150 years of Vande Matram : સંસદમાં 'વંદે માતરમ'ની 150મી વર્ષગાંઠ નિમિત્તે વિશેષ ચર્ચા! કોંગ્રેસનો PM મોદીને સવાલ
- લોકસભામાં વંદે માતરમ પર ચર્ચા શરૂ
- PM મોદીનું સંબોધન થયું શરૂ
- વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર વિશેષ ચર્ચા
150 years of Vande Matram : રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ'ની 150મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે આજે લોકસભામાં એક વિશેષ અને સંવેદનશીલ ચર્ચા શરૂ થઈ છે, જેના માટે 10 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બપોરે 12 વાગ્યે આ ચર્ચાની શરૂઆત કરી, જેમાં સ્વતંત્રતા ચળવળમાં ગીતની ભૂમિકા અને ભારતના સાંસ્કૃતિક વારસા પર પ્રકાશ પાડવામાં આવશે.
લોકસભામાં વંદે માતરમ પર ચર્ચા શરૂ
સરકાર પક્ષે રક્ષામંત્રી રાજનાથ સિંહ અને અનુરાગ ઠાકુર પોતાના મંતવ્યો રજૂ કરશે, જ્યારે વિપક્ષ તરફથી ગૌરવ ગોગોઈ, પ્રિયંકા વાડ્રા, દીપેન્દ્ર હુડા સહિત અનેક અગ્રણી સભ્યો ભાગ લેશે. જોકે, આ ચર્ચા શરૂ થાય તે પહેલાં જ વડાપ્રધાન મોદીએ 1937માં કોંગ્રેસ દ્વારા ગીતમાંથી મુખ્ય પંક્તિઓ હટાવીને 'વિભાજનના બીજ વાવ્યા' હોવાના આક્ષેપો લગાવતાં, કોંગ્રેસ અને ભાજપ આમને-સામને આવી ગયા છે અને ચર્ચા દરમિયાન આ નિવેદન પર હોબાળો થવાની પૂરી સંભાવના છે, જેના કારણે આ ગહન સાંસ્કૃતિક ચર્ચામાં રાજકીય ગરમાવો જોવા મળી શકે છે.
અખિલેશ યાદવે સત્તા પક્ષ પર દરેક વસ્તુને નિયંત્રિત કરવાનો આરોપ મુક્યો
December 8, 2025 2:21 pm
સપા સાંસદ અખિલેશ યાદવે વંદે માતરમની ચર્ચા દરમિયાન વડા પ્રધાન મોદીના આકરા સંબોધન પર પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે, આજે સત્તા પક્ષ માત્ર દરેક વસ્તુને નિયંત્રિત કરવા જ માંગે છે. આ પાર્ટીના લોકો દરેક મામલાનો શ્રેય લેવા માંગે છે. તેઓ આપણા દેશના મહાન પુરુષોને પણ નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જે તેમના નથી. તેમના શબ્દો પરથી એવું લાગે છે કે, વંદે માતરમ એક ગીત હતું જે તેમણે બનાવ્યું હતું.
"Vande Mataram is not just for recitation but for abiding by...How will those who never took part in the freedom struggle understand the importance of Vande Mataram?...They are not 'Rashtrawadi' but Rashtravivadi people...", says Samajwadi Party MP Akhilesh Yadav. https://t.co/Mb2vGmCsYR
— ANI (@ANI) December 8, 2025
તમે નહેરુની છબીને કલંકિત નહીં કરી શકો - ગૌરવ ગોગોઈ
December 8, 2025 2:14 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આકરા સંબોધન બાદ કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ વંદે માતરમ પરની ચર્ચામાં ભાગ લેતા આકરો પ્રત્યુત્તર આપ્યો હતો. તેમણે કહ્યું કે, "આજે વડા પ્રધાનના ભાષણમાંથી ફક્ત બે જ વાત સમજાઈ. પહેલું, એવું લાગતું હતું કે તેમના રાજકીય પૂર્વજો અંગ્રેજો સામે લડી રહ્યા હતા. બીજું, તેઓ સમગ્ર વંદે માતરમનો રાજકીય રીતે વિવાદ કરવા માંગે છે." ગોગોઈએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, PM મોદી દ્વારા દર વખતે નહેરુ અને કોંગ્રેસને નિશાન બનાવવામાં આવે છે, પરંતુ તેમણે ચેતવણી આપી કે, "તમે ગમે તેટલી કોશિશ કરો, તમે નહેરુની છબીને કલંકિત કરી શકશો નહીં." આમ, કોંગ્રેસે વડાપ્રધાનના આક્ષેપોને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને મજબૂત રીતે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.
