ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Swaraj Kaushal Death : સુષમા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલે દુનિયાને કહ્યું અલવિદા

પૂર્વ વિદેશ મંત્રી સ્વ. સુષમા સ્વરાજના પતિ, વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને મિઝોરમના પૂર્વ રાજ્યપાલ સ્વરાજ કૌશલનું 73 વર્ષની વયે નિધન થયું છે. તેઓ સૌથી ઓછી ઉંમરે રાજ્યપાલ બનવાનો રેકોર્ડ ધરાવતા હતા. ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજના પિતા સ્વરાજ કૌશલે રાજકારણ અને કાયદા ક્ષેત્રે ઊંડી છાપ છોડી છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે વકીલાતના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને ટૂંક સમયમાં જ સુપ્રીમ કોર્ટના ટોચના વકીલોમાં સ્થાન મેળવ્યું.
05:01 PM Dec 04, 2025 IST | Mihirr Solanki
પૂર્વ વિદેશ મંત્રી સ્વ. સુષમા સ્વરાજના પતિ, વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને મિઝોરમના પૂર્વ રાજ્યપાલ સ્વરાજ કૌશલનું 73 વર્ષની વયે નિધન થયું છે. તેઓ સૌથી ઓછી ઉંમરે રાજ્યપાલ બનવાનો રેકોર્ડ ધરાવતા હતા. ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજના પિતા સ્વરાજ કૌશલે રાજકારણ અને કાયદા ક્ષેત્રે ઊંડી છાપ છોડી છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે વકીલાતના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને ટૂંક સમયમાં જ સુપ્રીમ કોર્ટના ટોચના વકીલોમાં સ્થાન મેળવ્યું.

Swaraj Kaushal Death : પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજના પતિ, ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજના પિતા અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી સ્વરાજ કૌશલનું આજે, 4 ડિસેમ્બર 2025ના રોજ 73 વર્ષની વયે નિધન થયું છે. દિલ્હી ભાજપે આ દુઃખદ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરી છે.

દેશના જાણીતા વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓમાં ગણાતા સ્વરાજ કૌશલે મિઝોરમના પૂર્વ રાજ્યપાલ તરીકે પણ સેવા આપી હતી. જાહેર જીવનમાં તેમની ઓળખ એક અત્યંત પ્રમાણિક અને તીવ્ર વિચારધારાવાળા પ્રશાસક તરીકેની હતી.

ભાજપના જણાવ્યા અનુસાર, સ્વરાજ કૌશલના અંતિમ સંસ્કાર  4:30 વાગ્યે લોધી રોડ સ્મશાન ઘાટ પર કરવામાં આવ્યા. રાજકારણ અને કાયદાકીય એમ બંને ક્ષેત્રોમાં પોતાની ઊંડી છાપ છોડનાર સ્વરાજ કૌશલનું નિધન દેશ માટે એક મોટી ખોટ માનવામાં આવે છે.

સૌથી યુવા રાજ્યપાલ બનવાનો રેકોર્ડ (Swaraj Kaushal Death )

સ્વરાજ કૌશલનો જન્મ 12 જુલાઈ, 1952ના રોજ થયો હતો. તેમણે દિલ્હી યુનિવર્સિટી અને પંજાબ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે વકીલાતના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને ટૂંક સમયમાં જ સુપ્રીમ કોર્ટના ટોચના વકીલોમાં સ્થાન મેળવ્યું.

73 વર્ષની વયે દુનિયાને અલવિદા કહેનારા સ્વરાજ કૌશલ માત્ર 37 વર્ષની ઉંમરે મિઝોરમના રાજ્યપાલ બન્યા હતા અને તેમણે 1990 થી 1993 સુધી આ પદ પર સેવા આપી હતી. ખાસ વાત એ છે કે તેઓ સૌથી ઓછી ઉંમરે રાજ્યપાલનું પદ સંભાળનારા વ્યક્તિઓમાંના એક હતા. તેઓ છ વર્ષ સુધી રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે.

સ્વ. સુષમા સ્વરાજ સાથે લગ્ન

વર્ષ 1975માં તેમણે ભાજપના કદાવર નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સાથે લગ્ન કર્યા હતા. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારમાં વિદેશ મંત્રી અને દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂકેલા સુષમા સ્વરાજનું 2019માં બીમારીના કારણે નિધન થયું હતું.

સ્વરાજ કૌશલ અને સુષમા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજ પણ માતા-પિતાના પગલે ચાલીને રાજકારણમાં સક્રિય છે. તેઓ હાલમાં ભાજપની દિલ્હી એકમમાં એક મહત્વપૂર્ણ પદાધિકારી અને શહેરના સાંસદ છે.

આ પણ વાંચો : BLO પર કામનું ભારણ: સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કર્યો, રાજ્ય સરકારોને આપ્યા આદેશ

Next Article