શું છે SSC, જેની પરીક્ષાઓમાં ગેરરીતિઓ સામે વિદ્યાર્થીઓ વળ્યા આંદોલનના માર્ગે?
- શું છે SSC, જેની પરીક્ષાઓમાં ગેરરીતિઓ સામે વિદ્યાર્થીઓ વળ્યા આંદોલનના માર્ગે?
- SSC સામે મેદાનમાં ઉતર્યા વિદ્યાર્થી; જંતર-મંતર ઉપર પ્રદર્શનમાં વિદ્યાર્થીઓના અનેક પ્રશ્ન, જવાબ એકપણ નહીં
સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી)ની પરીક્ષાઓમાં અનિયમિતતાના આરોપોને લઈને દેશની રાજધાની દિલ્હી સહિત અનેક જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ગુરુવારે એસએસસી પોસ્ટ ફેઝ 13 ભરતી પરીક્ષામાં કથિત અનિયમિતતાઓ અને કુપ્રબંધનના વિરોધમાં પરીક્ષાર્થીઓ અને કોચિંગમાં ભણાવતા કેટલાક લોકપ્રિય શિક્ષકોએ જંતર-મંતર પર પ્રદર્શન કર્યું.પ્રદર્શનકારીઓએ પ્રશાસનિક બેદરકારી, પરીક્ષા દરમિયાન ટેકનિકલ ખામીઓ અને શાંતિપૂર્ણ પ્રદર્શન પર પોલીસના લાઠીચાર્જના આરોપ લગાવ્યા હતા.
પરીક્ષાર્થીઓ અને શિક્ષકોએ આરોપ લગાવ્યો કે જ્યારે તેઓ જંતર-મંતર અને સીજીઓ કોમ્પ્લેક્સની બહાર શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે પોલીસે તેમના પર લાઠીઓ વરસાવી.પ્રદર્શનકારીઓ અને પોલીસકર્મીઓ વચ્ચેની નોકઝોકના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, પરીક્ષા 24 જુલાઈથી શરૂ થઈ હતી અને 1 ઓગસ્ટ સુધી ચાલવાની હતી, પરંતુ આ દરમિયાન આ પરીક્ષાઓને લઈને મોટી સંખ્યામાં ફરિયાદો મળવા લાગી હતી. આમાં પરીક્ષાનું અચાનક રદ થવું, સર્વર ક્રેશ થવું, સિસ્ટમનું કામ ન કરવા જેવી ફરિયાદો સામેલ છે.
એસએસસી શું છે? તેની પરીક્ષાઓ કેવી રીતે થાય છે?
એસએસસી એટલે સ્ટાફ સિલેક્શન કમિશન, જે કેન્દ્રીય સરકારી સેવાઓ માટે ઉમેદવારોની પસંદગીની જવાબદારી નિભાવે છે. ભારત સરકારે 1975માં તેની સ્થાપના કરી હતી. તેનું મુખ્યમથક નવી દિલ્હીમાં છે અને તે એક સ્વાયત્ત કેન્દ્રીય સરકારી સંસ્થા તરીકે કામ કરે છે.
એસએસસી પરીક્ષાઓનું આયોજન, આન્સર શીટની તપાસ અને પરિણામ જાહેર કરવા માટે જવાબદાર છે. 2010 પહેલાં એસએસસી માત્ર ગ્રૂપ બી (નોન-ગેઝેટેડ) અને ગ્રૂપ સી (નોન-ટેકનિકલ) પદો માટે પરીક્ષાઓનું આયોજન કરતું હતું. પરંતુ હવે તે ગ્રૂપ બી (ગેઝેટેડ) પદો જેવા કે આસિસ્ટન્ટ એકાઉન્ટ્સ ઓફિસર અને આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર જેવા પદો માટે પણ પરીક્ષાઓ યોજે છે, જે એકાઉન્ટ્સ અને ઓડિટ સેવાઓ સાથે સંકળાયેલા છે.
દેશની અગ્રણી ટેકનોલોજી કંપનીઓમાંથી એક ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ) ઘણા વર્ષોથી આ પરીક્ષાઓનું પ્રબંધન કરતી હતી. પરંતુ તાજેતરમાં સરકારે એક સેન્ટ્રલાઈઝ્ડ પરીક્ષા સિસ્ટમ શરૂ કરી હતી, જે અગાઉની સિસ્ટમના સ્થાને લાવવામાં આવી હતી. પરંતુ હવે આ નવી સિસ્ટમને લઈને સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે કે આ વખતે તેના હેઠળ યોજાતી પરીક્ષાઓમાં અનેક પ્રકારની અનિયમિતતાના આરોપો લાગ્યા છે.
પરીક્ષામાં ગડબડના આરોપો
ઘણી ફરિયાદોમાં જણાવાયું છે કે પરીક્ષાર્થીઓને 500-500 કિલોમીટર દૂરના પરીક્ષા કેન્દ્રો પર મોકલવામાં આવ્યા હતા.સમાચાર એજન્સી પીટીઆઈને એક પરીક્ષાર્થીએ જણાવ્યું, “પરીક્ષાર્થીઓને દૂરના કેન્દ્રો પર મોકલવામાં આવી રહ્યા છે. પરંતુ ત્યાં પહોંચ્યા બાદ ખબર પડે છે કે પરીક્ષા રદ કરી દેવામાં આવી છે.
