Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Uttar Pradesh : જો ઉચ્ચ-નીચનો અંત નહીં આવે, તો દલિતો અને પછાતો ધર્મ પરિવર્તન કરશે - સાંસદ રામજીલાલ

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં સમાજવાદી પાર્ટી (SP)ના રાજ્યસભાના સાંસદ અને રાષ્ટ્રીય મહાસચિવ રામજીલાલ સુમન (Ramjilal Suman) એ ધાર્મિક પરિવર્તન અંગે મોટું નિવેદન આપ્યું છે. વાંચો વિગતવાર.
uttar pradesh   જો ઉચ્ચ નીચનો અંત નહીં આવે  તો દલિતો અને પછાતો ધર્મ પરિવર્તન કરશે   સાંસદ રામજીલાલ
Advertisement
  • રાજ્યસભાના સાંસદ રામજીલાલે ધાર્મિક પરિવર્તન અંગે મોટું નિવેદન આપ્યું
  • Mahatma Gandhi અને Swami Vivekananda પણ હિન્દુ ધર્મમાં સમાનતાની વાત કરતા હતા - રામજીલાલ
  • મુખ્યમંત્રી આવાસને ગંગાજળથી સાફ કરાવવું તે અસમાનતાનું મોટું ઉદાહરણ છે - રામજીલાલ

Uttar Pradesh : ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં સમાજવાદી પાર્ટી (SP)ના રાજ્યસભાના સાંસદ અને રાષ્ટ્રીય મહાસચિવ રામજીલાલ સુમન (Ramjilal Suman) એ ધાર્મિક પરિવર્તન અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો હિન્દુ ધર્મમાં ઉચ્ચ-નીચ અને અસમાનતા જેવી દુષ્ટતાઓને નાબૂદ કરવામાં નહીં આવે, તો ધર્મ પરિવર્તનના કિસ્સાઓ સામે આવતા રહેશે. રામજીલાલ સુમને કહ્યું કે, મહાત્મા ગાંધી (Mahatma Gandhi) અને સ્વામી વિવેકાનંદ (Swami Vivekananda) પણ હિન્દુ ધર્મમાં સમાનતાની વાત કરતા હતા.

અસમાનતાનું ઉદાહરણ

આગ્રામાં એક હિન્દુ યુવક દ્વારા ઈસ્લામ ધર્મ અપનાવવાના પ્રશ્ન પર સમાજવાદી પાર્ટી (SP)ના રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમને કહ્યું કે, જો કોઈ પ્રેમ કે લાલચને કારણે ધર્મ પરિવર્તન કરે છે, તો તે તેનો વ્યક્તિગત નિર્ણય છે પરંતુ જો હિન્દુ ધર્મમાં સમાનતાની ભાવના નથી, તો લોકો તેનાથી દૂર થઈ જશે. તેમણે વધુમાં કહ્યું કે, મહાત્મા ગાંધી અને સ્વામી વિવેકાનંદ પણ હિન્દુ ધર્મમાં સમાનતાની વાત કરતા હતા. તેમણે અસમાનતાનું ઉદાહરણ આપતા કહ્યું કે, જ્યારે અખિલેશ યાદવ મુખ્યમંત્રી નિવાસસ્થાન છોડીને ગયા ત્યારે નવા મુખ્યમંત્રીએ તેને ગંગાજળથી સાફ કરાવ્યું હતું. આ ભેદભાવ અને અસમાનતાનું એક મોટું ઉદાહરણ છે.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ  Tamilnadu : વડાપ્રધાન મોદીએ મહત્વના દક્ષિણી રાજ્યને 4900 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી

ધર્મ પરિવર્તનને સ્વાભાવિક ગણાવ્યું

રામજીલાલ સુમને કહ્યું કે આજે પણ દલિતો અને પછાત વર્ગોને ઘણા મંદિરોમાં પ્રવેશવાની મંજૂરી નથી. તેમણે વધુમાં કહ્યું કે, જો સમાજના નીચલા વર્ગો સાથે ભેદભાવ થાય છે તો કોઈ ધર્મ પરિવર્તન રોકી શકતું નથી. આ સ્થિતિમાં ધર્મ પરિવર્તન સ્વાભાવિક છે. હિન્દુ ધર્મના ઠેકેદારો આ માટે જવાબદાર છે.

આ પણ વાંચોઃ તેજ પ્રતાપ યાદવની મોટી જાહેરાત, મહુઆ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે

Tags :
Advertisement

.

×