Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ind Vs PAK: કોહલીએ રચ્યો ઈતિહાસ, દિગ્ગજને છોડ્યા પાછળ

વિરાટ કોહલીએ મોટો ચમત્કાર કર્યો વિરાટ કોહલીએ 2 કેચ લીધા હતા વિરાટ કોહલી બન્યો ત્રીજો ખેલાડી ViratKohli: ભારત-પાકિસ્તાન (Ind Vs PAK)મેચમાં વિરાટ કોહલી(ViratKohli)એ મોટો ચમત્કાર કર્યો. તેને ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી મોહમ્મદ અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો. વિરાટ કોહલી ODI ફોર્મેટમાં ભારત...
ind vs pak  કોહલીએ રચ્યો ઈતિહાસ  દિગ્ગજને છોડ્યા પાછળ
Advertisement
  • વિરાટ કોહલીએ મોટો ચમત્કાર કર્યો
  • વિરાટ કોહલીએ 2 કેચ લીધા હતા
  • વિરાટ કોહલી બન્યો ત્રીજો ખેલાડી

ViratKohli: ભારત-પાકિસ્તાન (Ind Vs PAK)મેચમાં વિરાટ કોહલી(ViratKohli)એ મોટો ચમત્કાર કર્યો. તેને ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી મોહમ્મદ અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો. વિરાટ કોહલી ODI ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ કેચ લેનાર ખેલાડી બની ગયો છે. વિરાટ પહેલા ભારત માટે સૌથી વધુ કેચ મોહમ્મદ અઝહરુદ્દીને લીધા હતા. પરંતુ હવે વિરાટ કોહલી આ લિસ્ટમાં આગળ નીકળી ગયો છે.

Advertisement

વિરાટ કોહલીનો જાદુ

પાકિસ્તાન સામે કેચ પકડ્યા પછી વિરાટ કોહલીના નામે એક મોટો રેકોર્ડ નોંધાઈ ગયો. વિરાટ કોહલી હવે 157 કેચ સાથે વનડેમાં ભારતનો સૌથી સફળ ફિલ્ડર બની ગયો છે. જ્યારે મોહમ્મદ અઝહરુદ્દીનના નામે વનડેમાં 156 કેચ છે. વિરાટે બાંગ્લાદેશ સામે અઝહરુદ્દીનના રેકોર્ડની બરાબરી કરી હતી. પરંતુ આ મેચમાં વિરાટ કોહલીએ 2 કેચ લીધા હતા અને હવે તેના નામે વનડેમાં 158 કેચ છે.

Advertisement

વિરાટ કોહલી બન્યો ત્રીજો ખેલાડી

વિરાટ કોહલી ODI ક્રિકેટમાં સૌથી વધુ કેચ લેવાના મામલે વિશ્વનો ત્રીજો ખેલાડી પણ બની ગયો છે. ODIમાં સૌથી વધુ કેચ લેવાનો રેકોર્ડ શ્રીલંકાના મહેલા જયવર્ધનેના નામે છે, જેને 218 કેચ લીધા છે. આ સિવાય રિકી પોન્ટિંગ બીજા સ્થાને છે. તેને 160 કેચ લીધા છે, જ્યારે વિરાટ 158 કેચ સાથે આ લિસ્ટમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.

આ પણ  વાંચો -IND vs PAK:હાર્દિક પંડ્યાએ પાકિસ્તાન સામે મહારેકોર્ડ બનાવી વિશ્વ ક્રિકેટમાં તહેલકો મચાવ્યો

કોહલી પાસે પોન્ટિંગને પાછળ છોડી દેવાની તક

વિરાટ કોહલી ટૂંક સમયમાં રિકી પોન્ટિંગને પણ પાછળ છોડી શકે છે. જો તેને તક મળશે, તો તે આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં જ તેમને પાછળ છોડી દેશે. કુલદીપ યાદવના બોલ પર વિરાટ કોહલીએ નસીમ શાહનો કેચ પકડ્યો. નસીમે 16 બોલમાં 14 રન બનાવ્યા અને કુલદીપે તેની ઈનિંગનો અંત લાવ્યો.

આ પણ  વાંચો -IND Vs PAK: હાર્દિકની કથિત ગર્લફ્રેન્ડ સ્ટેડિયમમાં અક્ષરની પત્ની સાથે મળી જોવા

પાકિસ્તાને ભારત સામે કોઈ મોટું લક્ષ્ય રાખ્યું નથી

ચેમ્પિયન્સ ટ્રોફીની આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ અપેક્ષા મુજબ રન બનાવી શકી નહીં. પાકિસ્તાનને શરૂઆતમાં જ ઝટકો પડ્યો જ્યારે ભૂતપૂર્વ કેપ્ટન બાબર આજે માત્ર 23 રન બનાવીને આઉટ થઈ ગયો. આ પછી, ઈમામ ઉલ હક પણ 10 રન બનાવીને આઉટ થયો. આ દરમિયાન, સઈદ શકીલ અને મોહમ્મદ રિઝવાન વચ્ચે લગભગ 100 રનની ભાગીદારી થઈ. પરંતુ તે આઉટ થતાં જ ટીમની વિકેટો ફરી પડવા લાગી. આ રીતે પાકિસ્તાની ટીમ ભારત માટે મોટો લક્ષ્યાંક નક્કી કરી શકી નથી.

Tags :
Advertisement

.

×