BAN vs IND Series : ભારત-બાંગ્લાદેશ વચ્ચે વનડે અને T20 સિરીઝ રદ! BCCIએ કારણે લીધો નિર્ણય
- ભારત અને બાંગ્લાદેશ સીરીઝને લઈ મોટો નિર્ણય
- BCCI સીરીઝ મુલતવી રાખવાનો નિર્ણય લીધો
- દેશો વચ્ચેની આ સીરીઝ હવે સપ્ટેમ્બર 2026 માં રમાશે
BAN vs IND Series : ભારત અને બાંગ્લાદેશ (ind vs ban series)વચ્ચે ઓગસ્ટમાં યોજાનારી મર્યાદિત ઓવરોની સીરીઝ મુલતવી રાખવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે ભારતીય બોર્ડ અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ સર્વસંમતિથી સીરીઝ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. બંને દેશો વચ્ચેની આ સીરીઝ હવે સપ્ટેમ્બર 2026 માં રમાશે.
સુધારેલ શેડ્યૂલ પછીથી જાહેર કરવામાં આવશે.
BCCI એ જણાવ્યું હતું કે બંને ટીમોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પ્રતિબદ્ધતાઓ અને સમયપત્રકની સુવિધાને ધ્યાનમાં રાખીને બંને બોર્ડ વચ્ચે ચર્ચા કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. BCB સપ્ટેમ્બર 2026 માં આ શ્રેણી માટે ભારતીય ટીમનું સ્વાગત કરવા માટે આતુર છે. સીરીઝની સુધારેલી તારીખ અને શેડ્યૂલ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો -Mohammed Siraj એ હાંસલ કરી મોટી સિદ્ધિ, વર્ષ 1993 બાદ પહેલીવાર થયું આવું
રોહિત-કોહલીને રમતા જોવાની રાહ વધશે.
ભારતના બાંગ્લાદેશ પ્રવાસ મુલતવી રાખવાથી રોહિત શર્મા અને વિરાટ કોહલીના ચાહકોને આંચકો લાગ્યો હશે. વાસ્તવમાં, રોહિત અને કોહલી હવે ભારત માટે ફક્ત ODI માં જ રમશે કારણ કે બંનેએ ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય મેચોમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેમના ચાહકો રોહિત-કોહલીની જોડીને બાંગ્લાદેશ સામેની ODI સીરીઝમાં રમતા જોવાની આશા રાખતા હતા, પરંતુ હવે જ્યારે આ પ્રવાસ એક વર્ષ માટે મુલતવી રાખવામાં આવ્યો છે, ત્યારે રોહિત-કોહલીને મેદાન પર જોવાની રાહ પણ વધી ગઈ છે.
આ પણ વાંચો -Shubman Gillએ તોડ્યો વિરાટ કોહલીનો મહાન રેકોર્ડ, આવું કરનાર પહેલો ભારતીય બન્યો
આ સીરીઝ 17 ઓગસ્ટથી રમવાની હતી.
ભારતીય ટીમ હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસ પર છે જ્યાં તે પાંચ મેચની ટેસ્ટ સીરીઝ રમી રહી છે. ભારતનો ઇંગ્લેન્ડ પ્રવાસ 4 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ODI અને T20 સીરીઝ 17 ઓગસ્ટથી શરૂ થવાની હતી. શેડ્યૂલ મુજબ, ભારત પહેલા ત્રણ ODI અને પછી બંને ટીમો વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝ રમવાની હતી.