ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Border Tensions: ભારત અને પાકિસ્તાનના DGMO વચ્ચે આજે ફરી થશે વાતચીત! ભારત સ્પષ્ટ સંદેશ આપશે

ભારત અને પાકિસ્તાન વચ્ચે 12 મેના રોજ DGMO સ્તરની બેઠક યોજાશે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે વાતચીત માત્ર સૈન્ય ચેનલો સુધી મર્યાદિત રહેશે અને તે કોઈપણ પ્રકારની મધ્યસ્થી સ્વીકારશે નહીં.
10:48 AM May 12, 2025 IST | MIHIR PARMAR
ભારત અને પાકિસ્તાન વચ્ચે 12 મેના રોજ DGMO સ્તરની બેઠક યોજાશે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે વાતચીત માત્ર સૈન્ય ચેનલો સુધી મર્યાદિત રહેશે અને તે કોઈપણ પ્રકારની મધ્યસ્થી સ્વીકારશે નહીં.
DGMO level meeting gujarat first

DGMO Meeting: યુદ્ધવિરામ પરના કરાર બાદ, આજે ભારત અને પાકિસ્તાનના DGMO વચ્ચે બેઠક યોજાશે. ભારતના ડીજીએમઓ રાજીવ ઘાઈ અને તેમના પાકિસ્તાની સમકક્ષ જનરલ કાશિફ ચૌધરી બપોરે 12 વાગ્યે મહત્વપૂર્ણ વાતચીત કરશે. 10મી મેના રોજ યુદ્ધવિરામની જાહેરાત કર્યા બાદ આ બેઠક યોજાવા જઈ રહી છે. યુદ્ધવિરામ કરાર ત્યારે શરૂ થયો જ્યારે પાકિસ્તાની ડીજીએમઓએ ભારતીય સમકક્ષને 10 મેના રોજ સંભવિત યુદ્ધને રોકવા માટે પ્રસ્તાવ મૂક્યો. થોડા કલાકો બાદ બંને પક્ષો દ્વારા સત્તાવાર રીતે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ એક પ્રેસ કોન્ફરન્સમાં પુષ્ટિ કરી હતી કે ડીજીએમઓ સ્તરની વાતચીતનો આગામી રાઉન્ડ 12 મેના રોજ યોજાશે.

22 એપ્રિલે પહેલગામ આતંકવાદી હુમલામાં 26 નાગરિકોની હત્યાનો બદલો લેવા માટે ભારત દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor)શરૂ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત પાકિસ્તાન અને (Pok)માં હાજર નવ આતંકવાદી ઠેકાણાઓને સફળતાપૂર્વક નિશાન બનાવવામાં આવ્યા હતા. ભારતીય સેનાએ કહ્યું કે આ હુમલાઓમાં ફક્ત આતંકવાદી ઠેકાણાઓ પર જ હુમલો કરવામાં આવ્યો હતો અને નાગરિકોને નુકસાનથી બચાવી લેવામાં આવ્યા હતા.

પાકિસ્તાનનો વળતો પ્રયાસ અને LOC પર ફરી તણાવ

ભારતના હુમલા પછી, પાકિસ્તાને પણ ભારતીય સૈન્ય મથકો અને નાગરિક વિસ્તારો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે સરહદી વિસ્તારોમાં તણાવ વધુ વધ્યો. યુદ્ધવિરામની જાહેરાત થયાના થોડા કલાકો પછી, પાકિસ્તાન તરફથી નિયંત્રણ રેખા પર ભારે ગોળીબાર થયો. જોકે, આ પછી રવિવારે રાત્રે સરહદ પર શાંતિ હતી.

આ પણ વાંચો : Buddha Purnima 2025: બુદ્ધનું જીવન, વિપશ્યના અને પ્રેરણાદાયી અનુભવો

ભારતની સ્પષ્ટ વ્યૂહરચનાઃ માત્ર DGMO સ્તર સુધી જ વાતચીત

ભારતે સ્પષ્ટ કર્યું છે કે કાશ્મીર અથવા સિંધુ જળ સંધિ જેવા સંવેદનશીલ મુદ્દાઓ આ વાતચીતનો ભાગ નહીં હોય. સરકારે એ પણ પુનરોચ્ચાર કર્યો કે હાલમાં નવી દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચે કોઈ રાજદ્વારી વાતચીતનો પ્રસ્તાવ નથી. ભારતનો વલણ ખૂબ જ સ્પષ્ટ છે. હવે ફક્ત એક જ મુદ્દો બાકી છે, જે છે પીઓકેની વાપસી. જો પાકિસ્તાન આતંકવાદીઓને સોંપવાની વાત કરશે તો જ ભારત આગળની વાતચીત પર વિચાર કરશે.

ભારત ટ્રમ્પની મધ્યસ્થતાનો સખત વિરોધ કરે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર વિવાદમાં મધ્યસ્થી કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે આ પ્રસ્તાવને આવકાર્યો હતો, પરંતુ ભારતે આ વિચારને સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર અમે કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકારતા નથી. આ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે.

આ પણ વાંચો :  Chhattisgarh: રાયપુરમાં કરૂણ માર્ગ અકસ્માત, ટ્રક અને ટ્રેલર વચ્ચે અથડામણમાં 13ના મોત, 12 ઘાયલ

Tags :
Border Tensionsceasefire agreementDGMO MeetingGujarat FirstIndia Pakistan TalksIndia Stands FirmKashmir issueLine Of ControlMihir Parmarnational securityOperation Sindoor
Next Article