એશિયા કપમાં ભારત- પાકિસ્તાનની મેચ રમાશે? BCCIએ કરી સ્પષ્ટતા
- એશિયા કપમાં ભારત- પાકિસ્તાનની મેચ થશે? BCCIએ કરી સ્પષ્ટતા
એશિયા કપ 2025નું શેડ્યુલ (Asia Cup Schedule 2025) જાહેર થયા પછી ભારતમાં ઘમાસાણ મચેલી છે. કેમ કે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે અને બંને ટીમો 14 સપ્ટેમ્બરે (Asia Cup India vs Pakistan Date) ટકરાવશે તે નક્કી છે. આ વચ્ચે BCCIની ખુબ જ ટીકા થઈ રહી છે, કેમ કે તેને એશિયા કપનું આયોજન ન્યૂટ્રલ વેન્યૂ (Asia Cup 2025 Host) પર કરાવવા માટે સહમતિ દર્શાવી હતી. એશિયા કપને રદ્દ કરવાની માંગ વચ્ચે એક નવો રિપોર્ટ સામે આવ્યો છે.
ન્યૂઝ એજન્સી IANS હવાલાથી BCCIના એક સૂત્ર પાસેથી માહિતી મળી રહી છે કે, બોર્ડ હવે એશિયા કપ અને પાકિસ્તાન વિરૂદ્ધ મેચ રમવાથી ઇન્કાર કરી શકશે નહીં. આ નિર્ણય ACCની બેઠકમાં લેવામાં આવ્યો છે. કેમ કે ભારત ટૂર્નામેન્ટનો મેજબાન દેશ છે, તેથી હવે કંઈ જ બદલી શકાય નહીં. બેઠકમાં મોટા-મોટા અધિકારીઓ હાજર રહ્યા હતા, પરિસ્થિતિ અનુસાર જ નિર્ણય લેવામાં આવ્યો હતો. શેડ્યુલ અનુસાર મેચને રમાડવામાં આવશે.
એશિયા કપમાં અનેક વખત ટકરાઇ શકે છે ભારત અને પાકિસ્તાન
ભારત અને પાકિસ્તાનને એશિયા કપમાં ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા છે. જેમાં ઓમાન અને યૂએઈનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રુપમાં ભારત અને પાકિસ્તાન સૌથી મજબૂત ટીમ દેખાઈ રહી છે, તેથી બંને ટીમોની સુપર-4માં જવાની આશા પણ વધારે છે. સુપર-4માં જનારી ચાર ટીમો એક-બીજાથી એક-એક વખત ટકરાશે, એવામાં ભારત અને પાકિસ્તાન બીજી વખત ટકરાઈ શકે છે. જ્યારે નોકઆઉટ સ્ટેજમાં પણ તેમની ટક્કર સંભવ છે.
શેડ્યુઅ અનુસાર એશિયા કપ 2025ની શરૂઆત 9 સપ્ટેમ્બરથી થશે અને ફાઈનલ મેચ 28 સપ્ટેમ્બરે રમાશે. ભારત, પાકિસ્તાન, ઓમાન અને યૂએઈને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા છે. જ્યારે બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને હોંગકોંગને ગ્રુપ બીમાં જગ્યા આપવામાં આવી છે.
આ પણ વાંચો- SHUBMAN GILL એ એક જ સિરીઝમાં 700 થી વધુ રન બનાવીને ઇતિહાસ સર્જ્યો


