • દિવ્યાંગો પર ટિપ્પણી મુદ્દે માફી માગવાનો આદેશ
  • યુટ્યૂબર રણવીર અલ્હાબાદિયાને ફટકાર લગાવી
  • દિવ્યાંગોની ભાવનાઓને કચડવામાં આવી: SC
  • વીડિયો બનાવીને સાર્વજનિક માફી માગે: SC
  • કમાણી માટે મજાક સ્વીકારી નહીં લેવાયઃ SC

Stand-Up Comedian : સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા અને યુટ્યુબ ઇન્ફ્લુએન્સર્સ માટે એક મોટો અને કઠોર નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ પૈસા કમાનારા ઈન્ફ્લુઅન્સરનું કંટેન્ટ હવે વાણી સ્વતંત્રતાની શ્રેણીમાં નહીં આવે, પરંતુ તેને વ્યાપારી ભાષણ ગણવામાં આવશે. સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાના એક શો સાથે સંબંધિત વિવાદ બાદ આ નિર્ણય આવ્યો છે, જેમાં દિવ્યાંગજન અને માતાપિતા પર કથિત રીતે અસંવેદનશીલ ટિપ્પણી કરવામાં આવી હતી.

Advertisement

આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે સમય રૈના, રણવીર અલ્હાબાદિયા, વિપુલ ગોયલ અને અન્ય હાસ્ય કલાકારો પર દિવ્યાંગજન વિશે વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો. તેના જવાબમાં, સુપ્રીમ કોર્ટે રણવીર અલ્હાબાદિયા સહિત તમામ હાસ્ય કલાકારોને તેમની યુટ્યુબ ચેનલો અને પોડકાસ્ટ પર જાહેરમાં બિનશરતી માફી માંગવાનો આદેશ આપ્યો છે. રણવીર અલ્હાબાદિયાને માતાપિતા વિશેની તેમની ટિપ્પણી માટે ખાસ માફી માંગવા માટે પણ કહેવામાં આવ્યું છે. આ વિવાદ પછી, સમય રૈનાએ તેમનો શો "ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ" બંધ કરવો પડ્યો.

જાગૃતિ ફેલાવવાનો આદેશ 

સુપ્રીમ કોર્ટે સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA) થી પીડાતા બાળકોના માતાપિતાની પ્રશંસા કરી જેમણે આ અસંવેદનશીલ ટિપ્પણી સામે અવાજ ઉઠાવ્યો. કોર્ટે કહ્યું કે હાસ્ય કલાકારોએ જાહેરમાં માફી માંગવી પડશે એટલું જ નહીં, પરંતુ એક સોગંદનામું પણ રજૂ કરવું પડશે. આ સોગંદનામામાં, તેમણે જણાવવું પડશે કે તેઓ ભવિષ્યમાં દિવ્યાંગોના અધિકારો અને તેમના પ્રત્યે સંવેદનશીલતા વધારવા માટે તેમના સોશિયલ મીડિયા પ્રભાવનો ઉપયોગ કેવી રીતે કરશે.

માર્ગદર્શિકા બનાવવાનો નિર્દેશ 

કોર્ટે ચેતવણી પણ આપી છે કે જો ભવિષ્યમાં આવા કિસ્સાઓ પ્રકાશમાં આવશે, તો પ્રભાવકો પર ભારે દંડ લાદવામાં આવી શકે છે. આ સાથે, માહિતી અને પ્રસારણ મંત્રાલય (આઈ એન્ડ બી મંત્રાલય) ને સોશિયલ મીડિયા પર વપરાતી ભાષા અને સામગ્રી અંગે વ્યાપક અને સ્પષ્ટ માર્ગદર્શિકા તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

માર્ગદર્શિકા તૈયાર કરો

સુપ્રીમ કોર્ટે ભાર મૂક્યો હતો કે આ માર્ગદર્શિકા કોઈપણ એક ઘટનાના પ્રતિભાવમાં ઉતાવળમાં ન બનાવવી જોઈએ, પરંતુ તે ટેકનોલોજી અને સોશિયલ મીડિયા સંબંધિત તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવી જોઈએ. આ નિર્ણય દર્શાવે છે કે હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સામગ્રી નિર્માતાઓએ તેમની જવાબદારી નિભાવવી પડશે.

આ પણ વાંચો :   10 વખત ભાગી ગયેલી મહિલાએ પંચાયતમાં પ્રસ્તાવ મુક્યો, હું 15-15 દિવસ પતિ અને પ્રેમી સાથે રહીશ, જાણો પછી શું થયુ?

Tags :
Advertisement

.

×