બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું આજે કરાશે અનાવરણ
આજે તે મહામાનવની જન્મ જયંતિ છે જેને દુનિયાના ઘણા દેશ નમન કરે છે. ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ.ભીમરાવ સાહેબ આંબેડકરની આજે 132મી જન્મજયંતી છે. ત્યારે તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ ભારતીય બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે. મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ અને આંબેડકરના પ્રપૌત્ર પ્રકાશ આંબેડકર શુક્રવારે બપોરે 2 વાગ્યે પ્રતિમાનું અનાવરણ કરશે. આ પ્રસંગે એક મોટી જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
બાબા સાહેબની 125 ફૂટ ઉંચી પ્રતિમાનું કરાશે અનાવરણ
તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે તાજેતરમાં ડૉ.ભીમરાવ આંબેડકરની વિશાળ પ્રતિમાનું અનાવરણ, નવા સચિવાલય સંકુલનું ઉદ્ઘાટન અને અન્ય બાબતો અંગે મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં નક્કી થયું હતું કે શુક્રવારે હેલિકોપ્ટર દ્વારા આંબેડકરની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ પહેલા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્ય સચિવાલયની બાજુમાં સ્થાપિત આંબેડકરની પ્રતિમા ભારતમાં તેમની સૌથી ઊંચી પ્રતિમા હશે અને લોકો અને સમગ્ર રાજ્ય પ્રશાસનને દરરોજ પ્રેરણા આપશે. જણાવી દઇએ કે, મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ અને આંબેડકરના પ્રપૌત્ર પ્રકાશ આંબેડકર શુક્રવારે બપોરે 2 વાગ્યે પ્રતિમાનું અનાવરણ કરશે. આ પ્રસંગે એક મોટી જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શિલ્પકાર 98 વર્ષીય પદ્મ ભૂષણ રામ વનજી સુતાર કૃષ્ણનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં બૌદ્ધ સાધુઓ પણ ભાગ લેશે.
આંબેડકર જયંતિ પર ખાસ હેલિકોપ્ટરથી પુષ્પોની વર્ષા કરીને બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે
મુખ્યમંત્રી કેસીઆર એ કહ્યું કે, પ્રતિમાના આર્મેચર સ્ટ્રક્ચરમાં 360 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને 114 મેટ્રિક ટન બ્રોન્ઝનો ઉપયોગ પ્રતિમાના કાસ્ટિંગમાં કરવામાં આવ્યો છે. કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે આંબેડકર જયંતિ પર ખાસ હેલિકોપ્ટરથી પુષ્પોની વર્ષા કરીને બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. મૂર્તિને અર્પણ કરવા માટે ગુલાબના ફૂલ, સફેદ ક્રાયસન્થેમમ્સ અને સોપારીના પાનનો મોટો માળો બનાવવામાં આવ્યો છે. આંબેડકર મેમોરિયલ બિલ્ડીંગમાં ડૉ.બી.આર. ના જીવનની મહત્વપૂર્ણ ઘટનાઓને પ્રદર્શિત કરવા માટે એક સંગ્રહાલય અને ગેલેરી બનાવવામાં આવી છે. આ સાથે 2.93 એકરમાં હરિયાળી અને લેન્ડસ્કેપ બનાવવામાં આવ્યું છે. મુલાકાતીઓની સુવિધા માટે બે લિફ્ટ લગાવવામાં આવી છે.
મૂર્તિમાં એક મ્યુઝિયમ પણ હશે
આ મૂર્તિને તૈયાર કરવામાં કુલ 146.50 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, આ મૂર્તિ તૈયાર કરવાની જવાબદારી KPC પ્રોજેક્ટ્સ લિમિટેડને આપવામાં આવી હતી. આ મૂર્તિ જેના પર બનાવવામાં આવી છે તેનો કુલ વિસ્તાર 26,258 ચોરસ ફૂટ છે. આ મૂર્તિમાં એક મ્યુઝિયમ પણ હશે, જેમાં બાબા સાહેબનો ઈતિહાસ હશે, સાથે જ 100 સીટર ઓડિટોરિયમ હશે, જેમાં આંબેડકરના જીવનને દર્શાવવામાં આવશે. આ સાથે આગામી દિવસોમાં આંબેડકરને લગતું પુસ્તકાલય પણ તૈયાર કરવામાં આવશે.
માત્ર દલિતો જ નહી પણ મહિલાઓ, મજૂરો અને અસ્પૃશ્યોના જીવનના ઉત્થાન માટે કામ કર્યું
ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ.ભીમરાવ સાહેબ આંબેડકરની 132મી જન્મજયંતીની દેશભરમાં ઉજવણી થઇ રહી છે. આંબેડકર જયંતિ જ્ઞાતિ ભેદભાવ અને દમન જેવા સામાજિક દુષણો સામે લડવામાં ન્યાયશાસ્ત્રીના સમર્પણને યાદ કરવા માટે પણ ઉજવવામાં આવે છે. કારણ કે તેમણે જાતિ પ્રથાનો સખત વિરોધ કર્યો અને તેને સમાજમાંથી નાબૂદ કરવાનો પ્રયાસ કર્યો. ડૉ. ભીમરાવ આંબેડકર હંમેશા દલિત લોકો સાથે એકતામાં ઊભા રહ્યા અને મહિલાઓ, મજૂરો અને અસ્પૃશ્યોના જીવનના ઉત્થાન માટે કામ કર્યું. એક પ્રબળ સમાજ સુધારક, અર્થશાસ્ત્રી અને પ્રભાવશાળી વક્તા હોવાના કારણે, ડૉ. આંબેડકર રાજકીય વિજ્ઞાન, કાયદો અને અર્થશાસ્ત્ર જેવા વિવિધ વિષયોના વિદ્વાન હતા. આપને જણાવી દઇએ કે, ભારતના પ્રથમ કાયદા મંત્રી ડો. ભીમરાવ આંબેડકરને ભારતીય બંધારણના પિતા કહેવામાં આવે છે.
આ પણ વાંચો - ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિ.ને યુજીસી દ્વારા કેટેગરી-1નો દરજ્જો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