ગરમીથી જલ્દી જ મળશે રાહત! કેરળમાં પ્રિ મોન્સૂન ગતિવિધિઓ શરૂ
Pre monsoon Activities : આ વર્ષના ઉનાળામાં ગરમીનો પ્રકોપ (summer heat wave) વધુ જોવા મળી રહ્યો છે. આકાશથી સતત અગનજ્વાળાનો પ્રકોપ જોવા મળ્યો છે. ખાસ કરીને ગુજરાતમાં ગરમીએ લોકોને ખૂબ જ પરેશાન કર્યા છે. ત્યારે હવે તેમના માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. દેશના દક્ષિણ ભાગ (southern part) માં ભારે વરસાદ (Heavy Rain) પડી રહ્યો છે. ખાસ કરીને કેરળમાં મોનસૂને પ્રવેશ કરી લીધો છે. જણાવી દઇએ કે, 20 મેના રોજ તમિલનાડુ (Tamilnadu) ના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો અને કેરળ (Kerala) ના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ (Heavy Rain Alert) છે, આ વરસાદની અસર એટલી વધી શકે છે કે સરકારે તમામ જિલ્લાઓમાં ઈમરજન્સી સેન્ટરો ખોલ્યા છે.
દેશના દક્ષિણ વિસ્તારના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ
દેશના દક્ષિણ વિસ્તારના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ (IMD) એ કેરળના તિરુવનંતપુરમ, કોલ્લમ, અલાપ્પુઝા, એર્નાકુલમ અને થ્રિસુર જિલ્લામાં આજે એટલે કે 21 મે સુધી ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કેરળના પલક્કડ, મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ, કન્નુર અને કાસરગોડ જિલ્લામાં યલો એલર્ટ ચાલુ છે. હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ અનુસાર, રાજધાની તિરુવનંતપુરમમાં છેલ્લા બે દિવસમાં 200 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. કોઝિકોડમાં છેલ્લા 24 કલાકમાં 116 મીમી વરસાદ નોંધાયો છે. વળી, કોચી, પુનાલુર અને અલપ્પુઝામાં પણ છેલ્લા બે દિવસમાં મધ્યમથી ભારે વરસાદ થયો છે.
#WATCH | Kerala: Rain lashes several parts of Ernakulam pic.twitter.com/T1g7WaYsVw
— ANI (@ANI) May 21, 2024
વરસાદનું પાણી લોકોના ઘરમાં ઘુસ્યું
આગામી ત્રણ દિવસ સુધી હવામાનની ગતિવિધિઓ ચાલુ રહેશે. જો કે, આ જુદા જુદા ભાગોમાં સમયાંતરે થશે. જણાવી દઇએ કે, તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં વરસાદ લોકો માટે સમસ્યા બની ગયો છે. વરસાદનું પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયું છે અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે કેરળમાં, ગામડાઓ અને શહેરોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની અને વૃક્ષો ધરાશાયી થવાની વ્યાપક ઘટનાઓ બની છે.
એલર્ટ પર હોસ્પિટલ
ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને રોગોના ભય વચ્ચે ઈમરજન્સી સેન્ટરો અને હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. કેરળ સરકારે સોમવારે જણાવ્યું હતું કે, ભૂસ્ખલનની સંભાવના હોવાથી તમામ જિલ્લા કલેક્ટરો અને સંબંધિત કચેરીઓમાં કટોકટી ઓપરેશન કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. હોસ્પિટલોને પણ એલર્ટ પર રાખવામાં આવી છે અને રોગચાળાના ફેલાવા જેવી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે પુરવઠાનો સ્ટોક રાખવામાં આવ્યો છે.
પ્રવાસી કેન્દ્રો બંધ
ભારે વરસાદને કારણે દરિયાકાંઠાના અલાપ્પુઝામાં કુટ્ટનાડ પ્રદેશમાં ઘણા નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા હતા, જ્યારે નજીકના કોચીમાં પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. ભૂસ્ખલનના સંભવિત ખતરાને કારણે થ્રિસુરમાં વઝાચલ અને અથિરાપલ્લીના પ્રખ્યાત પર્યટન કેન્દ્રો મંગળવારથી બંધ રહેશે.
આ પણ વાંચો - Weather : સાવધાન,આજથી આકાશમાંથી અગનગોળા વરસશે
આ પણ વાંચો - SUMMER HEATWAVE : હવે થઈ જાઓ સાવધાન! રાજ્યમાં હિટવેવના કારણે હિટ રીલેટેડ કેસોમાં નોંધાયો વધારો


