Pahalgam Terror Attack : શંકાસ્પદ વ્યક્તિએ ફોન પર કહ્યું હતું કે પ્લાન-A ફેલ થયો છે, પ્રવાસીએ જણાવી પહેલગામ હુમલાની કહાની
- હુમલો કરનારા ત્રણ આતંકવાદીઓના સ્કેચ જાહેર
- આતંકીઓ પર 20-20 લાખ રૂપિયાનું ઇનામ જાહેર
- એકતા તિવારીએ જણાવી આપવીતી
Pahalgam Terror Attack : પહેલગામમાં પ્રવાસીઓ પર હુમલો કરનારા ત્રણ આતંકવાદીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે. ત્રણેય આતંકવાદીઓ પર 20-20 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. દરમિયાન, ઉત્તર પ્રદેશના જૌનપુરની રહેવાસી એકતા તિવારીએ, જે તાજેતરમાં જ જમ્મુ અને કાશ્મીરથી પરત ફરી છે, દાવો કર્યો છે કે જે આતંકવાદીઓના ફોટા જાહેર કરવામાં આવ્યા છે તેમાંથી બે આતંકીઓ તેમના જૂથ સાથે અથડાયા હતા.
શું કહ્યું એકતા તિવારીએ ?
એકતા તિવારીએ કહ્યું, "અમારું 20 લોકોનું જૂથ 13 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરમાં વિવિધ સ્થળોએ ફરવા ગયું હતું. અમે 20 એપ્રિલે પહેલગામ પહોંચ્યા. તે જ દિવસે, અમને કંઈક શંકાસ્પદ લાગ્યું અને તેથી અમે બધા હુમલાના વિસ્તાર, બૈસરનથી લગભગ 500 મીટર પહેલા નીચે ઉતરી ગયા. આસપાસના કેટલાક લોકોના ઇરાદા યોગ્ય ન લાગ્યા. તેઓ અમને કુરાન વાંચવાનું કહી રહ્યા હતા."
"જ્યારે અમે ખચ્ચર પર ચઢી રહ્યા હતા, ત્યારે બે લોકો અમને મળ્યા અને આ દરમિયાન તેઓએ અમારા વિશે પૂછ્યું. તેઓએ એ પણ પૂછ્યું કે અમારા જૂથમાં કેટલા લોકો છે. તેમણે અમને પૂછ્યું કે અમે કયા ધર્મના છીએ, હિન્દુ કે મુસ્લિમ. આ ઉપરાંત, તેમણે અમને કુરાન વાંચવાનું પણ કહ્યું અને એ પણ પૂછ્યું કે અમે રુદ્રાક્ષ કેમ પહેરીએ છીએ. જ્યારે મારા ભાઈએ કહ્યું કે તેને રુદ્રાક્ષ પહેરવાનું ગમે છે, ત્યારે આ દરમિયાન અમારી તેમની સાથે દલીલ પણ થઈ. પછી અમે ત્યાંથી નીચે ઉતર્યા અને અન્ય ખચ્ચર ચાલકોની મદદથી પાછા ફર્યા."
પ્લાન A નિષ્ફળ ગયો
એકતા તિવારીએ દાવો કર્યો કે થોડા સમય પછી તેમાંથી એકનો ફોન આવ્યો અને થોડા દૂર ગયા પછી તેણે ફોન પર કોડ વર્ડમાં વાત કરતા કહ્યું કે "પ્લાન-A" ફેલ થઈ ગયો છે. તેઓ ઘાટીમાં 35 બંદૂકો મોકલવાની પણ વાત કરી રહ્યા હતા. તેણે કહ્યું, "આ બાબતોથી મારી શંકા વધુ ઘેરી બની છે. મારી પાસે તે છોકરાનો ફોટો છે જેણે 35 બંદૂકો વિશે વાત કરી હતી અને આતંકવાદીઓના સ્કેચ જાહેર થયા બાદ મેં તેને ઓળખી લીધો છે."
Jaunpur, Uttar Pradesh: Ekta Tiwari, tourist who identified the terrorist says, "We were a group of 20 people and reached Pahalgam on April 20. That very day, we sensed something suspicious, so we got off about 500 meters before the Baisaran area—where the attack took place. The… pic.twitter.com/vZGKSbCqhK
— IANS (@ians_india) April 24, 2025
તે વારંવાર મને કુરાન વાંચવાનું કહેતો હતો
દરમિયાન, એકતા તિવારીના પતિ પ્રશાંત તિવારીએ જણાવ્યું, "અમે અહીંથી વૈષ્ણો દેવીના દર્શન કરવા માટે નીકળ્યા હતા. કટરા ખાતે વૈષ્ણો દેવીના દર્શન કર્યા પછી, અમે સંપૂર્ણ પેકેજ ટૂર લીધી. અમારા જૂથમાં 20 લોકો હતા. મારી પત્નીને એક શંકાસ્પદ વ્યક્તિએ કુરાન વાંચવાનું કહ્યું, ત્યારબાદ તેણે મને તેના વિશે જણાવ્યું. જ્યારે અમે તેને ત્યાંથી પાછા ફરવાનું કહ્યું, ત્યારે તે અમારી સાથે ઝઘડવા લાગ્યો." તેણે કહ્યું કે તે લોકો પર શંકા કરવાનું સૌથી મોટું કારણ એ હતું કે તેઓ વારંવાર કુરાન વાંચવાનું કહી રહ્યા હતા. તેઓ અમારું સરનામું પણ પૂછી રહ્યા હતા, અને બંદૂકો મોકલવાની વાતથી અમારો શક વધુ ઘેરો બન્યો.
આ પણ વાંચો : Pahalgam Terror Attack : રામબનના દ્રશ્યો...પાકિસ્તાનને નથી છોડવાનું...ચિનાબનું પાણી રોકાયું..