કોંગ્રેસનો PM મોદીને સવાલ
December 8, 2025 2:07 pm
લોકસભામાં વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન કોંગ્રેસના સાંસદ રણજીત રંજને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પર સવાલ ઉઠાવીને સરકારને વર્તમાન મુદ્દાઓ પર ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે આક્રોશ વ્યક્ત કરતાં પૂછ્યું કે, "શું આપણે પ્રાચીન ઇતિહાસનો અભ્યાસ કરવા સંસદમાં આવ્યા છીએ?" તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, જો આ ઇતિહાસ વર્તમાનમાં પ્રદૂષણ જેવી સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરતો હોય તો શીખવવો જોઈએ, પરંતુ આજે લોકોને એરપોર્ટ પર રાહ જોવી પડે છે અને 4 ગણા ભાવે મુસાફરી કરવી પડે છે, તો શું આ ભાષણ આ સમસ્યાઓનું નિરાકરણ લાવે છે? રણજીત રંજને સ્વીકાર્યું કે અમે વંદે માતરમ પણ વાંચ્યું હતું, પરંતુ તેમણે વડાપ્રધાન પર તેના બહાને માત્ર એક જ પક્ષને દોષી ઠેરવવાનો અને પ્રદૂષણ, એરપોર્ટ પરની સમસ્યાઓ જેવી વર્તમાન પરિસ્થિતિઓનો જવાબ ન આપવાનો આરોપ મૂક્યો હતો.
#WATCH | Delhi: Over PM's speech during Vande Mataram debate, Congress MP Ranjit Ranjan says, "Have we come to Parliament to learn history? If learning this history reduces pollution, then teach history... Today, people have to wait at the airport and travel at four times the… pic.twitter.com/rsLPom1vJV
— ANI (@ANI) December 8, 2025
ભારત છોડો ચળવળમાં RSSની ભૂમિકા પર પ્રમોદ તિવારીનો PM મોદીને સવાલ
December 8, 2025 2:05 pm
લોકસભામાં વંદે માતરમ પરની વિશેષ ચર્ચા દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પર પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ એક મોટો રાજકીય પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે PM મોદીને સીધો જવાબ માંગતા પૂછ્યું કે, જ્યારે દેશનો સ્વતંત્રતા સંગ્રામ મહાત્મા ગાંધી અને પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં લડાઈ રહ્યો હતો અને સમગ્ર દેશમાં ભારત છોડોના નારા ગુંજી રહ્યા હતા, ત્યારે તેમના મૂળ સંગઠન RSS દ્વારા લોકોને બ્રિટિશ સેનામાં જોડાવા અને અંગ્રેજોને ટેકો આપવા માટે કેમ આહ્વાન કરવામાં આવી રહ્યું હતું? તિવારીના આ સવાલે વંદે માતરમની ચર્ચાને ઇતિહાસના એ સંવેદનશીલ સમયગાળા તરફ વાળી દીધી છે, જેનાથી સંસદમાં રાજકીય ગરમાવો વધી ગયો છે.
