Budget 2024 : બજેટ ભાષણ દરમિયાન નિર્મલા સીતારમણે કરી આ મોટી વાતો...
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં વર્ષ 2024-25નું વચગાળાનું બજેટ (Budget) રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે તાજેતરના સમયમાં ભારતીય અર્થતંત્રમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. તેમણે કહ્યું કે જ્યારે પીએમ મોદીએ 2014માં સત્તા સંભાળી ત્યારે ઘણા પડકારો હતા. અર્થતંત્ર મજબૂત બને અને લોકોને રોજગારી મળી શકે તે માટે જનહિતમાં અનેક કાર્યક્રમો અને યોજનાઓ બનાવવામાં આવી હતી. સરકારનું ધ્યાન સર્વસમાવેશક વિકાસ પર છે અને તમામ વર્ગો અને લોકો માટે સૌના વિકાસની વાત છે. 2047 સુધીમાં આપણે ભારતને વિકસિત દેશ બનાવીશું.
Finance Minister Nirmala Sitharaman presents the country's interim Budget
"...Our young country has high aspirations, pride in its present and hope and confidence for a bright future. We expect that our govt based on its stupendous work will be blessed again by the people with a… pic.twitter.com/qx1NaLFXtW
— ANI (@ANI) February 1, 2024
બજેટ (Budget) ભાષણની શરૂઆતમાં જ નાણામંત્રીએ કેન્દ્ર સરકારના લક્ષ્યાંકો જણાવતા મોદી સરકારના 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ'ના વિઝનની વાત કરી હતી. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષ પરિવર્તનનો સમયગાળો છે અને ભારતીય અર્થવ્યવસ્થા ખૂબ જ ઝડપી ગતિએ આગળ વધી છે.
બજેટ (Budget)ના ખાસ મુદ્દાઓ..
- નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યા છે. નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન મોટી જાહેરાત કરી હતી. નાણામંત્રીએ કહ્યું કે ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.
Interim Budget | "I propose to retain the same tax rates for direct and indirect taxes including import duties," says FM.#Budget2024 pic.twitter.com/EseKRQblWQ
— ANI (@ANI) February 1, 2024
- નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે તમામ આશા વર્કર, આંગણવાડી કાર્યકરોને આયુષ્માન ભારત યોજનાના દાયરામાં લાવવામાં આવશે.
- સર્વાઇકલ કેન્સર માટે રસીકરણ વધારવામાં આવશે. નેનો ડીએપીનો ઉપયોગ તમામ ક્ષેત્રોમાં વધારશે સરકાર ડેરી ખેડૂતોને મદદ કરવા માટે એક યોજના લાવશે.
- નાણામંત્રીએ કહ્યું કે 40 હજાર રેલવે કોચને વંદે ભારતમાં રૂપાંતરિત કરવામાં આવશે.
- નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું, “ત્રણ મોટા આર્થિક રેલવે કોરિડોર અમલમાં આવશે, આ છે – 1) એનર્જી, મિનરલ અને સિમેન્ટ કોરિડોર, 2) પોર્ટ કનેક્ટિવિટી કોરિડોર, 3) હાઇ ટ્રાફિક ડેન્સિટી કોરિડોર.
- નાણામંત્રીએ કહ્યું કે અર્થવ્યવસ્થામાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચી રહી છે. દેશના દરેક વર્ગના લોકો સુધી દરેક સુવિધા પહોંચી રહી છે.
#WATCH | Interim Budget 2024-25 | Union Finance Minister Nirmala Sitharaman says, "...The revised estimate of the fiscal deficit is 5.8% of GDP, improving on the budget estimate notwithstanding moderation in the nominal growth estimates." pic.twitter.com/MxehZWCPZA
— ANI (@ANI) February 1, 2024
- તેમણે કહ્યું કે આપણો યુવા દેશ ઉચ્ચ આકાંક્ષાઓ ધરાવે છે, તેને તેના વર્તમાન પર ગર્વ છે અને તેને ઉજ્જવળ ભવિષ્ય માટે આશા અને વિશ્વાસ છે. અમે આશા રાખીએ છીએ કે લોકો અમારી સરકારને તેના ઉત્કૃષ્ટ કામના આધારે ફરીથી મજબૂત જનાદેશ આપશે.
