રાજીવ શુક્લાનો મોટો ખુલાસો : ઓસ્ટ્રેલિયા શ્રેણી Rohit-Virat ની છેલ્લી..!
- Rohit-Virat ની નિવૃત્તિની અફવાઓ પર BCCIનો ખુલાસો
- રાજીવ શુક્લાનું નિવેદન : રોહિત અને વિરાટ નિવૃત નથી થવાના
- રોહિત-વિરાટના ચાહકો માટે ખુશખબર, નિવૃત્તિની અફવાઓ ખોટી સાબિત
Virat-Rohit's final series : ભારતીય ક્રિકેટ જગતમાં તાજેતરમાં એક મોટી ચર્ચાએ જોર પકડ્યું હતું. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ 2 મહાન ક્રિકેટરો - રોહિત શર્મા અને વિરાટ કોહલી (Rohit Sharma and Virat Kohli) ની આંતરરાષ્ટ્રીય કારકિર્દીના અંત અંગે ચાલી રહેલી તમામ અટકળો પર અંતિમ પૂર્ણવિરામ મૂકી દીધો છે. મીડિયામાં એવા અહેવાલો વહેતા થયા હતા કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આગામી એક દિવસીય આંતરરાષ્ટ્રીય (ODI) શ્રેણી આ બંને દિગ્ગજ ખેલાડીઓ માટે છેલ્લી બની શકે છે. જોકે, શુક્લાએ આ સમાચારોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે, જેનાથી કરોડો ચાહકોને મોટી રાહત મળી છે.
નિવૃત્તિના સમાચારો પર રાજીવ શુક્લાની સ્પષ્ટતા
રાજીવ શુક્લાએ મીડિયા અહેવાલોને સંપૂર્ણપણે ખોટા ગણાવતા ભારપૂર્વક કહ્યું કે, આવા મામલાઓમાં સામેલ થવું યોગ્ય નથી. તેમણે કહ્યું, "આપણા માટે રોહિત અને વિરાટ (Rohit and Virat) નું ટીમમાં હોવુ ખૂબ જ ફાયદાકારક છે કારણ કે બંને મહાન બેટ્સમેન છે, અને તેમની સાથે, હું માનું છું કે અમે ઓસ્ટ્રેલિયાને હરાવવામાં સફળ થઈશું. આ શ્રેણી તેમની છેલ્લી શ્રેણી છે, તો એવું બિલકુલ નથી. ક્યારે નિવૃત્તિ લેવી તે ખેલાડીઓનો વ્યક્તિગત નિર્ણય છે. આને તેમની છેલ્લી શ્રેણી કહેવી સંપૂર્ણપણે ખોટું છે."
#WATCH | Delhi: On India's 2-0 win series over West Indies, BCCI Vice President Rajeev Shukla says, "I congratulate team India that under Shubman Gill, we defeated West Indies. This was very important before embarking on the Australian tour. This will help us in Australia..."
On… pic.twitter.com/hOtuJ9NRyY
— ANI (@ANI) October 14, 2025
Rohti-Virat ની વર્તમાન ભૂમિકા અને પુનરાગમન
એ જાણવું જરૂરી છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા બંનેએ ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાંથી પહેલેથી જ નિવૃત્તિ જાહેર કરી દીધી છે. આ બંને સ્ટાર પ્લેયર્સ હવે માત્ર ODI ફોર્મેટમાં જ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા સામેની આગામી ODI શ્રેણી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમની વાપસી છે. તેઓ આજે પણ ODI ક્રિકેટમાં પોતાનું યોગદાન આપવા તૈયાર છે અને તેમની કારકિર્દી સમાપ્ત થવાની અફવાઓ માત્ર પાયાવિહોણી છે. બંને ખેલાડીઓ 15 ઓક્ટોબરની સવારે ટીમ સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે.
ટીમમાં પરિવર્તન અને ગિલની કેપ્ટનશીપ
રોહિત અને વિરાટના નિવૃત્તિના સમાચારને ભલે રદિયો મળ્યો હોય, પરંતુ ભારતીય ટીમમાં કેપ્ટનશીપનો મોટો બદલાવ આવી ચૂક્યો છે. અગાઉ, પસંદગી સમિતિએ રોહિત શર્માના સ્થાને યુવા બેટ્સમેન શુભમન ગિલને ODI ટીમના નવા કપ્તાન તરીકે નિયુક્ત કર્યા હતા. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતે માર્ચ 2025 માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી, જે એક નોંધપાત્ર સિદ્ધિ હતી. તેમ છતાં, પસંદગી સમિતિએ 2027 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને શુભમન ગિલને સમયસર તૈયાર કરવાનો વ્યૂહાત્મક નિર્ણય લીધો છે, જે ભારતીય ક્રિકેટના ભાવિ માટે લાંબા ગાળાની યોજના દર્શાવે છે.
ઓસ્ટ્રેલિયા શ્રેણીનું સમયપત્રક
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મહત્વપૂર્ણ ODI શ્રેણી 19 ઓક્ટોબરે પર્થમાં પ્રથમ મેચ સાથે શરૂ થશે. શ્રેણીની બીજી મેચ 23 ઓક્ટોબરે રમાશે, અને છેલ્લી ODI મેચ 25 ઓક્ટોબરે યોજાશે. આ શ્રેણી બંને દિગ્ગજોના બેટિંગ પરાક્રમને ફરીથી જોવાની એક સુવર્ણ તક પૂરી પાડશે.
આ પણ વાંચો : વિરાટ કોહલી 4 મહિના બાદ ભારત પરત ફર્યો, પ્રેમાનંદ મહારાજ સાથે કરશે મુલાકાત?