વંદે માતરમ પર કોંગ્રેસે સમાધાન કર્યું : PM Modi
December 8, 2025 1:35 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં વંદે માતરમની 150મી વર્ષગાંઠ પરની ચર્ચા દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં સનસનીખેજ આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે, ગત સદીમાં વંદે માતરમ સાથે દગો કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે આ રાષ્ટ્રીય ગીત વિવાદમાં ઘસાયું કારણ કે મુસ્લિમ લીગે તેનો વિરોધ કર્યો હતો, અને ખાસ કરીને જિન્નાહએ 1937માં તેનો સખત વિરોધ કર્યો હતો. PM મોદીએ દાવો કર્યો કે મુસ્લિમોએ વંદે માતરમના કેટલાક શબ્દો સામે વાંધો ઉઠાવ્યો હોવાથી, જિન્નાહના આ વિરોધથી જવાહરલાલ નેહરુ મુશ્કેલીમાં મુકાયા હતા, જેના પરિણામે નેહરુએ મુસ્લિમ લીગની નિંદા કરવાને બદલે સમાધાનનો માર્ગ અપનાવ્યો હતો. PM મોદીએ આ બાબતને આગળ ધપાવતા જણાવ્યું હતું કે, મુસ્લિમ લીગના દબાણ હેઠળ કોંગ્રેસે વંદે માતરમની સમીક્ષા કરવાની વાત કરી અને અંતે એવો નિર્ણય લીધો જેના કારણે વંદે માતરમના ટુકડા કરી દેવામાં આવ્યા. વડાપ્રધાને સ્પષ્ટપણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસ દ્વારા મુસ્લિમ લીગના દબાણ હેઠળ લેવાયેલો આ નિર્ણય રાષ્ટ્રીય ગીતની પવિત્ર ભાવના સાથે વિશ્વાસઘાત સમાન હતો.
વંદે માતરમ સાથે દગો કેમ થયો? : PM Modi
December 8, 2025 1:22 pm
આટલું ઊંડું રાષ્ટ્રીય અને ભાવનાત્મક મહત્વ હોવા છતાં, PM મોદીએ એક સવાલ ઊભો કરીને રાજકીય વિવાદ છેડ્યો હતો. તેમણે પ્રશ્ન કર્યો કે, "વંદે માતરમ સાથે દગો કેમ કરવામાં આવ્યો?" તેમણે યાદ કરાવ્યું કે મહાત્મા ગાંધીએ 1905માં આ ગીતને રાષ્ટ્રગીત તરીકે જોયું હતું અને તેની ભાવના ખૂબ જ ઉમદા હતી, તો પછી છેલ્લી સદીમાં તેની સાથે આટલો ગંભીર અન્યાય કેમ કરવામાં આવ્યો? PM મોદીએ સવાલ કર્યો કે પૂજ્ય બાપુની લાગણીઓને વટાવી જાય તેવી કઈ શક્તિ હતી, જે આ પવિત્ર ભાવનાને વિવાદમાં ખેંચી ગઈ, જેનાથી આ ચર્ચામાં રાજકીય ગરમાવો આવ્યો છે.
વંદે માતરમે અંગ્રેજોને હચમચાવી નાખ્યા : PM Modi
December 8, 2025 1:20 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં વંદે માતરમના ઐતિહાસિક મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે આ ગીતની શક્તિ એટલી પ્રબળ હતી કે તેણે અંગ્રેજોને હચમચાવી દીધા હતા. તેમણે બંગાળના વિભાજન અને ત્યારબાદ થયેલી વિશાળ સ્વદેશી ચળવળનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આ સમયે વંદે માતરમ બધે ગુંજી ઉઠ્યું હતું. અંગ્રેજો સમજી ગયા હતા કે બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા ઘડાયેલી આ ભાવના તેમને મૂળમાંથી હલાવી રહી છે, જેના કારણે તેમને આ ગીત પર પ્રતિબંધ મૂકવાની ફરજ પડી હતી. PM મોદીએ જણાવ્યું કે, બ્રિટિશ શાસને માત્ર વંદે માતરમ ગાવા કે છાપવા પર જ નહીં, પરંતુ તેના શબ્દો બોલવા પર પણ સજા ફરમાવતા કડક કાયદાઓ લાગુ કર્યા હતા.
