ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Wayanad : ભારે વરસાદથી ભૂસ્ખલન, 5ના મોત, 100થી વધુ ફસાયા

Wayanad : કેરળના વાયનાડ (Wayanad) માં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન થયું છે. જેમાં 5 લોકોના મોત થયા છે જ્યારે 100થી વધુ લોકો ફસાયા છે. લોકોને બચાવવા માટે મોટાપાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ભૂસ્ખલનને કારણે 100થી વધુ લોકો...
07:59 AM Jul 30, 2024 IST | Vipul Pandya
Wayanad : કેરળના વાયનાડ (Wayanad) માં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન થયું છે. જેમાં 5 લોકોના મોત થયા છે જ્યારે 100થી વધુ લોકો ફસાયા છે. લોકોને બચાવવા માટે મોટાપાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ભૂસ્ખલનને કારણે 100થી વધુ લોકો...
landslide in Wayanad PC GOOGLE

Wayanad : કેરળના વાયનાડ (Wayanad) માં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન થયું છે. જેમાં 5 લોકોના મોત થયા છે જ્યારે 100થી વધુ લોકો ફસાયા છે. લોકોને બચાવવા માટે મોટાપાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

ભૂસ્ખલનને કારણે 100થી વધુ લોકો કાટમાળ નીચે ફસાયા

મળતી માહિતી મુજબ, મંગળવારે વહેલી સવારે 2 વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું હતું. ત્યાર બાદ આજે સવારે લગભગ 4.10 વાગ્યે વધુ એક ભૂસ્ખલન થયું. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ભૂસ્ખલનને કારણે 100થી વધુ લોકો કાટમાળ નીચે ફસાયા છે, અને તેમને બહાર કાઢવા માટે બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

સરકારી તંત્ર બચાવ કામગીરીમાં લાગી ગયું

ભૂસ્ખલનથી ઘાયલ 16 લોકોને વાયનાડના મેપ્પડીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ આ બાબત પર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું છે કે વાયનાડમાં ભૂસ્ખલન બાદ તમામ સંભવિત બચાવ કામગીરીનું સંકલન કરવામાં આવશે. ઘટનાની જાણ થતાં જ સરકારી તંત્ર બચાવ કામગીરીમાં લાગી ગયું હતું. આજે રાજ્યના મંત્રી સ્થળની મુલાકાત લઈ શકે છે.

એનડીઆરએફની વધારાની ટીમ તૈનાત

કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં ફાયર ફોર્સ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત લોકોને બચાવવા માટે એનડીઆરએફની વધારાની ટીમ તૈનાત કરવામાં આવી છે.

આ પણ વાંચો-----Jharkhand : હાવડા-મુંબઈ મેલને અકસ્માત, 60 ઘાયલ

આ પણ વાંચો----Delhi IAS કોચિંગ અકસ્માત પર ગૃહ મંત્રાલયની કાર્યવાહી, ઘટનાની તપાસ માટે કરાઈ સમિતિની રચના...

આ પણ વાંચો----Bihar Accident : હાજીપુરમાં ઝડપી ટ્રકે રિક્ષાને મારી ટક્કર, 3 મહિલા સહિત 5 ના મોત...

Tags :
Government of KeralaGujarat FirstHeavy rainsKeralalandslidesNationalNDRFpeople trappedRescue and Relief OperationsWayanad
Next Article