કેટલીક જગ્યાએ વિદ્યાર્થીઓ ઉપરના માળે પરીક્ષા આપી રહ્યા હતા, નીચે પશુઓના કાપેલા માથાં રાખવામાં આવ્યા હતા. વિરોધ કરનારા પરીક્ષાર્થીઓને ચૂપ કરાવવા માટે બાઉન્સરો રાખવામાં આવ્યા હતા. પરીક્ષાર્થીઓ જે કમ્પ્યુટર પર પરીક્ષા આપી રહ્યા હતા, તેના માઉસ કામ નહોતા કરતા. સિસ્ટમ હેંગ થઈ રહી હતી.”આ પરીક્ષાર્થીનું કહેવું હતું કે એસએસસી ડાયરેક્ટર સાથેની બેઠકમાં જાતે અધિકારીઓએ સ્વીકાર્યું કે તેમને આ પરીક્ષાને લઈને 55,000થી વધુ ફરિયાદો મળી છે.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, પરીક્ષાર્થીઓનું કહેવું છે કે ત્રણ લાખ ઉમેદવારોમાંથી 55 હજારે ફરિયાદો કરી છે. આ પોતે જ ઘણું કહી જાય છે. હવે 13 ઓગસ્ટથી એસએસસી-સીજીએલ (કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ)ની પરીક્ષા શરૂ થવાની છે, જેમાં 30 લાખ પરીક્ષાર્થીઓ હશે, તો આ ખસ્તાહાલ સિસ્ટમ તેની સાથે કેવી રીતે નિપટશે.ઘણા પરીક્ષાર્થીઓએ જણાવ્યું કે પરીક્ષા કેન્દ્રો દૂરના અને અસુરક્ષિત સ્થળોએ બનાવવામાં આવ્યા છે.
સિસ્ટમ ક્રેશ, બાઉન્સરો તૈનાત કરવાના આરોપો
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, ઘણા પરીક્ષાર્થીઓએ પરીક્ષા કેન્દ્રો પર બાઉન્સરોની હાજરી પર પણ સવાલ ઉઠાવ્યા છે. એક પરીક્ષાર્થીએ કહ્યું, “પરીક્ષા કેન્દ્ર પર બાઉન્સરોની શું જરૂર છે? અમે કોઈ ગુનેગાર નથી. અમે બહેતર સિસ્ટમની માગણી કરી રહ્યા છીએ. અમે હુલ્લડ નથી કરી રહ્યા.”પરીક્ષાર્થીઓનું કહેવું છે કે પરીક્ષાની વ્યવસ્થા કરનારી એજન્સી બદલવામાં આવી હોવાને કારણે ગડબડીઓ થઈ છે.
આ એજન્સી પારદર્શી અને વ્યવસ્થિત પરીક્ષા યોજવામાં નિષ્ફળ દેખાઈ રહી છે.પરીક્ષાર્થીઓએ એસએસસીને આ એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરવાની માગણી કરી છે. તેમનું કહેવું છે કે આ એજન્સીનો રેકોર્ડ અગાઉ યૂપીએસસી જેવી પરીક્ષાઓમાં પણ ખરાબ રહ્યો છે, તેમ છતાં તેને ફરીથી જવાબદારી સોંપવામાં આવી.પરીક્ષાર્થીઓએ અવ્યવસ્થા માટે એજન્સીને જવાબદાર ઠેરવી અને તેના પર તાત્કાલિક કાર્યવાહીની માગણી કરી.
પ્રદર્શનને સોશિયલ મીડિયા પર સમર્થન
સોશિયલ મીડિયા પર પ્રદર્શનકારીઓને ઘણું સમર્થન મળી રહ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પ્રદર્શનકારીઓના સમર્થનમાં #SSCSystemSudharo, #SSCMisManagement અને #SSCVendorFailure જેવા હેશટેગ ઝડપથી ટ્રેન્ડ કરી રહ્યા છે. યૂઝર્સ એસએસસી અને કાર્મિક મંત્રાલય પાસે આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપની માગણી કરી રહ્યા છે.
કોંગ્રેસનું વિદ્યાર્થી સંગઠન એનએસયૂઆઈ આ આંદોલનનું સમર્થન કરી રહ્યું છે. એનએસયૂઆઈએ આરોપ લગાવ્યો છે કે દિલ્હીમાં જંતર-મંતર પર પરીક્ષામાં અવ્યવસ્થાને લઈને શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા પરીક્ષાર્થીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પ્રદર્શનમાં સામેલ એનએસયૂઆઈના અધ્યક્ષ વરુણ ચૌધરીએ જણાવ્યું, “આ ફક્ત પરીક્ષામાં ગડબડનો મુદ્દો નથી.
આ તે સરકારના વલણનો મામલો છે, જે ન્યાયની માગણી કરતા યુવાનોને ચૂપ કરાવવા માગે છે.”એનએસયૂઆઈએ જણાવ્યું છે કે જો સરકાર આ મામલે કાર્યવાહી નહીં કરે તો સંગઠન પોતાના સમર્થકો સાથે દેશભરમાં પ્રદર્શન કરશે.
આ પણ વાંચો-પાકિસ્તાનમાં તેલના ‘વિશાળ ભંડારો’ ક્યાં છે, જેને લઈને ટ્રમ્પે કરી છે કરારની જાહેરાત


