Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND vs ENG Playing 11: KL રાહુલ આઉટ, રિષભ પંત ઇન... ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ODI માં હોઈ શકે છે આ ભારતીય પ્લેઇંગ-11

શ્રેણીની છેલ્લી એટલે કે ત્રીજી મેચ આવતીકાલે (12 ફેબ્રુઆરી) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે
ind vs eng playing 11  kl રાહુલ આઉટ  રિષભ પંત ઇન    ઇંગ્લેન્ડ સામેની ત્રીજી odi માં હોઈ શકે છે આ ભારતીય પ્લેઇંગ 11
Advertisement
  • ભારતીય ટીમ અને ઇંગ્લેન્ડ વચ્ચે ૩ મેચની ODI શ્રેણી રમાઈ રહી છે
  • પહેલી બે મેચ જીતીને, ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 2-0 ની અજેય લીડ મેળવી લીધી
  • બંને ટીમોમાં આ મોટા ફેરફારો થઈ શકે છે

IND vs ENG Playing 11: ભારતીય ટીમ અને ઇંગ્લેન્ડ વચ્ચે ૩ મેચની ODI શ્રેણી રમાઈ રહી છે. પહેલી બે મેચ જીતીને, ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 2-0 ની અજેય લીડ મેળવી લીધી છે. હવે શ્રેણીની છેલ્લી એટલે કે ત્રીજી મેચ આવતીકાલે (12 ફેબ્રુઆરી) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ બપોરે 1.30 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ તેના અડધા કલાક પહેલા એટલે કે બપોરે 1 વાગ્યે થશે. ભારતીય ટીમ પહેલાથી જ શ્રેણી જીતી ચૂકી છે, તેથી કેપ્ટન રોહિત શર્મા આ ત્રીજી મેચમાં કેટલાક મોટા ફેરફારો કરી શકે છે.

Advertisement

બંને ટીમોમાં આ મોટા ફેરફારો થઈ શકે છે

ભારતીય કેપ્ટન રોહિત શર્મા પોતાની પ્લેઇંગ-11માં બે મોટા ફેરફાર કરી શકે છે. વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત અને સ્ટાર સ્પિનર ​​કુલદીપ યાદવને તક મળી શકે છે. આ માટે કેએલ રાહુલ અને વરુણ ચક્રવર્તીને આરામ આપી શકાય છે. બીજી તરફ, જોસ બટલરના નેતૃત્વ હેઠળની ઇંગ્લેન્ડની ટીમ છે, જેની પ્લેઇંગ-11માં ત્રણ ફેરફાર થઈ શકે છે. જેમી ઓવરટન, ગુસ એટકિન્સન અને સાકિબ મહમૂદને પડતો મૂકવામાં આવી શકે છે. તેમના સ્થાને, ટોમ બેન્ટન, બ્રાયડન કાર્સ અને જોફ્રા આર્ચરને તક મળી શકે છે.

Advertisement

ભારત-ઇંગ્લેન્ડ મેચમાં સંભવિત પ્લેઇંગ-11

ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ/ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી/કુલદીપ યાદવ, હર્ષિત રાણા અને મોહમ્મદ શમી.

ઈંગ્લેન્ડ ટીમ: બેન ડકેટ, ફિલ સોલ્ટ (વિકેટકીપર), ટોમ બેન્ટન, જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, બ્રાયડન કાર્સ, માર્ક વુડ, આદિલ રશીદ અને સાકિબ મહમૂદ/જોફ્રા આર્ચર.

ભારતે ઇંગ્લેન્ડ સામે 12મી શ્રેણી જીતી

ભારતીય ટીમે અત્યાર સુધીમાં ઇંગ્લેન્ડ સામે તેના ઘરઆંગણે કુલ 11 દ્વિપક્ષીય ODI શ્રેણી (વર્તમાન એક સહિત) રમી છે. આમાં, ભારતીય ટીમે 8 જીત મેળવી, જ્યારે ઇંગ્લેન્ડ ફક્ત એક જ શ્રેણી જીતી શક્યું. જ્યારે 2 શ્રેણી ડ્રો રહી હતી.
ડિસેમ્બર 1984માં ઈંગ્લેન્ડે ભારતીય ધરતી પર વનડે શ્રેણી જીતી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાનો 5 મેચની શ્રેણીમાં 4-1થી પરાજય થયો. ત્યારથી, ભારતીય ટીમે ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે એક પણ ODI શ્રેણી હાર્યું નથી. ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે કુલ 12મી ODI શ્રેણી જીતી લીધી છે.

ભારતમાં ODI શ્રેણીમાં ઇંગ્લેન્ડનું પ્રદર્શન

કુલ શ્રેણી: 11
ભારત જીત્યું: 8
ઇંગ્લેન્ડ જીત્યું: 1
ડ્રો: 2

ભારત-ઇંગ્લેન્ડ ODI શ્રેણીમાં H2H

કુલ શ્રેણી: 21
ભારત જીત્યું: 12
ઇંગ્લેન્ડ જીત્યું: 7

આ પણ વાંચો: Cricket News : ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન ટીમ બધા પર પડશે ભારે... ભારતીય દિગ્ગજ રવિ શાસ્ત્રીની આગાહી

Tags :
Advertisement

.

×