Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sports : પૂર્વ પાકિસ્તાની ઓલરાઉન્ડર રઝાકે માંગી માફી, બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય પર કરી હતી અભદ્ર ટિપ્પણી

પાકિસ્તાનના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ક્રિકેટર અબ્દુલ રઝાકે બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય પર કરેલી અભદ્ર ટિપ્પણી બદલ માફી માંગી છે. રઝાકે કહ્યું કે તે પોતાની અભદ્ર ટિપ્પણીથી ખૂબ જ શરમ અનુભવે છે અને માફી માંગે છે. સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા એક...
sports   પૂર્વ પાકિસ્તાની ઓલરાઉન્ડર રઝાકે માંગી માફી  બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય પર કરી હતી અભદ્ર ટિપ્પણી
Advertisement

પાકિસ્તાનના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ક્રિકેટર અબ્દુલ રઝાકે બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય પર કરેલી અભદ્ર ટિપ્પણી બદલ માફી માંગી છે. રઝાકે કહ્યું કે તે પોતાની અભદ્ર ટિપ્પણીથી ખૂબ જ શરમ અનુભવે છે અને માફી માંગે છે. સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા એક વીડિયોમાં રઝાએ કહ્યું કે તેનો ઈરાદો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. તે એક અલગ ઉદાહરણ આપવા માંગતો હતો પરંતુ જીભ લપસી જવાને કારણે તેણે ઐશ્વર્યા રાયનું નામ લીધું.

'હું મારી ટિપ્પણીથી ખૂબ જ શરમ અનુભવું છું'

સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતા અબ્દુલ રઝાકે કહ્યું, 'ગઈકાલે કરેલી મારી ટિપ્પણીથી હું ખૂબ જ શરમ અનુભવું છું. હું સારી રીતે જાણું છું કે મેં ખૂબ જ ખરાબ શબ્દો કહ્યા હતા. મારી આ ભૂલ માટે હું તમારા બધાની માફી માંગુ છું. કૃપા કરીને તમે બધા મને માફ કરો. હું મારા શબ્દોમાં એક અલગ પ્રકારનું ઉદાહરણ રજૂ કરવા માંગતો હતો પરંતુ મારી જીભ લપસી ગઈ અને મેં ઐશ્વર્યા રાયનું નામ લીધું.

Advertisement

રઝાકે પીસીબીની સરખામણી ઐશ્વર્યા રાય સાથે કરી હતી

ખરેખર, અબ્દુલ રઝાકે એક કાર્યક્રમમાં પીસીબીની સરખામણી ઐશ્વર્યા રાય સાથે કરી હતી અને કહ્યું હતું કે હું અહીં પીસીબીના ઈરાદાની વાત કરી રહ્યો છું. જ્યારે હું રમી રહ્યો હતો, ત્યારે મને ખબર હતી કે મારો કેપ્ટન યુનિસ ખાન હતો, જેનો ઈરાદો ઘણો સારો હતો. હું હંમેશા તેમની પાસેથી આત્મવિશ્વાસ શીખ્યો અને ભગવાનની કૃપાથી મેં પાકિસ્તાન માટે પણ સારું પ્રદર્શન કર્યું. પરંતુ આજકાલ પીસીબીના ઈરાદા અને ખેલાડીઓના ઈરાદાનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. તો અમે તમને જણાવી દઈએ કે અહીં પાકિસ્તાનમાં કોઈ પણ ખેલાડી પોલીશ નથી હોતો, તેને પોતાની રીતે ડેવલપ કરવામાં આવે છે. જો તમને લાગતું હોય કે જો હું ઐશ્વર્યા રાય સાથે લગ્ન કરીશ તો મને ઉમદા અને સદ્ગુણી બાળકો થશે, તો આવું ક્યારેય નહીં થઈ શકે.

Advertisement

શાહિદ આફ્રિદી કઠોરતાથી બોલ્યા

અબ્દુલ રઝાક પોતાની અભદ્ર ટિપ્પણી માટે સતત ટીકાનો શિકાર બનવા લાગ્યા. તેને પોતાના જ દેશના ઘણા ક્રિકેટરો પાસેથી આકરા શબ્દો સાંભળવા પડ્યા હતા. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ પણ રઝાકના આ નિવેદન પર દુખ વ્યક્ત કર્યું હતું.

આ પણ વાંચો : IND vs NZ : રોહિત શર્મા બન્યો સૌથી મોટો સિક્સર કિંગ, આ દિગ્ગજ ખેલાડીને છોડ્યો પાછળ

Tags :
Advertisement

.

×