Babar Azam IND vs PAK મેચ નહીં રમે? પાકિસ્તાની કોચના નિવેદનથી સસ્પેન્સ
- IND vs PAK મેચમાં બાબર આઝમના રમવા અંગે સસ્પેન્સ છે
- શું બાબર આઝમને પાકિસ્તાનની પ્લેઇંગ-11માં તક નહીં મળે?
- બાબર આઝમે ન્યૂઝીલેન્ડ સામે શાનદાર ઇનિંગ રમી
Babar Azam Ind vs Pak: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની એક હાઇ-વોલ્ટેજ મેચ આજે એટલે કે 23 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ મહાન મેચ પહેલા, પાકિસ્તાની ટીમના ભૂતપૂર્વ કેપ્ટન બાબર આઝમ આ મેચમાં રમશે કે કેમ તે અંગે સસ્પેન્સ છે.
PCB chairman Mohsin Naqvi confirms Pakistan released 22 Indian fishermen today. He also says Pakistan team will surprise everyone against India tomorrow In Shaa Allah 🇵🇰🇮🇳❤️❤️ #ChampionsTrophy2025 pic.twitter.com/2C7f0QD4Dv
— Farid Khan (@_FaridKhan) February 22, 2025
આ મેચ પહેલા, કાર્યકારી કોચ આકિબ જાવેદે બાબરના પ્રેક્ટિસ મેચ ન રમવાનું કોઈ કારણ આપ્યું ન હતું. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, PCB ચેરમેન મોહસીન નકવીએ બાબર આઝમની ઉપલબ્ધતા અંગે કોઈ સ્પષ્ટ નિવેદન આપ્યું ન હતું. સાથે જ તેમણે પાકિસ્તાનને કોઈપણ કિંમતે ભારત સામે જીતવા માટે આગ્રહ કર્યો. આ મેચ પહેલા, બાબર આઝમ પ્રેક્ટિસ સેશનમાં ટીમ સાથે નહોતો, જેના પછી પણ તેના રમવા અંગે શંકા છે.
શું બાબર આઝમ ભારત -પાકિસ્તાન મેચ નહીં રમે? પાકિસ્તાની કોચે શું કહ્યું?
ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમાયેલી ન્યુઝીલેન્ડ સામેની મેચમાં પાકિસ્તાન ટીમના સ્ટાર બેટ્સમેન બાબર આઝમે 94 બોલમાં 64 રન બનાવ્યા હતા. ધીમી બેટિંગને કારણે તેને ટીકાનો સામનો કરવો પડ્યો. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન ટીમને ન્યૂઝીલેન્ડ સામેની પોતાની પહેલી મેચમાં 60 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનની હાર બાદ, બાબર પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેણે લક્ષ્ય તરફ આગળ વધવાનું દબાણ હોવા છતાં રન રેટમાં વધારો કર્યો ન હતો.
Dubai was lit up by @DP_World on the eve of the India-Pakistan #ChampionsTrophy match 🎆 pic.twitter.com/mH6hJ8Megc
— ICC (@ICC) February 23, 2025
ભૂતપૂર્વ કેપ્ટને આરામ લેવાનો નિર્ણય લીધો છે
પાકિસ્તાનના કાર્યકારી મુખ્ય કોચ આકિબ જાવેદે પ્રેક્ટિસ પછી મીડિયા સાથે વાત કરતા બાબર આઝમની પ્રેક્ટિસમાંથી ગેરહાજરીનું કોઈ કારણ આપ્યું ન હતું. તેમણે કહ્યું કે ભૂતપૂર્વ કેપ્ટને આરામ લેવાનો નિર્ણય લીધો છે. દરમિયાન, પીસીબી પ્રમુખ મોહસીન નકવીએ રવિવારે દુબઈમાં ભારત-પાકિસ્તાન મેચ પહેલા કહ્યું હતું કે આપણે આ મેચ કોઈપણ કિંમતે જીતવી જ પડશે.
ICC Champions Trophy । Dubai માં ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહનો માહોલ । Gujarat First
- ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારત-પાકિસ્તાન વચ્ચે જંગ
- દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
- બપોરે 2.30 કલાકે શરૂ થશે ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ
- પાકિસ્તાન માટે આજની મેચ 'કરો યા મરો'ની સ્થિતિ… pic.twitter.com/YopECLBtYW— Gujarat First (@GujaratFirst) February 23, 2025
ભારત સામેની મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ
તમને જણાવી દઈએ કે પાકિસ્તાને પોતાની શરૂઆતની મેચ ન્યુઝીલેન્ડ સામે હારી ગઈ હતી અને હવે તેમના માટે ભારત સામેની મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો પાકિસ્તાન આજે આ મેચ હારી જશે તો તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. આ મેચ પહેલા, નકવીએ કેપ્ટન, કોચ અને ખેલાડીઓને ભારત સામે પોતાનું 100 ટકા આપવા કહ્યું. તેમણે મીડિયાને જણાવ્યું કે પાકિસ્તાનની ટીમ ભારત સામે રમવા માટે તૈયાર છે અને સારું પ્રદર્શન કરશે.
આ પણ વાંચો: Champions Trophy Ind vs Pak : જો પાકિસ્તાન ભૂલથી જીતી જાય તો ટીમ ઈન્ડિયા સેમિફાઇનલમાં કેવી રીતે પહોંચશે?


