Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: ઉપ-કપ્તાન શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત, 3 અઠવાડિયા માટે બહાર!

ઑસ્ટ્રેલિયા સામે કેચ પકડતી વખતે ટીમ ઈન્ડિયાના ઉપ-કપ્તાન શ્રેયસ અય્યરને પાંસળીના ભાગે ઈજા થઈ છે. આ ઈજાને કારણે તેમને લગભગ 3 અઠવાડિયા માટે ક્રિકેટથી દૂર રહેવું પડશે. બીસીસીઆઈના અધિકારીના મતે, હેરલાઈન ફ્રેક્ચરની શક્યતા છે. અય્યર હવે 30 નવેમ્બરથી શરૂ થતી સાઉથ આફ્રિકા શ્રેણી દ્વારા ટીમમાં વાપસી કરી શકે છે.
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો  ઉપ કપ્તાન શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત  3 અઠવાડિયા માટે બહાર
Advertisement
  • શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત, 3 અઠવાડિયા માટે બહાર (Shreyas Iyer Injury)
  • ઉપ-કપ્તાન શ્રેયસ અય્યરને પાંસળીના ભાગે ઈજા થઈ
  • ઑસ્ટ્રેલિયા સામે કેચ પકડતી વખતે તેમને થઈ ઈજા
  • ઈજાને કારણે અય્યર 3 અઠવાડિયા ક્રિકેટથી દૂર રહેશે
  • 30 નવેમ્બરે સાઉથ આફ્રિકા સીરીઝમાં વાપસીની સંભાવના

Shreyas Iyer Injury : સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) પર રમાયેલા ત્રીજા અને અંતિમ વન-ડે મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ ઑસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવીને શ્રેણી જીતી લીધી. જોકે, આ મેચ દરમિયાન જ ટીમને એક મોટો આંચકો લાગ્યો. ટીમના ઉપ-કપ્તાન શ્રેયસ અય્યર (Shreyas Iyer Injury) શાનદાર કેચ પકડતી વખતે ઈજાગ્રસ્ત થયા, જેના કારણે તેમને મેચની વચ્ચે જ મેદાન છોડીને બહાર જવું પડ્યું હતું.

મેચ સમાપ્ત થયા બાદથી તેમની ફિટનેસ (Shreyas Iyer Fitness) પર અપડેટ્સ આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, અય્યર હવે લગભગ ત્રણ અઠવાડિયા (Shreyas Iyer Out for 3 Weeks) માટે ક્રિકેટથી દૂર રહેશે. આ મોટી ઈજાના કારણે તેઓ આગામી શ્રેણીમાંથી બહાર રહી શકે છે.

Advertisement

કેચ પકડતી વખતે ઈજાગ્રસ્ત થયા – Alex Carey Catch Injury

ઑસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડેમાં હર્ષિત રાણાની બોલિંગ પર વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરીએ (Alex Carey Catch) મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો હતો. બોલ હવામાં જતાં, ભારતીય ટીમના ઉપ-કપ્તાન શ્રેયસ અય્યરે પાછળની તરફ દોડીને આ કેચ પકડ્યો, પરંતુ આ દરમિયાન તેમને રીબ કેજ (પાંસળીના ભાગે) (Rib Cage Injury) માં ઈજા થઈ.

Advertisement

3 અઠવાડિયા સુધી ક્રિકેટથી દૂર રહેશે – Shreyas Iyer Out for 3 Weeks

ઈજા પછી અય્યર મેચ પૂરી થવા સુધી નજર આવ્યા ન હતા. તેમની ફિટનેસ પર અપડેટ આપતા બીસીસીઆઈના એક અધિકારીએ પીટીઆઈ (BCCI Official PTI Report) ને જણાવ્યું કે, “શ્રેયસને મેચ દરમિયાન જ સ્કેન માટે હોસ્પિટલ (Shreyas Iyer Scan) લઈ જવામાં આવ્યા હતા. શરૂઆતી તપાસ અનુસાર, તેમને ઝટકો લાગ્યો છે અને તેમને ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા સુધી મેદાનથી બહાર રહેવું પડશે.”

BCCI અધિકારીએ આપી ફિટનેસ અપડેટ – BCCI Medical Update

તેમણે વધુમાં જણાવ્યું કે, "પુનરાગમન પહેલાં તેમને સેન્ટર ઑફ એક્સલન્સ (NCA) (NCA Bangalore) માં રિપોર્ટ કરવો પડશે. વધુ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે, ત્યારે જ નક્કી થઈ શકશે કે તેમને સાજા થવામાં વધુ સમય લાગશે કે નહીં. જો તેમને હેરલાઈન ફ્રેક્ચર (Hairline Fracture) હશે, તો સમયગાળો લંબાઈ શકે છે.”

સાઉથ આફ્રિકા સીરીઝમાં વાપસીની સંભાવના – India vs South Africa Series

આ રિપોર્ટ્સને આધારે માનવામાં આવે તો, શ્રેયસ અય્યર 30 નવેમ્બર (Shreyas Iyer Comeback Date) ના રોજ ફરી ટીમ ઈન્ડિયા માટે રમતા જોવા મળી શકે છે. ભારત અને સાઉથ આફ્રિકા (India vs South Africa Series) વચ્ચે રમાનારી શ્રેણીનો પહેલો મુકાબલો 30 નવેમ્બરના રોજ રાંચીમાં રમાશે.

ટીમમાં કમબેક કરવાની ઈચ્છા-Team India Comeback

અય્યર હાલમાં સારી ફોર્મમાં ચાલી રહ્યા છે. ઑસ્ટ્રેલિયા સામેની બીજી વન-ડેમાં તેમણે 61 રનની શાનદાર ઇનિંગ રમી હતી. અય્યરને હવે વાપસી માટે પોતાની ફિટનેસ પર સખત મહેનત કરવી પડશે, કારણ કે ઈજાના કારણે તેમનો લાંબો સમય બગડી ચૂક્યો છે. આ જ કારણે તેઓ પોતે પણ ઝડપથી ટીમમાં કમબેક કરવા ઈચ્છશે.

આ પણ વાંચો : રેકોર્ડબ્રેક જોડી: કોહલી-રોહિતે સચિન-દ્રવિડનો 13 વર્ષ જૂનો રેકોર્ડ તોડી ઇતિહાસ રચ્યો!

Tags :
Advertisement

.

×