Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહિલાઓને એક હત્યા કરવાની છુટ આપવી જોઈએ... શરદ પવારની પાર્ટીએ રાષ્ટ્રપતિને પત્ર લખીને કરી આ માંગ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)-શરદચંદ્ર પવારની મહિલા વિંગે - મહિલાઓ પરના અત્યાચારોને ધ્યાનમાં રાખીને એક હત્યા માટે સજામાં છુટ આપવાની માંગ કરી છે.
મહિલાઓને એક હત્યા કરવાની છુટ આપવી જોઈએ    શરદ પવારની પાર્ટીએ રાષ્ટ્રપતિને પત્ર લખીને કરી આ માંગ
Advertisement
  • NCP ની મહિલા વિંગે એક હત્યા માટે સજામાં છુટ આપવાની માંગ કરી
  • મહિલાઓ દમનકારી માનસિકતાનો અંત લાવવા માંગે છે
  • સુરક્ષાની દ્રષ્ટિએ ભારત મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત દેશ

NCP Demand : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)-શરદચંદ્ર પવારની મહિલા વિંગે - મહિલાઓ પરના અત્યાચારોને ધ્યાનમાં રાખીને એક હત્યા માટે સજામાં છુટ આપવાની માંગ કરી છે. પાર્ટીની મહિલા વિંગના પ્રમુખ રોહિણી ખડસેએ આ માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર પણ લખ્યો છે. આ પત્રમાં, પાર્ટીમાં મહિલાઓ પર થતા અત્યાચારોને ધ્યાનમાં રાખીને હત્યા કરવા બદલ સજામાં છૂટ આપવાની વિનંતી કરવામાં આવી છે.

મહારાષ્ટ્રનો એક અનોખો કિસ્સો

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. આ અવસર પર દરેક જગ્યાએ મહિલાઓના અધિકારો, તેમની શક્તિ અને સન્માનની ચર્ચા થઈ રહી છે. મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે ઘણી જગ્યાએ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક નેતાએ મહિલાઓને એક હત્યા કરવાની છુટ આપવાની માંગ કરી છે. ચાલો જાણીએ કે નેતાએ આ માંગ કેમ કરી.

Advertisement

આ પણ વાંચો :  'ખોદા પહાડ નીકલા ચૂહા', મહિલા સમૃદ્ધિ યોજના પર આતિશીનો ભાજપ પર પ્રહાર

Advertisement

મહિલાઓની હત્યા માટે સજામાં છૂટછાટની માંગ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં તેમણે કહ્યું છે કે મહિલાઓ દમનકારી માનસિકતા, બળાત્કારની માનસિકતા અને નિષ્ક્રિય કાયદો અને વ્યવસ્થાની વૃત્તિનો અંત લાવવા માંગે છે. એટલું જ નહીં, ખડસેએ મુંબઈમાં 12 વર્ષની બાળકી પર થયેલા ગેંગરેપની તાજેતરની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ સતત વધી રહ્યા છે. તેમણે પત્રમાં કહ્યું કે અમે બધી મહિલાઓ વતી, એક હત્યા કરવા પર સજામાં છુટની માંગ કરીએ છીએ.

પાર્ટીના નિશાના પર મહારાષ્ટ્ર સરકાર

વાસ્તવમાં, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)-શરદચંદ્ર પવારની પાર્ટી દ્વારા લખવામાં આવેલા આ પત્રનો હેતુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને રાજ્ય સરકાર પર નિશાન સાધવાનો છે. પાર્ટીએ પત્રમાં એક સર્વે રિપોર્ટનો પણ ઉલ્લેખ કર્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષાની દ્રષ્ટિએ ભારત મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત દેશ છે, કારણ કે તેમની સામે અપહરણ અને ઘરેલુ હિંસા સહિતના ઘણા ગુનાઓ આચરવામાં આવી રહ્યા છે. રોહિણી ખડસેએ પત્રમાં લખ્યું છે કે આશા છે કે રાષ્ટ્રપતિ મુર્મુ તેમની માંગણીઓ પર ગંભીરતાથી વિચાર કરશે અને પાર્ટીની આ માંગણી સ્વીકારશે.

આ પણ વાંચો :  Uttar Pradesh : હોળી-ઇદનાં તહેવાર પહેલા અનુજ ચૌધરીની હિન્દુ-મુસ્લિમ સમાજને ખાસ અપીલ

Tags :
Advertisement

.

×