હિન્દુ મંદિરને લઈને થાઈલેન્ડ-કંબોડિયામાં યુદ્ધ, સરહદે ગોળીબારથી 12નાં મોત
ભારતથી 5,000 કિમી દૂર હિન્દુ મંદિરને લઈને થાઈલેન્ડ-કંબોડિયામાં યુદ્ધ, સરહદે ગોળીબારથી 12નાં મોત
દક્ષિણ-પૂર્વ એશિયાના બે પડોશી દેશો, થાઈલેન્ડ અને કંબોડિયા, વચ્ચે સદીઓ જૂનો સીમા વિવાદ ફરી ગરમાયો છે, જે હવે ખુલ્લા સંઘર્ષમાં ફેરવાઈ ગયો છે. 24 જુલાઈ, 2025ના રોજ બંને દેશોની સેનાઓ વચ્ચે સરહદે ભીષણ ગોળીબાર થયો, જેમાં ઓછામાં ઓછા 12 લોકો, મોટાભાગે થાઈ નાગરિકો, માર્યા ગયા. આ ઘટના પહેલાં બુધવારે થાઈલેન્ડના ઉબોન રાત્ચાથાની પ્રાંતમાં લેન્ડમાઈન વિસ્ફોટમાં પાંચ થાઈ સૈનિકો ઘાયલ થયા હતા, જેમાંથી એકનો પગ ગુમાવવો પડ્યો. આ ઘટનાથી ગુસ્સે થઈને થાઈલેન્ડે કંબોડિયાના રાજદૂતને દેશનિકાલા કર્યા અને પોતાના રાજદૂતને નોમ પેન્હથી પાછા બોલાવ્યા.
ગુરુવારની ઘટનાનો ઘટનાક્રમ
થાઈલેન્ડના જણાવ્યા અનુસાર, ગુરુવારે સવારે 7:35 વાગ્યે સૂરિન પ્રાંતના ફાનોમ ડોંગ રાક જિલ્લામાં તા મુએન થોમ મંદિરના ખંડેરો નજીક એક કંબોડિયન ડ્રોન ફરતું જોવા મળ્યું. ત્યારબાદ 6 કંબોડિયન સૈનિકો રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ અને અન્ય હથિયારો સાથે થાઈ સૈન્ય બેઝની સામેની કાંટાળી તારની સરહદે પહોંચ્યા. થાઈ સૈનિકોએ તેમને ગોળીબાર ન કરવાની ચેતવણી આપી, પરંતુ સવારે 8:20 વાગ્યે કંબોડિયન સૈનિકોએ મૂ પા બેઝ પર ગોળીબાર શરૂ કર્યો. થાઈલેન્ડનો આરોપ છે કે કંબોડિયાએ નાગરિક વિસ્તારોમાં તોપો મૂકી અને નાગરિકોને માનવ ઢાલ તરીકે ઉપયોગ કર્યો. સવારે 9:40 વાગ્યે કંબોડિયાએ સી સા કેટ પ્રાંતના ડોન તુઆન મંદિરના ખંડેરો પર BM-21 રોકેટ લોન્ચરથી હુમલો કર્યો, અને 9:55 વાગ્યે સૂરિનના કાપ ચોએંગ જિલ્લામાં રહેણાંક વિસ્તારમાં ગોળીબાર કર્યો, જેમાં ત્રણ નાગરિકો ઘાયલ થયા. એક થાઈ સૈનિક પણ ગોળીબારમાં ઘાયલ થયો.
કંબોડિયાનો દાવો છે કે થાઈ સૈનિકોએ જ પહેલો હુમલો કર્યો. કંબોડિયન રક્ષા મંત્રાલયના પ્રવક્તા માલી સોચેતાએ જણાવ્યું કે થાઈ સૈનિકોએ વિવાદિત વિસ્તારમાં ઘૂસીને હુમલો કર્યો, જેના જવાબમાં કંબોડિયાએ પોતાની સંપ્રભુતાના રક્ષણ માટે ગોળીબાર કર્યો. કંબોડિયાના વડાપ્રધાન હુન માનેટે ફેસબુક પર લખ્યું કે થાઈ સેનાએ પ્રીહ વિહાર અને તા ક્રબેઈ મંદિરોમાં કંબોડિયન સૈન્ય બેઝ પર હુમલો કર્યો, અને કંબોડિયા પાસે જવાબી કાર્યવાહી સિવાય કોઈ વિકલ્પ નથી.
