Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અંબાજી મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર્શન કરવા આવશે

અહેવાલ- શક્તિસિંહ રાજપૂત, અંબાજી અંબાજી મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર્શન કરવા આવશે.ત્યારે માંકડી રિહાન વિદ્યાલયના આદીવાસી વિદ્યાર્થીઓ લોકનૃત્યથી સ્વાગત કરશે.અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે. PM મોદી અંબાજી દર્શન કરવા આવશે શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે...
અંબાજી મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર્શન કરવા આવશે
Advertisement

અહેવાલ- શક્તિસિંહ રાજપૂત, અંબાજી

અંબાજી મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર્શન કરવા આવશે.ત્યારે માંકડી રિહાન વિદ્યાલયના આદીવાસી વિદ્યાર્થીઓ લોકનૃત્યથી સ્વાગત કરશે.અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે.

Advertisement

PM મોદી અંબાજી દર્શન કરવા આવશે

Advertisement

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે.ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરના રોજ અંબાજી માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે.ત્યારે અંબાજી ખાતે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ચીખલા હેલીપેડ થી અંબાજી ગામમાં જગ્યા જગ્યા પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે.ત્યારે 30 ઓક્ટોબરના રોજ સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માતાજીના દર્શન કરવા ચીખલા હેલીપેડથી મંદિર સુધી મોટર માર્ગે આવનાર છે.અંબાજી મંદિરના ચાચર ચોકમાં આદિવાસી સમાજના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગત માટે આદિવાસી લોક નૃત્ય પ્રસ્તુત કરવામાં આવશે.

આદિવાસી બાળકો આદિવાસી લોક નૃત્ય કરીને PMનું સ્વાગત કરશે

દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકો છે.આ તાલુકામાં સૌથી વધુ આદિવાસી સમાજ વસવાટ કરે છે.દાંતા તાલુકામાં અંતરિયાળ વિસ્તારમાં આવેલું માંકડી ગામ જ્યાં રિહાન વિદ્યાલય આવેલી છે.આ શાળાના ધોરણ 11 અને 12ના શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા આદિવાસી લોક નૃત્ય ઢોલ સાથે અંબાજી મંદિરમાં આજે પ્રેક્ટિસ કરવામાં આવી હતી અને 30 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ચાચર ચોકમાં આવશે ત્યારે આદિવાસી બાળકો આદિવાસી લોક નૃત્ય કરીને પ્રધાનમંત્રીનું સ્વાગત કરશે.

પીએમ મોદીએ મન કી બાતમાં આદિવાસી સમાજ નો ઉલ્લેખ કર્યો

આજે રવિવારે મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી જેમાં દાંતા તાલુકાના આદિવાસી સમાજ વિશે પણ ચર્ચા કરી હતી અને અંબાજી મંદિર વિશે પણ તેમણે ચર્ચા કરી હતી.

આ પણ વાંચો - ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સુરત જિલ્લાની મુલાકાતે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×