Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મેલબોર્ન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા સાથે અમ્પાયરે કરી Cheating!

યશસ્વી જયસ્વાલનો કેચ હાલમાં ખૂબ વિવાદમાં આવી ગયો છે, જ્યાં થર્ડ અમ્પાયરે ફિલ્ડ અમ્પાયરનો નોટ આઉટનો નિર્ણય બદલ્યો હતો.
મેલબોર્ન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા સાથે અમ્પાયરે કરી cheating
Advertisement

IND vs AUS, Controversial Decision : યશસ્વી જયસ્વાલનો કેચ હાલમાં ખૂબ વિવાદમાં આવી ગયો છે, જ્યાં થર્ડ અમ્પાયરે ફિલ્ડ અમ્પાયરનો નોટ આઉટનો નિર્ણય બદલ્યો હતો. રીઅલ ટાઇમ સિનિકો, જેનો ઉપયોગ બોલ અને બેટ અથવા ગ્લોવ્ઝ વચ્ચેના સંપર્કને શોધવા માટે થાય છે, તેમાં સ્પાઇક દર્શાવવા પર આઉટનો નિર્ણય લેવામાં આવે છે, અને સ્પાઇક ન હોય તો બેટ્સમેન નોટ આઉટ ગણાય છે. આ ટેક્નોલોજી, જે ભારતમાં અલ્ટ્રાએજ તરીકે ઓળખાય છે, અહીં ફીલ્ડ અમ્પાયરનો નોટ આઉટનો નિર્ણય બદલવામાં આવ્યો હતો, અને થર્ડ અમ્પાયરે દાવો કર્યો કે બોલ ગ્લોવ્ઝ સાથે અથડાયા પછી ડિફ્લેક્ટ થયો હતો. આ નિર્ણય પર સુનીલ ગાવસ્કરે પોતાનો ગુસ્સો વ્યકત કર્યો હતો અને સ્પષ્ટ કહ્યું કે આ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ.

થર્ડ અમ્પાયર પર કેમ ઉઠી રહ્યા છે સવાલ?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ મેલબોર્નમાં રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 184 રનથી જીતીને શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે. હવે આ મેચમાં થર્ડ અમ્પાયરના ઘણા નિર્ણયો પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ભારતીય ચાહકોનું માનવું છે કે મેલબોર્નમાં ટીમ ઈન્ડિયાની હારનું કારણ થર્ડ અમ્પાયર હતો. વાસ્તવમાં, પેટ કમિન્સની ઓવરમાં, થર્ડ અમ્પાયરે યશસ્વી જયસ્વાલને આઉટ આપ્યો, જે ખૂબ જ આશ્ચર્યજનક હતું. કમિન્સની આ ઓવરમાં જયસ્વાલે શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલ વિકેટકીપર એલેક્સ કેરીના હાથમાં ગયો હતો, જોકે અપીલ બાદ ફિલ્ડ અમ્પાયરે તેને નોટ આઉટ આપ્યો હતો, ત્યારબાદ થર્ડ અમ્પાયરે નિર્ણય સંભળાવ્યો હતો કે કોઈ સ્પાઇક નથી. આ પછી પણ જયસ્વાલને આઉટ આપવામાં આવ્યો હતો. વાસ્તવમાં બેટ અને ગ્લોવમાંથી પસાર થતી વખતે બોલનું ડિફ્લેક્શન હતું પરંતુ સ્નિકો મીટર પર કોઈ રીડિંગ નહોતું. તેમ છતાં અમ્પાયરે જયસ્વાલને આઉટ જાહેર કર્યો હતો. જેના પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Advertisement

શું બોલ્યા ગાવાસ્કર?

થર્ડ અમ્પાયરે ઘણા એંગલથી તપાસ કરી, પણ બહુ કંઈ મળ્યું નહીં. વાસ્તવિક સમયમાં પણ સ્નિકોએ કોઈ હિલચાલ દર્શાવી નથી. પાછળ એક ખૂણાથી, બાંગ્લાદેશના અમ્પાયર શરાફુદ્દૌલાએ જોયું કે બોલ ગ્લોવ્સ સાથે અથડાયા પછી ડિફ્લેક્શન થઈ ગયો હતો. આવી સ્થિતિમાં બેટ્સમેન આઉટ થયો હતો. ખર્ડ અમ્પાયરે આ ઓર્ડર ફિલ્ડ અમ્પાયરને મોકલ્યો, જેનાથી યશસ્વી ખુશ ન થયો. દરમિયાન, કોમેન્ટ્રી માટે આવેલા ભારતીય દિગ્ગજ સુનીલ ગાવસ્કરે સ્પષ્ટ કર્યું કે જ્યારે તમારી પાસે નિર્ણાયક પુરાવા નથી, તો પછી તમે ફિલ્ડ અમ્પાયરના નિર્ણયને બદલી શકતા નથી. સ્ટાર સ્પોર્ટ્સ પર ટિપ્પણી કરતાં તેમણે કહ્યું, "આ એક ઓપ્ટિકલ ઇલ્યુશન હોઈ શકે છે. જો તમે ટેક્નોલોજીમાં વિશ્વાસ નથી કરતા, તો આ ટેક્નોલોજીને રાખશો નહીં. જો થર્ડ અમ્પાયરે મેદાન પર ઊભેલા અમ્પાયરના નિર્ણયને પલટી નાખવો હોય તો, પછી તેની પાસે નક્કર પુરાવા હોવા જોઈએ." વળી, થર્ડ અમ્પાયરે કહ્યું કે હું જોઈ શકું છું કે બોલ ગ્લોવ્ઝ પર વાગ્યો છે. જોએલ (ફીલ્ડ અમ્પાયર), તમારે તમારો નિર્ણય બદલવો પડશે." આ રીતે, યશસ્વીને 84 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું.

Advertisement

આ પણ વાંચો:  મેલબોર્ન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર! 184 રને ઓસ્ટ્રેલિયાએ જીતી મેચ

Tags :
Advertisement

.

×