Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગોંડલના ખેડુતો માટે અગત્યની સુચના, માર્કેટિંગ યાર્ડ શ્રાવણ મહિનામાં 11 દિવસ રહેશે બંધ

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ શ્રાવણ માસ દરમિયાન આવતા તહેવારને લઈને ગોંડલ માર્કેટયાર્ડ અલગ અલગ રજાના દિવસે બંધ રહેશે. ગોંડલ માર્કેટયાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન તરફથી નક્કી કરવામાં આવેલ કે, આગામી શ્રાવણ માસ દરમિયાન આવતા વાર તહેવાર, અને જાહેર રજાઓ કારણે...
ગોંડલના ખેડુતો માટે અગત્યની સુચના  માર્કેટિંગ યાર્ડ શ્રાવણ મહિનામાં 11 દિવસ રહેશે બંધ
Advertisement

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

શ્રાવણ માસ દરમિયાન આવતા તહેવારને લઈને ગોંડલ માર્કેટયાર્ડ અલગ અલગ રજાના દિવસે બંધ રહેશે. ગોંડલ માર્કેટયાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન તરફથી નક્કી કરવામાં આવેલ કે, આગામી શ્રાવણ માસ દરમિયાન આવતા વાર તહેવાર, અને જાહેર રજાઓ કારણે હરરાજી અને યાર્ડ નું કામ કાજ બંધ રહેશે યાર્ડમાં આવતા ખેડૂતો વેપારીઓ, જનરલ કમિશન એજન્ટો, તોલાટ, મજૂરો, વાહનમાલિકો સહિતનાએ રજાના દિવસે કામ કાજ બંધ રાખવામાં આવશે.

Advertisement

Gondal Marketing Yard will remain closed

Advertisement

તાજેતરમાં જ સમગ્ર રાજ્યની માર્કેટીંગ યાર્ડની આવકમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડનો પ્રથમ નંબર આવવા પામ્યો છે. ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો મગફળી, ધાણા, મરચા સહિતની 55થી પણ વધુ જણસીઓ લઈને આ માર્કેટયાર્ડમાં વેચવા આવી રહ્યા છે.

Gondal Marketing Yard will remain closed

શ્રાવણ માસ દરમિયાન આ દિવસે ગોંડલ માર્કેટયાર્ડ માં હરરાજી અને યાર્ડ બંધ રહેશે.

  • તા. 21/8/2023 - સોમવારે જણસીની હરરાજી બંધ રહેશે.
  • તા. 28/8/2023 - સોમવારે જણસી ની હરરાજી બંધ રહેશે.
  • તા. 30/8/2023 - બુધવાર (રક્ષાબંધન) ના દિવસે જાહેર રજા ને લઈને યાર્ડ નું તમામ કામકાજ બંધ રહેશે.
  • તા. 4/9/2023 - સોમવારે હરરાજી બંધ રહેશે.
  • તા. 5/9/2023 - મંગળવાર (રાંધણછઠ) ના દિવસે હરરાજી બંધ રહેશે.
  • તા. 6/9/2023 - બુધવાર (શીતળા સાતમ) ના દિવસે હરરાજી અને યાર્ડ નું કામકાજ બંધ રહેશે.
  • તા. 7/9/2023 - ગુરુવાર (જન્માષ્ટમી) ના દિવસે હરરાજી અને યાર્ડ નું કામકાજ બંધ રહેશે.
  • તા. 8/9/2023 - શુક્રવાર (નોમ) ના દિવસે હરરાજી અને યાર્ડ નું કામકાજ બંધ રહેશે.
  • તા. 9/9/2023 - શનિવાર (દશમ) ના દિવસે હરરાજી બંધ રહેશે
  • તા. 11/9/2023 - સોમવાર ના દિવસે હરરાજી બંધ રહેશે
  • તા. 15/9/2023 - શુક્રવાર (ભાદરવી અમાસ) ના દિવસે હરરાજી અને યાર્ડ નું કામકાજ બંધ રહેશે.

આ પણ વાંચો : વડોદરાની MSUમાં વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત, મિત્રો સાથે વાત કરતા કરતા ઢળી પડ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×