Ujjwala Yojanaમાં મોટો ફેરફાર: હવે 12ને બદલે 9 સિલિન્ડર મળશે , જાણો કેમ?
- Ujjwala Yojana અંગે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય
- PMUYમાં સિલિન્ડરની સંખ્યા 12થી 9 કરી દેવાઈ
- 14.2 કિલોગ્રામના સિલિન્ડર પર મળતી રૂ.300ની સબસિડી ચાલુ
Ujjwala Yojana: સરકારે બે મહત્ત્વના આર્થિક નિર્ણયો લીધા છે. પહેલો નિર્ણય એ છે કે, ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)ને LPG સિલિન્ડર સબસિડીના કારણે થતા નુકસાનની ભરપાઈ હપ્તાઓમાં કરવામાં આવશે. બીજો નિર્ણય પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ મળતા સિલિન્ડરોની સંખ્યા 12 થી ઘટાડીને 9 કરી દેવામાં આવી છે. જોકે, આ યોજના હેઠળ મળતી સબસિડીમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી.
કેબિનેટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને LPG સિલિન્ડરના સબસિડીવાળા વેચાણથી થતા રૂ.30,000 કરોડના નુકસાનની ભરપાઈને મંજૂરી આપી છે. આ રકમ 12 હપ્તાઓમાં ચૂકવવામાં આવશે, જેમાંથી પહેલો હપ્તો આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં મળવાની અપેક્ષા છે. આ નિર્ણયથી નાણાકીય વર્ષ 2026માં કંપનીઓને રૂ.15,000 કરોડ મળશે, અને બાકીની રકમ નાણાકીય વર્ષ 2027ના બજેટમાં ચૂકવવામાં આવશે. આ રીતે ભંડોળને બે નાણાકીય વર્ષમાં વહેંચી દેવાથી સરકાર પરનો રાજકોષીય બોજ એકસાથે વધશે નહીં.
The Union Cabinet has approved the targeted subsidy of ₹300 per 14.2 kg cylinder for up to 9 refills per year to the beneficiaries of Pradhan Mantri Ujjwala Yojana (PMUY) during FY 2025-26 at an expenditure of Rs 12,000 crore.
This decision will benefit 10.33 crore households… pic.twitter.com/HBp8e9rXPI
— Ministry of Information and Broadcasting (@MIB_India) August 8, 2025
Ujjwala Yojanaમાં ફેરફાર અને સબસિડી
કેબિનેટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સબસિડીવાળા સિલિન્ડરોની વાર્ષિક સંખ્યા 12થી ઘટાડીને 9 કરી છે. જોકે, 14.2 કિલોગ્રામના સિલિન્ડર પર મળતી રૂ.300ની સબસિડી ચાલુ રહેશે. નાણાકીય વર્ષ 2026 માટે આ યોજના માટે રૂ.12,060 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.
શું છે Ujjwala Yojana ?
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) વિશે વાત કરીએ તો, આ યોજના 2016માં શરૂ થઈ હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબી રેખા નીચે જીવતી 5 કરોડ મહિલાઓને LPG કનેક્શન આપવાનો હતો. આ યોજનાનો ફાયદો એ છે કે તે ઘરમાં સ્વચ્છ ઇંધણ લાવે છે, જેનાથી મહિલાઓના સ્વાસ્થ્ય અને સશક્તિકરણમાં મદદ મળે છે. સાથે જ, ગ્રામીણ યુવાનોને પણ રોજગારીની તકો મળે છે. આ યોજનાથી પરિવારોની LPG વપરાશમાં પણ વધારો થયો છે. સરકારી આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2020માં સરેરાશ ત્રણ સિલિન્ડર વપરાતા હતા, જે નાણાકીય વર્ષ 2025માં વધીને 4.47 થઈ ગયા છે.
આ પણ વાંચો: કોણ છે દબંગ પોલીસ અધિકારી Anuj Chaudhary? જે UPSCની પરીક્ષા આપ્યા વગર બની ગયા IPS


