Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું ભારત પર સૌથી ઓછું ટેરિફ લગાવશે અમેરિકા? અંતિમ તબક્કામાં ડીલ, ટ્રમ્પ બોલ્યા- બધુ ઠિક છે!

વ્યાપાર વાર્તાને લઈને ભારતીય દળ વોશિંગ્ટન ગયેલું છે અને ટેરિફને લઈને કરાર પર ચર્ચા થઈ રહી છે
શું ભારત પર સૌથી ઓછું ટેરિફ લગાવશે અમેરિકા  અંતિમ તબક્કામાં ડીલ  ટ્રમ્પ બોલ્યા  બધુ ઠિક છે
Advertisement
  • શું ભારત પર સૌથી ઓછું ટેરિફ લગાવશે અમેરિકા? અંતિમ તબક્કામાં ડીલ, ટ્રમ્પ બોલ્યા- બધુ ઠિક છે!

અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ (India-US Trade Deal)ને લઈને ચર્ચાએ વેગ પકડ્યો છે. વ્યાપાર વાર્તાને લઈને ભારતીય દળ વોશિંગ્ટન ગયેલું છે અને ટેરિફને લઈને કરાર પર ચર્ચા થઈ રહી છે. આમાં અમેરિકા ભારતથી ડેરી અને કૃષિ ઉત્પાદન પર ટેરિફ ઓછું કરવા માટે કહી રહ્યું છે, પરંતુ દેશહિતને લઈને ભારત પોતાની શરતો પર અડગ છે. તે ઉપરાંત ભારત ઈચ્છે છે કે અમેરિકા પોતાના ટેરિફને 15થી 10 ટકા ઓછું રાખે.

આ બધી ચર્ચાઓ વચ્ચે એક રિપોર્ટે ટેરિફને લઈને મોટો ખુલાસો કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા સાથે પ્રસ્તાવિત વ્યાપાર કરાર હેઠળ ભારતને પ્રેફરન્શિયલ ટેરિફ મળી શકે છે, જેનાથી સંભવત: 1 ઓગસ્ટથી અન્ય દેશો પર લગનાર ભારે રેસિપ્રોકલ ટેરિફથી સુરક્ષા મળી શકશે.

Advertisement

પ્રેફરન્શિયલ ટેરિફનો અર્થ વિયતનામ જેવા દેશોની સરખામણીમાં ભારતીય વસ્તુઓ પર ઓછું ટેરિફ લગાવવું. જેમ કે વિયતનામની વસ્તુઓ પર 20 ટકા ટેરિફ લાગશે તો ભારત પર આનાથી ઓછું ટેરિફ લાગશે.

Advertisement

સીનિયર અધિકારીએ શું જાણકારી આપી?

બિઝનેસ ટુડેના રિપોર્ટ અનુસાર, એક સીનિયર અધિકારીએ ઇન્ફોર્મિસ્ટે જણાવ્યું કે અમેરિકી કરાર બધી રીતે પ્રેફરન્શિયલ ટેરિફ વ્યવહાર બેસ્ડ છે. વિશેષ સચિવ અને મુખ્ય વાર્તાકાર રાજેશ અગ્રવાલે લીડરશીપમાં ભારતનું વ્યાપાર પ્રતિનિધિમંડળ કરારને અંતિમરૂપ આપવા માટે વોશિંગ્ટનમાં છે. આ ચર્ચા અમેરિકામાં ટેરિફમાં ફેરફારને લઈને થઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે અલગ-અલગ દેશોને ટેરિફને લઈને જાણકારી આપવાની શરૂઆત કરી દીધી છે. તો ભારત પર 26 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત થઈ છે.

અંતિમ તબક્કામાં વાતચીત

ગુરૂવારે ટેમ્પે એક મોટી જાહેરાત કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અમે ભારત સાથે ડીલને લઈને ખુબ જ ક્લોઝ છીએ. તેમને કહ્યું કે ડીલને લઈને ભારત સાથે વાતચીત સારી રીતે ચાલી રહી છે. બધુ જ ઠિક ચાલી રહ્યું છે અને ટૂંક જ સમયમાં ડીલ ફાઈનલ થઈ જશે.

ક્યાર સુધીમાં થઈ જશે India-US ટ્રેડ ડીલ?

ભારતના ઉદ્યોગ નિષ્ણાતો આશા રાખે છે કે 1 ઓગસ્ટની સમયમર્યાદા પહેલાં પ્રારંભિક કરાર થઈ જશે અથવા એક મીની ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે, જે ટેરિફથી થતા નુકસાનને ટાળવામાં મદદ કરશે. અમેરિકા ભારતનું સૌથી મોટું નિકાસ બજાર છે, જે કુલ નિકાસના 15% થી વધુ હિસ્સો ધરાવે છે.

વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2024-25માં, ભારતે અમેરિકાને $86.51 બિલિયનના માલની નિકાસ કરી હતી, જે $40.82 બિલિયનનો વેપાર સરપ્લસ નોંધાવ્યો હતો. જો અમેરિકા 26 ટકા પારસ્પરિક ટેરિફ લાદે છે, તો તેનાથી વેપાર નફામાં નોંધપાત્ર ઘટાડો થશે અને ભારતીય નિકાસકારોને ભારે નુકસાન થશે. ભારતને પસંદગીના વ્યવહારથી ઘણો ફાયદો થઈ શકે છે.

આ પણ વાંચો- Bihar Election 2025: ચૂંટણી પહેલા Tej Pratapની મોટી ગેમ, આજે નવી પાર્ટીની કરશે જાહેરાત

Tags :
Advertisement

.

×