"ทหารกัมพูชา" โพสต์ไม่หยุด! อัพเดตตลอดเวลา นาทียิงเข้าฝั่งไทย
.#Saveชีวิตคนไทย #ไทยกัมพูชา #ชายแดนไทยกัมพูชา #กองทัพบก #กองทัพภาค2 #กองทัพภาค1 #ทหารไทย #trending #trendingnow #คลิปโซเชียล #ไทยรัฐทีวี32 pic.twitter.com/7SvF2giaYC— ThairathTV (@Thairath_TV) July 24, 2025
વિવાદનું મૂળ: પ્રીહ વિહાર અને અન્ય હિન્દુ મંદિરો
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે 817 કિલોમીટર લાંબી સરહદે 1907માં ફ્રેન્ચ વસાહતીઓ દ્વારા નકશો બનાવવામાં આવ્યો હતો, જ્યારે કંબોડિયા ફ્રેન્ચ શાસન હેઠળ હતું. આ નકશામાં પ્રીહ વિહાર મંદિરને કંબોડિયાનો ભાગ ગણાવ્યું, જેનો થાઈલેન્ડે વિરોધ કર્યો. આ 11મી સદીનું શિવ મંદિર, જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ છે, દાંગરેક પર્વતોમાં આવેલું છે અને તેની 800 સીડીઓ સાથે ખ્મેર સામ્રાજ્યની સાંસ્કૃતિક ધરોહર દર્શાવે છે. 1959માં કંબોડિયાએ આ મામલે આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (ICJ)નો સંપર્ક કર્યો, અને 1962માં ICJએ 9-3ના મતે મંદિરને કંબોડિયાને આપ્યું. જોકે, મંદિરની આસપાસની 4.6 ચોરસ કિલોમીટર જમીનનો મુદ્દો અધ્ધર રહ્યો.
ทหารชาติไหนๆ ไม่มีใครเค้าโจมตี โรงพยาบาล โรงเรียน หรือ เขตชุมชนหรอกนะ
สิ่งที่กัมพูชาทำ มันไม่ใช่การทหารแล้ว นี่มันทรงผู้ก่อการร้าย หรือ อาชกรสงคราม เท่านั้นแหละ#กัมพูชายิงก่อน #ไทยนี้รักสงบแต่ถึงรบไม่ขลาด #CambodiaOpenedFire #ไทยกัมพูชา #กองทัพบก #ทหารไทย pic.twitter.com/ky1J8Geklg
— หมี่หยก (เฟบบี้🪽ของพี่ฝ้าย🌻) (@fcfayeperaya) July 24, 2025
2008માં યુનેસ્કોએ પ્રીહ વિહારને વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરતાં વિવાદ વધુ ગરમાયો, કારણ કે થાઈલેન્ડને લાગ્યું કે તેમની ઐતિહાસિક ધરોહર છીનવાઈ રહી છે. 2008થી 2011 સુધી ચાલેલા સંઘર્ષમાં ઓછામાં ઓછા 34 લોકો માર્યા ગયા અને હજારો વિસ્થાપિત થયા. 2013માં ICJએ ફરી કંબોડિયાના હકમાં નિર્ણય આપ્યો, પરંતુ આસપાસની જમીનનો મુદ્દો અકબંધ રહ્યો.
આ વખતે વિવાદ તા મુએન થોમ, તા ક્રબેઈ અને અન્ય મંદિરોને લઈને ઉભો થયો. ફેબ્રુઆરી 2025માં કંબોડિયન સૈનિકો અને તેમના પરિવારોએ તા મુએન થોમ મંદિરમાં રાષ્ટ્રગીત ગાયું, જેનો વીડિયો વાયરલ થયો અને થાઈ રાષ્ટ્રવાદીઓમાં રોષ ફેલાયો. મે 2025માં એક કંબોડિયન સૈનિકની હત્યા બાદ તનાવ વધ્યો, અને હવે બંને દેશો ખુલ્લા સંઘર્ષમાં ઉતરી ગયા છે.
ภาพที่สะท้อนให้เห็นว่า "ต้นเหตุ"จากผลกระทบที่นักการเมืองไทยไปจับมือกับนักการเมืองเขมร
ใครต้องรับผิดชอบ?#ไทยกัมพูชา #ปราสาทตาเมือนธม #ฮุนมาเนต #กองทัพอากาศ #แม่ทัพภาค๒ #แผนจักรพงษ์ภูวนาถ #ทหารไทย #กองทัพบก #สุรินทร์ #ไทยนี้รักสงบแต่ถึงรบไม่ขลาด pic.twitter.com/Xo2VBQoSh1— teejournalist (@teejournal) July 24, 2025
રાજકીય અસર
થાઈલેન્ડના વડાપ્રધાન પૈતોંગટાર્ન શિનાવાત્રાને 1 જુલાઈ, 2025ના રોજ કંબોડિયાના નેતા હુન સેન સાથેની ફોન વાતચીત લીક થવાને કારણે નિલંબિત કરવામાં આવ્યા. આ વાતચીતમાં તેમણે થાઈ સેનાની ટીકા કરી અને કંબોડિયાને સમાધાનનો વચન આપ્યું, જેનાથી થાઈલેન્ડમાં વિરોધ શરૂ થયો. કંબોડિયાના વડાપ્રધાન હુન માનેટે ICJમાં આ મામલો ફરી ઉઠાવવાની જાહેરાત કરી, જ્યારે થાઈલેન્ડે આને દ્વિપક્ષીય ચર્ચાથી ઉકેલવાનો આગ્રહ રાખ્યો.
આ પણ વાંચો- રશિયામાં દુ:ખદ વિમાન દુર્ઘટના: 50 જેટલા લોકોના મોતની આશંકા