વંદે માતરમે દેશના અંતરાત્માને જગાડ્યો : PM Modi
December 8, 2025 1:15 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર લોકસભામાં સંબોધન કરતાં જણાવ્યું કે, "વંદે માતરમ આપણા સ્વતંત્રતા આંદોલનનો અવાજ બન્યો," જેણે દેશના દરેક નાગરિકને એકીકૃત કરીને દરેક ભારતીયનો સંકલ્પ બનવાનું કામ કર્યું. તેમણે કાવ્યાત્મક પંક્તિઓ ટાંકી: સ્વાર્થ કા બલિદાન હૈ યે શબ્દ વંદે માતરમ અને વીર કા અભિમાન હૈ યે શબ્દ વંદે માતરમ. PM મોદીએ સમજાવ્યું કે બ્રિટિશ યુગ દરમિયાન ભારતને દરેક રીતે નબળું, નકામું, આળસુ અને નીચું દર્શાવવાની ફેશન બની ગઈ હતી, અને કમનસીબે આપણા દેશના કેટલાક લોકો પણ આ જ ભાષા બોલતા હતા. આવા સમયે, બંકિમચંદ્ર ચેટર્જીએ દેશના અંતરાત્માને હચમચાવીને જાગૃતિ લાવવા માટે આ ગીતની રચના કરી હતી, જેનો ઉદ્દેશ્ય આપણા ઇતિહાસ અને હજાર વર્ષના વારસાને પુનર્જીવિત કરવાનો હતો.
#WATCH | PM Narendra Modi says, "Vande mataram became the voice of our freedom movement. It integrated everyone in the country and became the resolve of every Indian... 'Swaarth ka balidaan hai ye shabd Vande Mataram'... 'Veer ka abhimaan hai ye shabd Vande Mataram'... During the… pic.twitter.com/n1R5BlP3Xk
— ANI (@ANI) December 8, 2025
વંદે માતરમએ સાંસ્કૃતિક વારસાનો આધુનિક અવતાર : PM Modi
December 8, 2025 1:11 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર સંબોધન કરતાં તેના ઊંડાણપૂર્વકના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે, વંદે માતરમ ફક્ત રાજકીય સ્વતંત્રતાનો મંત્ર નહોતો, પરંતુ તે સ્વતંત્રતા પૂરતો મર્યાદિત ન રહેતા તેનાથી ઘણો આગળ હતો. તેમણે સમજાવ્યું કે સ્વતંત્રતા ચળવળ આપણી માતૃભૂમિને ગુલામીના ચુંગાલમાંથી મુક્ત કરવા માટેનું એક યુદ્ધ હતું. PM મોદીએ વેદોને ટાંકીને કહ્યું કે 'આ ભૂમિ મારી માતા છે, અને હું આ ભૂમિનો પુત્ર છું' અને શ્રી રામે લંકાનો ત્યાગ કરતી વખતે વ્યક્ત કરેલા વિચાર 'जननी जन्मभूमिश्च स्वर्गत अपि गरियासि' (જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ મહાન છે) નો ઉલ્લેખ કર્યો. અંતે, તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વંદે માતરમ આપણા મહાન સાંસ્કૃતિક વારસાનો આધુનિક અવતાર છે.
