માતા અને 4 બહેનોની હત્યા કરનાર અસદ વિશે વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ...; પાડોશીઓએ ખોલ્યા ઘણા રહસ્યો
- કેમ અસદે તેની માતા અને 4 બહેનોની હત્યા કરી નાંખી?
- અસદના પડોશીઓએ ઘણા રહસ્યો ખોલ્યા
- અસદનો સ્વભાવ ઝઘડાખોર અને સનકી
- અસદ પરિવારને ત્રાસ આપતો હતો
- અસદ ગલીઓમાં ફરીને સામાન વેચતો હતો
Lucknow Hotel Murder Case: આગ્રાના રહેવાસી અસદે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની એક હોટલમાં તેની માતા અને ચાર બહેનોની હત્યા કરી નાખી. નવા વર્ષે બનેલી આ હૃદયદ્રાવક ઘટનાથી સૌ કોઈ ચોંકી ગયા છે. ત્યારે અસદના પડોશીઓએ હવે આ મામલે ઘણા રહસ્યો ખોલ્યા છે.
પાડોશીઓએ અનેક રહસ્યો ખોલ્યા
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં નવા વર્ષે એક હોટલમાં અસદ નામના યુવકે તેની માતા અને ચાર બહેનોની નિર્દયતાથી હત્યા કરી નાખી. આરોપી આગ્રાના તેડી બગીયા વિસ્તારનો રહેવાસી છે. હાલ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે અને આરોપીની પૂછપરછ કરી રહી છે. નવા વર્ષે બનેલી હૃદયદ્રાવક ઘટનાથી સૌ કોઈ ચોંકી ગયા છે. આ મામલાને લઈને લોકલ 18ની ટીમ આગ્રામાં અસદ જ્યાં રહે છે, તે વિસ્તારમાં પહોંચી હતી અને તેના પાડોશીઓ સાથે વાત કરી હતી. જેમાં પાડોશીઓએ અનેક રહસ્યો ખોલ્યા હતા.
આ પણ વાંચો : Delhi : કેજરીવાલના આક્ષેપથી રાજકીય ગરમાવો, કેન્દ્રની ત્રણ કૃષિ કાયદા પાછા લાવવા તૈયારી?
બદાઉનથી આગ્રા અને પછી લખનૌ સુધીની અસદની સફર!
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, અસદ મૂળ બદાઉનનો રહેવાસી છે. લગભગ 6-7 વર્ષ પહેલા તે આગ્રાના ઇસ્લામ નગરમાં સ્થાયી થયો હતો. પડોશીઓનું કહેવું છે કે, અસદનો સ્વભાવ ઝઘડાખોર અને સનકી છે.
તે તેના પરિવારને ત્રાસ આપતો હતો
પાડોશી મોહમ્મદ ઈસ્માઈલે જણાવ્યું કે, અસદ દરરોજ તેના બાળકો અને પત્નીને મારતો હતો. પાડોશીઓ સાથે પણ તેનું વર્તન સારું ન હતું. લખનૌમાં બનેલી ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. તે કોઈની સાથે બહુ વાત નહોતો કરતો. પાડોશીઓ સાથે પણ તેનો સ્વભાવ સારો ન હતો. દરરોજ પત્ની અને બાળકોને માર મારતો હતો. તેની બહેનો પર નજર રાખતો હતો.
આ પણ વાંચો : Bihar : લાલુની નવી રાજકીય ચાલ, નીતિશ સાથેના સંબંધો ફરી બનશે?
અજમેર જવાનું કહીને ઘરેથી નીકળી ગયો હતો
અન્ય એક પાડોશી બાબુએ જણાવ્યું કે, અસદ 8-10 દિવસ પહેલા અજમેર જવાનું કહીને ઘરેથી નીકળી ગયો હતો. આ પછી, આ હત્યાકાંડના સમાચાર આવ્યા. બાબુના જણાવ્યા અનુસાર, અસદ ગલીઓમાં ફરીને સામાન વેચતો હતો અને ઘણીવાર મોબાઈલમાં વ્યસ્ત રહેતો હતો. વીડિયોમાં જે આરોપ અસદે પડોશીઓ પર લગાવ્યા છે તે પાયાવિહોણા છે. ઉલટું તે પાડોશીઓ અને લોકોને હેરાન કરતો હતો. તે મને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપતો હતો.
પોલીસ તપાસ ચાલુ છે
અસદની આ ભયાનક હરકતથી તેના પડોશીઓને આઘાત લાગ્યો છે. તેઓ કહે છે કે, અસદનું વર્તન હંમેશાથી સનકી હતું, પરંતુ કોઈએ વિચાર્યું ન હતું કે, તે આ હદે જઈ શકે છે. પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, આ જઘન્ય હત્યાનું કારણ શું હતું.
આ પણ વાંચો : જે લંગડાએ દેશમાં સેંકડો બળાત્કાર કર્યા તેનું નામ તમે બાળકને આપ્યું, કરીના-સૈફ પર કુમાર વિશ્વાસ ભડક્યા