- નાણામંત્રીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષોમાં ભારતીય અર્થતંત્રમાં ગહન સકારાત્મક ફેરફારો જોવા મળ્યા છે, ભારતના લોકો આશા અને આશાવાદ સાથે ભવિષ્ય તરફ જોઈ રહ્યા છે. લોકોના આશીર્વાદથી, જ્યારે અમારી સરકારે (પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં) 2014માં સત્તા સંભાળી, ત્યારે દેશ સબકા સાથ, સબકા વિકાસના મંત્ર સાથે વિશાળ પડકારોનો સામનો કરી રહ્યો હતો. સરકારે તે પડકારોને યોગ્ય રીતે પાર કર્યા.
- નિર્મલા સીતારમણે કહ્યું કે તાજેતરના સમયમાં ભારતીય અર્થવ્યવસ્થામાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. પીએમ મોદીએ 2014માં સત્તા સંભાળી ત્યારે ઘણા પડકારો હતા. અર્થતંત્ર મજબૂત બને અને લોકોને રોજગારી મળી શકે તે માટે જનહિતમાં અનેક કાર્યક્રમો અને યોજનાઓ બનાવવામાં આવી હતી. સરકારનું ધ્યાન સર્વસમાવેશક વિકાસ પર છે અને તમામ વર્ગો અને લોકો માટે સૌના વિકાસની વાત છે. 2047 સુધીમાં આપણે ભારતને વિકસિત દેશ બનાવીશું.
#WATCH | Union Finance Minister Nirmala Sitharaman presents the Union Interim Budget 2024-25.
"...The Indian economy has witnessed a profound positive transformation in the last 10 years, The people of India are looking ahead to the future with hope and optimism. With the… pic.twitter.com/yJUnh3WLze
— ANI (@ANI) February 1, 2024
- નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે પીએમ જનમન યોજના એવા આદિવાસી જૂથોને મદદ કરે છે જેઓ વિકાસના અવકાશમાંથી બહાર રહી ગયા છે.કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ કહે છે, 'સ્કીલ ઈન્ડિયા મિશન 1.4 કરોડ યુવાનોને પ્રશિક્ષિત કર્યા છે, 54 લાખ યુવાનોને પ્રશિક્ષિત અને પુનઃકુશળ બનાવ્યા છે અને તેમની સ્થાપના કરી છે. 3000 નવી આઈ.ટી.આઈ. મોટી સંખ્યામાં સંસ્થાકીય ઉચ્ચ શિક્ષણ, એટલે કે 7 IITs, 16 IIITs, 7 IIMs, 15 AIIMS અને 390 યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી છે.
- બજેટ (Budget) ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે દર મહિને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે. ખેડૂતોની આવક વધારવાના પ્રયાસો કરવામાં આવશે. સર્વાઇકલ કેન્સરને રોકવાનો પ્રયાસ. આ માટે રસીકરણ કરશે.
- નાણામંત્રીએ કહ્યું કે 11.8 કરોડ ખેડૂતોને સરકારી સહાય આપવામાં આવી છે અને PM કિસાન સન્માન નિધિ યોજના દ્વારા કરોડો ખેડૂતોને રોકડ રકમ સીધી ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. દેશની અન્નદાતાને આ યોજનાનો લાભ મળી રહ્યો છે અને પીએમ ફસલ યોજનાનો લાભ 4 કરોડ ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે.
આં પણ વાંચો : Budget 2024 : જો નાણામંત્રી આ માંગણીઓ સાથે સંમત થાય તો પગારદાર વર્ગની થશે બલ્લે-બલ્લે