Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Odisha train accident : જાણો જે સ્કૂલમાં 'શબઘર' બનાવવમાં આવ્યું હતું તે સ્કૂલમાં શા માટે વિદ્યાર્થીઓ જવાની ના પાડે છે ?

ઓડિશામાં થયેલા ભયાનક ટ્રેન દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો હતો. આ દુર્ઘટનામાં 288 મુસાફરોના મોત થયા હતા, જ્યારે સેંકડો ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે એવી જાણકારી મળી રહી છે કે, જે શાળામાં મુસાફરોના મૃતદેહ રાખવામાં આવ્યા હતા...
odisha train accident   જાણો જે સ્કૂલમાં  શબઘર  બનાવવમાં આવ્યું હતું તે સ્કૂલમાં શા માટે વિદ્યાર્થીઓ જવાની ના પાડે છે
Advertisement

ઓડિશામાં થયેલા ભયાનક ટ્રેન દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો હતો. આ દુર્ઘટનામાં 288 મુસાફરોના મોત થયા હતા, જ્યારે સેંકડો ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે એવી જાણકારી મળી રહી છે કે, જે શાળામાં મુસાફરોના મૃતદેહ રાખવામાં આવ્યા હતા ત્યાં જવાની બાળકોએ ના પાડી છે. આ શાળા બાલાસોર જિલ્લાના બહાનાગા ગામમાં આવેલી છે.

બહાનગા બજાર રેલ્વે સ્ટેશન પાસે ત્રણ ટ્રેનો વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ તરત જ જ્યારે એક પછી એક મૃતદેહો મેળવવાની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે ગામની હાઈસ્કૂલની ઈમારતને હંગામી શબઘરમાં ફેરવાઈ ગઈ હતી.

Advertisement

શાળા વ્યવસ્થાપન સમિતિએ મકાન તોડી પાડવા વિનંતી કરી હતી

Advertisement

સફેદ કફનમાં લપેટાયેલા મૃતદેહોને 65 વર્ષ જૂની સ્કૂલ બિલ્ડિંગમાં રાખવામાં આવ્યા હતા. હવે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ બાળકોને શાળાએ મોકલવામાં પરેશાન થઈ રહ્યા છે. સ્કૂલ મેનેજમેન્ટ કમિટી (SMC) એ રાજ્ય સરકારને આ ઈમારત તોડી પાડવા વિનંતી કરી છે. જો કે, સમિતિએ તેની પાછળનું કારણ બિલ્ડીંગનું જૂનું હોવાનું જણાવ્યું છે.

શાળાના વરિષ્ઠ વિદ્યાર્થીઓ બચાવ કામગીરીમાં જોડાયા હતા

બહનાગા હાઈસ્કૂલની મુખ્ય શિક્ષિકા પ્રમિલા સ્વૈને જણાવ્યું કે શાળામાં ભણતા નાના બાળકો ડરી ગયા છે. શાળાએ બાળકોના મનમાંથી ડર દૂર કરવા માટે 'આધ્યાત્મિક કાર્યક્રમો' અને ધાર્મિક વિધિઓનું આયોજન કરવાનું આયોજન કર્યું છે. તેમણે જણાવ્યું કે શાળાના કેટલાક વરિષ્ઠ વિદ્યાર્થીઓ અને NCC કેડેટ્સે પણ બચાવ કાર્યમાં ભાગ લીધો હતો.

કલેક્ટરે સ્થળ પર પહોંચી શિક્ષકો અને બાળકોને સમજાવ્યા હતા

મામલો પ્રકાશમાં આવ્યા પછી, શાળા અને સામૂહિક શિક્ષણ વિભાગે બાલાસોરના કલેક્ટર દત્તાત્રય ભાઈસાહેબને ઘટનાસ્થળની મુલાકાત લેવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યાં પહોંચીને તેમણે કહ્યું, 'હું સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો, મુખ્ય શિક્ષક અને અન્ય સ્ટાફ સાથે સ્થાનિક લોકોને પણ મળ્યો છું. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે જૂની ઈમારતને તોડીને નવી ઈમારત બાંધવામાં આવે, જેથી બાળકોને ક્લાસમાં જવાનો ડર ન લાગે.

પહેલા ત્રણ ક્લાસમાં મૃતદેહો રાખવામાં આવ્યા, બાદમાં હોલ પણ ખોલવામાં આવ્યો

શાળા સમિતિએ અગાઉ મૃતદેહોને માત્ર 3 વર્ગોમાં રાખવાની પરવાનગી આપી હતી, પરંતુ બાદમાં જિલ્લા વહીવટીતંત્રે મૃતદેહોને ઓળખ માટે ખુલ્લા હોલમાં રાખ્યા હતા. શાળામાં ભણતા બાળકના પિતા સુજીત સાહુએ જણાવ્યું કે, 'અમારા બાળકો શાળાએ જવાની ના પાડી રહ્યા છે. બાળકોની માતાઓ પણ તેમને આ શાળામાં મોકલવા તૈયાર નથી. કેટલાક વાલીઓ તેમના બાળકોની શાળા બદલવાનું પણ વિચારી રહ્યા છે. દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી (DEO) બિષ્ણુ ચરણ સુતારે વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રોત્સાહિત કરવા માટે એક બેઠકનું આયોજન કર્યું હતું.

આ પણ વાંચો : બિહાર : 25 કલાકની ભારે જહેમત બાદ કિશોરને સ્લેબ તોડીને બહાર કઢાયો

Tags :
Advertisement

.

×