વિશ્વ ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક; એશિયા કપ પહેલાં વસીમ અકરમના નિવેદનથી હંગામો
- વિશ્વ ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક; એશિયા કપ પહેલાં વસીમ અકરમના નિવેદનથી હંગામો
- અકબરમના નિવેદન પછી એક નવી ચર્ચા ઉભી થઈ છે
- વસીમ અકરમના નિવેદન પછી કહેવામાં આવી રહ્યું છે કે બાબરને એશિયા કપમાં મોટી જવાબદારી આપવામાં આવશે
- એશિયા કપ ટી-20માં બાબર આઝમ પાકિસ્તાની ટીમનું કરી શકે છે નેતૃત્વ
એશિયા કપ 2025ની શરૂઆત પહેલાં પાકિસ્તાનના દિગ્ગજ ફાસ્ટ બોલર વસીમ અકરમે બાબર આઝમ વિશે એક મોટું નિવેદન આપ્યું છે, જેણે ક્રિકેટ ચાહકોમાં ચર્ચાનો દોર શરૂ કરી દીધો છે. મેદાન પર ટીમો સામસામે ટકરાશે, ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થશે, પરંતુ તે પહેલાં અકરમના આ નિવેદને સોશિયલ મીડિયા અને ક્રિકેટ પ્રેમીઓમાં હલચલ મચાવી દીધી છે. અકરમે બાબર આઝમને વિશ્વના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક ગણાવ્યો અને તેમની બેટિંગ ક્ષમતાની પ્રશંસા કરી. તેમણે 2019ની યાદ અપાવતા જણાવ્યું કે, બાબરે સમરસેટ માટે લગભગ 150ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા, જે તેમની પરિસ્થિતિ પ્રમાણે રમતને ઢાળવાની ક્ષમતા દર્શાવે છે.
બાબર આઝમ દુનિયાના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક
વસીમ અકરમે વધુમાં કહ્યું, “બાબર આઝમ દુનિયાના શ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક છે. તેઓ પરિસ્થિતિ પ્રમાણે પોતાની રમતને ઢાળી શકે છે. આ પહેલાં પણ તેમણે આવું કર્યું છે અને ભવિષ્યમાં પણ કરી શકે છે. તેમનામાં પાકિસ્તાન માટે ઘણું બધું કરવાની ક્ષમતા છે, અને આપણે બધાએ તેમનું સમર્થન કરવું જોઈએ.” અકરમનું આ નિવેદન એટલા માટે પણ મહત્વનું છે કારણ કે બાબર આઝમનું તાજેતરનું ટી20 ફોર્મ ચર્ચાનો વિષય રહ્યું છે. ડિસેમ્બર 2024માં દક્ષિણ આફ્રિકા સામેની ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં તેમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું, જેના કારણે તેમની ટી20 ટીમમાં જગ્યા પર સવાલો ઉભા થયા છે.
આ પણ વાંચો- Asia Cup 2025 : ઓપનિંગ માટે કડક ટક્કર, સંજુ-અભિષેક સામે જયસ્વાલ-ગિલ
એશિયા કપની પ્રથમ મેચ અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે
એશિયા કપનું 17મું સંસ્કરણ 9 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે, જેમાં પહેલી મેચ અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે રમાશે. ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 10 સપ્ટેમ્બરે યૂએઈ સામે રમશે. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર હંમેશા ચાહકો માટે રોમાંચક હોય છે. એશિયા કપમાં ભારત સૌથી સફળ ટીમ છે, જેણે 16 સંસ્કરણોમાં આઠ વખત ખિતાબ જીત્યો છે, જ્યારે શ્રીલંકાએ છ વખત અને પાકિસ્તાને બે વખત આ ટૂર્નામેન્ટ પોતાના નામે કરી છે.
🚨🚨
Asia Cup Team 16-member squad
(CricketPanchayat Team)PS : Panchayat ki BAKAIT selection committee ne banayi hai.
"SUTTAR K MUTTAR" ❌
"RECENCY BIAS" ❌
Players played against SA and ENG ✅
No news on BOWLERs Fitness/Rest yet. #SanjuSamson #AsiaCup2025 pic.twitter.com/KEHcTg0Dqe— CricketAdda🇮🇳(Cricket Panchayat) (@Criktalks) August 7, 2025
શું બાબર આઝમ એશિયા કપમાં પાકિસ્તાનની ટી20 ટીમનું નેતૃત્વ કરશે?
