Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કુંભ મેળામાં થયેલી ભાગદોડની ઘટના પર UP પોલીસનું નિવેદન, કહ્યું, કોઈ નાસભાગ થઈ નથી

પ્રયાગરાજ કુંભ મેળામાં થયેલી ભાગદોડની ઘટના પર યુપી પોલીસનું નિવેદન બહાર આવ્યું છે. કુંભ મેળાના એસએસપીએ ભાગદોડની ઘટનાને નકારી કાઢી છે. તેમણે કહ્યું છે કે, કોઈ ભાગદોડ થઈ નથી. ત્યાં માત્ર ભીડ હતી જેના કારણે કેટલાક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.
કુંભ મેળામાં થયેલી ભાગદોડની ઘટના પર up પોલીસનું નિવેદન  કહ્યું  કોઈ નાસભાગ થઈ નથી
Advertisement
  • મહાકુંભમાં મૌની અમાવસ્યાના અવસર પર નાસભાગ મચી ગઈ હતી
  • આ દુર્ઘટનામાં 20 થી વધુ લોકોના મોત થયા છે
  • CM યોગી આદિત્યનાથ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં મૌની અમાવસ્યાના અવસર પર નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 20 થી વધુ લોકોના મોત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. દરમિયાન, સીએમ યોગી આદિત્યનાથ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે કુંભ મેળાના એસએસપી રાજેશ દ્વિવેદીનું એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, કોઈ ભાગદોડ થઈ નથી. ત્યાં ભીડ વધારે હતી જેના કારણે કેટલાક ભક્તો ઘાયલ થયા છે. પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.

રાજેશ દ્વિવેદીએ કહ્યું, કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન આપશો નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઘણા ઘાટો વિકસાવવામાં આવ્યા છે અને લોકો સરળતાથી તે ઘાટોમાં ડૂબકી લગાવી રહ્યા છે. મારી પાસે માર્યા ગયેલા કે ઘાયલોની કોઈ સંખ્યા નથી.

Advertisement

Advertisement

અકસ્માત અંગે ડીઆઈજીએ શું કહ્યું?

મહાકુંભના ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ જણાવ્યું હતું કે, આ અકસ્માત 10 કરોડથી વધુ શ્રદ્ધાળુઓના અપેક્ષિત આગમનને કારણે થયો હતો. તેમણે કહ્યું કે, પોલીસ અને વહીવટીતંત્ર તમામ અખાડાઓને તેમની પરંપરાગત શોભાયાત્રામાં મદદ કરશે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. જો આજે સવારની ઘટનાના કારણો પર નજર કરીએ તો 10 કરોડથી વધુ ભક્તો આવવાની અપેક્ષાને કારણે આ બન્યું હતું.

સીએમ યોગીની મુલાકાત

ઘટના બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમણે કહ્યું કે, બેરિકેડ્સ પાર કરવાનો પ્રયાસ કરતી વખતે કેટલાક શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. મુખ્યમંત્રીએ રાજધાની લખનૌમાં રાજ્યના મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક, ગૃહ વિભાગના મુખ્ય સચિવ, અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

આ પણ વાંચો : Mahakumbh 2025: જાગી જાઓ, ભાગદોડ થવાની શક્યતા છે... શું આ અધિકારીને મહાકુંભમાં પરિસ્થિતિનો ખ્યાલ હતો?

કેટલાક ભક્તો ગંભીર રીતે ઘાયલ

આદિત્યનાથે કહ્યું કે, અમે અહીં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી રહ્યા છીએ જેથી શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ સ્નાન કરી શકે તેવુ આયોજન કરી શકાય. તેમણે કહ્યું કે, પ્રયાગરાજ મહાકુંભમાં ભક્તોની ભારે ભીડ છે. રાત્રીના એકથી બે વાગ્યાની વચ્ચે અમૃતસ્નાન લેવા માટેની જગ્યા પર જ્યાં બેરીકેટ્સ મુકવામાં આવ્યા હતા તે બેરીકેડ ઉપરથી કૂદતા કેટલાક ભક્તો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને તેમની સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. કેટલાક ભક્તો ગંભીર રીતે ઘાયલ થયા છે.

કેટલા લોકો સ્નાન કરશે?

રાજ્ય સરકારના મતે, મૌની અમાવસ્યા પર આઠથી દસ કરોડ લોકો સ્નાન કરે તેવી અપેક્ષા છે. અમૃત સ્નાન (અગાઉ શાહી સ્નાન) એ મહા કુંભ મેળાનો સૌથી પવિત્ર અને સૌથી મોટો સ્નાન ઉત્સવ છે જેમાં વિશ્વભરમાંથી લાખો ભક્તો ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા આવે છે. અમૃત સ્નાનનું મુખ્ય આકર્ષણ વિવિધ અખાડાના સાધુઓનું સ્નાન છે.

આ પણ વાંચો :  Mahakumbh 2025: મહાકુંભમાં બનેલી ઘટના અત્યંત દુ:ખદઃ PM Modi

Tags :
Advertisement

.

×