#WATCH | PM Narendra Modi says, "Vande Mataram was not just a mantra for political independence. It was not limited to our independence; it was way beyond that. The freedom movement was a war to free our motherland from the clutches of slavery... During our Vedas, it was said,… pic.twitter.com/UAAED5YLEM
— ANI (@ANI) December 8, 2025
વંદે માતરમની ઐતિહાસિક સફર પર PM Modi
December 8, 2025 1:08 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે સંબોધન કરતાં આ રાષ્ટ્રીય ગીતની સફરના કડવા સત્યો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે વંદે માતરમને 50 વર્ષ પૂર્ણ થયા, ત્યારે ભારત બ્રિટિશ શાસન હેઠળ ગુલામીમાં હતું, પરંતુ સૌથી દુર્ભાગ્યપૂર્ણ વાત એ હતી કે જ્યારે આઝાદીના આંદોલનને પ્રેરણા આપનાર આ ગીતને 100 વર્ષ પૂર્ણ થયા, ત્યારે ભારત કટોકટીની પકડમાં હતું, જે દેશના ઇતિહાસનો એક 'કાળો યુગ' હતો, અને તે સમયે દેશભક્તોને કેદ કરવામાં આવ્યા હતા. PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે આ ગીતે આપણને 1947માં સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપી હતી, અને વંદે માતરમના 150 વર્ષ એ આપણા ભૂતકાળના ગૌરવ અને તે મહાન ભાગને પુનઃસ્થાપિત કરવાની તક છે.
#WATCH | PM Narendra Modi says, "... When Vande Mataram completed 50 years, India was under British rule. When Vande Mataram completed 100 years, India was in the clutches of Emergency... At that time, the patriots were imprisoned. When the song that inspired our freedom… pic.twitter.com/Kww4ewc6wM
— ANI (@ANI) December 8, 2025
PM મોદીએ બંકિમચંદ્ર ચેટર્જીને કર્યા યાદ
December 8, 2025 1:04 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે બંકિમચંદ્ર ચેટર્જીને યાદ કરતાં જણાવ્યું કે, આ રાષ્ટ્રીય ગીતની શરૂઆત 1875માં તેમના દ્વારા કરવામાં આવી હતી. PM મોદીએ સમજાવ્યું કે આ રચના એવા સંવેદનશીલ સમયે થઈ હતી જ્યારે 1857ના સ્વાતંત્ર્ય યુદ્ધ બાદ બ્રિટિશ સામ્રાજ્ય ભયભીત હતું, ભારત પર વિવિધ દબાણો અને અત્યાચારો લાદવામાં આવી રહ્યા હતા, અને બ્રિટિશરો પોતાનું રાષ્ટ્રગીત દરેક ઘરમાં ફેલાવવાનું કાવતરું કરી રહ્યા હતા. આવા કપરા સમયમાં, બંકિમચંદ્ર ચેટર્જીએ 'પથ્થરથી પથ્થરનો જવાબ' આપતાં, દેશભક્તિની ભાવનાથી ભરપૂર વંદે માતરમનો જન્મ થયો, જેણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં નવી ઊર્જા પૂરી પાડી.
PM મોદીનો કોંગ્રેસ પર પ્રહાર
December 8, 2025 12:56 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં વંદે માતરમની 150મી વર્ષગાંઠ પરની ચર્ચા દરમિયાન કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે 1975-77ની કટોકટી (ઇમરજન્સી)નો સંદર્ભ આપતા જણાવ્યું કે, જ્યારે વંદે માતરમે તેના 100 વર્ષ પૂર્ણ કર્યા, ત્યારે દેશ કટોકટીની ઝપટમાં હતો. PM મોદીએ આક્ષેપ કર્યો કે તે સમયે બંધારણનું ગળું દબાવવામાં આવ્યું હતું, જેના દ્વારા તેમણે સ્વતંત્રતાના પ્રતીક સમાન ગીતની 100મી વર્ષગાંઠના સમયગાળા દરમિયાન લોકશાહી મૂલ્યોના ભંગ તરફ ધ્યાન દોર્યું હતું. તેમણે કહ્યું કે, જ્યારે વંદે માતરમ 100 વર્ષ પૂર્ણ થયું, ત્યારે દેશભક્તિ માટે જીવતા અને મૃત્યુ પામેલા લોકોને જેલના સળિયા પાછળ કેદ કરવામાં આવ્યા. જ્યારે દેશને સ્વતંત્રતા માટે ઉર્જા આપનાર વંદે માતરમ ગીત 100 વર્ષ પૂર્ણ થયું, ત્યારે કમનસીબે, આપણા ઇતિહાસમાં એક અંધકારમય યુગનો પર્દાફાશ થયો. 150 વર્ષ એ મહાન પ્રકરણ, તે ગૌરવને પુનઃસ્થાપિત કરવાની તક છે.