અકરમના નિવેદનથી ચર્ચા તેજ થઈ છે કે શું બાબર આઝમ એશિયા કપમાં પાકિસ્તાનની ટી20 ટીમનું નેતૃત્વ કરશે? તેમની બેટિંગ પોઝિશન પણ ચર્ચાનો વિષય છે. અકરમે બાબર માટે નંબર ત્રણની પોઝિશનને આદર્શ ગણાવી, પરંતુ એ પણ ઉમેર્યું કે કોચ મેચની સ્થિતિ મુજબ તેને ગમે ત્યાં રમાડી શકે છે. બાબરની કપ્તાની અને ફોર્મ પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ની નજર છે, અને આ નિવેદનથી ટીમ પસંદગી પર દબાણ વધી શકે છે.
એશિયા કપ 2025
એશિયા કપના સંદર્ભમાં આ ટૂર્નામેન્ટ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે, જેની પીચ બેટ્સમેનો માટે અનુકૂળ માનવામાં આવે છે. આ પીચો પર બાબર જેવા ટેકનિકલી મજબૂત બેટ્સમેન માટે મોટી તક હોઈ શકે છે. જોકે, બાબરના તાજેતરના ટી20 પ્રદર્શનને કારણે ચાહકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક ચાહકો અકરમના મંતવ્યને સમર્થન આપે છે, જ્યારે અન્ય નવા ખેલાડીઓને તક આપવાની હિમાયત કરી રહ્યા છે.
આ પણ વાંચો-WFIની મોટી કાર્યવાહી, 11 રેસલરને નકલી બર્થ સર્ટિફિકેટ મામલે કર્યા સસ્પેન્ડ
બાબર આઝમના પ્રદર્શન પર ખાસ નજર
વધુમાં એશિયા કપની આ ટૂર્નામેન્ટ ટી20 વર્લ્ડ કપની તૈયારીના રૂપમાં પણ મહત્વની છે. પાકિસ્તાનની ટીમ માટે આ એક મહત્વનો પડકાર હશે, કારણ કે ભારત અને શ્રીલંકા જેવી ટીમો સામે મજબૂત પ્રદર્શનની અપેક્ષા રહેશે. બાબર આઝમની ભૂમિકા ટીમની સફળતા માટે નિર્ણાયક રહેશે, અને અકરમનું સમર્થન તેમના આત્મવિશ્વાસને વધારી શકે છે. આ ઉપરાંત, ભારત-પાકિસ્તાન મેચ હંમેશા વૈશ્વિક ધ્યાન આકર્ષે છે, અને બાબરનું પ્રદર્શન આ મેચમાં ખાસ નજરે રહેશે.
#AsiaCup2025 #BCCI @JayShah
Those who beat the drum of patriotism forget Pahalgam & Pulwama attack as soon as money 💰 comes
if you have real guts show your concern by cancelling the Asia Cup between India & Pakistan
This match is kept on Sunday so that lots of people watch pic.twitter.com/9EAhHjD1ZP— 💝🌹💖🇮🇳jaggirmRanbir🇮🇳💖🌹💝 (@jaggirm) July 29, 2025
અકરમના આ નિવેદનથી પાકિસ્તાનના ટી20 ટીમની પસંદગી પર ચર્ચા તેજ થઈ છે, અને એશિયા કપમાં બાબરનું પ્રદર્શન નક્કી કરશે કે તેઓ આ ટૂર્નામેન્ટમાં ટીમના હીરો બનશે કે નહીં. આ બધું એશિયા કપની રોમાંચક શરૂઆતની રાહ જોવા મજબૂર કરે છે.
જણાવી દઈએ કે, એશિયા કપ 2025નો સોશિયલ મીડિયા ઉપર એક વર્ગ ખુબ જ વિરોધ કરી રહ્યો છે. પાછલા દિવસોમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને એશિયા કપમાં પાકિસ્તાન સાથે મેચ ન રમવાનું કહેવામાં આવી રહ્યું છે. તો લેજન્ડ લિંગમાં ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ટીમ સામે ન રમીને એક ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું. તેવામાં ભારતીય ફેન્સ એશિયા કપમાં પણ પાકિસ્તાની ટીમ સામે મેચ રમવાને લઈને વિરોધ દર્શાવી રહ્યાં છે.
આ પણ વાંચો-Viraj Kohli ની સફેદ દાઢી સાથેની તસ્વીર વાયરલ, ક્રિકેટમાંથી સંપૂર્ણ નિવૃત્તિની અટકળો તેજ