PM મોદીએ રાષ્ટ્રીય ગીતનું ઐતિહાસિક અને ભાવનાત્મક મહત્વ સમજાવ્યું
December 8, 2025 12:51 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં 'વંદે માતરમ'ની 150મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલી ચર્ચા દરમિયાન આ રાષ્ટ્રીય ગીતનું ઐતિહાસિક અને ભાવનાત્મક મહત્વ સમજાવ્યું હતું. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, "1947માં દેશને આઝાદી અપાવનાર આ વંદે માતરમ જ હતું." PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે સ્વતંત્રતા સંગ્રામનું ભાવનાત્મક નેતૃત્વ વંદે માતરમના નારામાં રહેલું હતું, અને આ એવું ગીત છે જે લોકોને સ્વતંત્રતા ચળવળ તરફ દોરી ગયું, જેના કારણે આજે આપણે બધા અહીં છીએ. તેમણે ભાર મૂક્યો કે આ વિષયમાં કોઈ પક્ષ કે વિરોધનો સવાલ નથી, પરંતુ આ આપણા સૌ માટે આ રણને સ્વીકારવાની તક છે.
#WATCH | PM Narendra Modi says, "There is no leadership and opposition here. We are here to appreciate and accept the debt of Vande Mataram collectively. It is because of this song that we are all here together. It is a sacred occasion for all of us to acknowledge the debt of… pic.twitter.com/B4KvoXd5Wn
— ANI (@ANI) December 8, 2025
વંદે માતરમને યાદ કરવું PM Modiએ ગણાવ્યું સૌભાગ્યનો પ્રસંગ
December 8, 2025 12:47 pm
વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે લોકસભામાં વિશેષ ચર્ચાની શરૂઆત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દિવસને ઐતિહાસિક ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, "આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવાનો અમને ગર્વ છે," અને આ મહત્વપૂર્ણ પ્રસંગે જાહેર ચર્ચા યોજવા બદલ તેમણે સૌનો આભાર માન્યો હતો. PM Modiએ ભારપૂર્વક જણાવ્યું કે, 'વંદે માતરમ' એ માત્ર એક ગીત નથી, પરંતુ તે એક એવો મંત્ર અને સૂત્ર છે જેણે દેશની સ્વતંત્રતા ચળવળને ઉર્જા અને પ્રેરણા આપી હતી, તેમજ બલિદાન અને તપસ્યાનો માર્ગ બતાવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, આ રાષ્ટ્રીય ગીતને આજે યાદ કરવું એ આપણા સૌ માટે સૌભાગ્યની વાત છે.
વંદે માતરમની 150મી વર્ષગાંઠ : PM Modi દ્વારા લોકસભામાં ચર્ચાની શરૂઆત
December 8, 2025 12:41 pm
વંદે માતરમની 150મી વર્ષગાંઠના ઐતિહાસિક પ્રસંગે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં વિશેષ ચર્ચાની શરૂઆત કરતાં જણાવ્યું હતું કે, "આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવાનો અમને ગર્વ છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ સમયગાળો ઇતિહાસની અસંખ્ય ઘટનાઓ અને પ્રકરણોને આપણી સમક્ષ લાવે છે, જેણે ઇતિહાસના ઘણાં પાનાં ઉજાગર કર્યા છે. PM Modi ના આ સંબોધન સાથે, સંસદમાં રાષ્ટ્રીય ગીતના મહત્વ અને સ્વતંત્રતા સંગ્રામમાં તેની ભૂમિકા પર ગહન ચર્ચાનો પ્રારંભ થયો છે.


