Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

50% Tariff: 80000 કરોડની નિકાસ જોખમમાં, ભારતે મેક્સિકો સાથે વાટાઘાટો શરૂ કરી

Tariff: મેક્સિકોએ ભારત અને ચીન સહિત અનેક એશિયન દેશો પર 50% ટેરિફ વધારાની જાહેરાત કરી છે. આનાથી ભારત સરકાર અને ભારતીય નિકાસકારોમાં ઊંડી ચિંતા ઉભી થઈ છે. અહેવાલો પ્રમાણે, ભારતે આ ઊંચા ટેરિફ લાદવાના મેક્સિકોના નિર્ણય સામે સખત વાંધો ઉઠાવ્યો છે અને ચર્ચા શરૂ કરી છે. વિવિધ માલ પર આ ટેરિફ જાન્યુઆરીની શરૂઆતમાં અમલમાં આવવાના છે.
50  tariff  80000 કરોડની નિકાસ જોખમમાં  ભારતે મેક્સિકો સાથે વાટાઘાટો શરૂ કરી
Advertisement
  • Tariff: ભારત સરકાર અને ભારતીય નિકાસકારોમાં ઊંડી ચિંતા ઉભી થઈ છે
  • ભારતે આ ઊંચા ટેરિફ લાદવાના મેક્સિકોના નિર્ણય સામે સખત વાંધો ઉઠાવ્યો
  • વિવિધ માલ પર આ ટેરિફ જાન્યુઆરીની શરૂઆતમાં અમલમાં આવવાના છે

Tariff: મેક્સિકોએ ભારત અને ચીન સહિત અનેક એશિયન દેશો પર 50% ટેરિફ વધારાની જાહેરાત કરી છે. આનાથી ભારત સરકાર અને ભારતીય નિકાસકારોમાં ઊંડી ચિંતા ઉભી થઈ છે. અહેવાલો પ્રમાણે, ભારતે આ ઊંચા ટેરિફ લાદવાના મેક્સિકોના નિર્ણય સામે સખત વાંધો ઉઠાવ્યો છે અને ચર્ચા શરૂ કરી છે. વિવિધ માલ પર આ ટેરિફ જાન્યુઆરીની શરૂઆતમાં અમલમાં આવવાના છે.

1 જાન્યુઆરીથી 50% ટેરિફ, ભારતને વાંધો

પીટીઆઈના અહેવાલ મુજબ, ભારતે વિવિધ ઉત્પાદનો પર આયાત જકાતમાં નોંધપાત્ર વધારો કરવાના મેક્સિકોના તાજેતરના નિર્ણય સામે ઔપચારિક રીતે વાંધો ઉઠાવ્યો છે. કેન્દ્ર સરકારે એ પણ સ્પષ્ટપણે સંકેત આપ્યો છે કે નવી દિલ્હી ભારતીય નિકાસકારોને સુરક્ષિત રાખવા માટે યોગ્ય પગલાં લેવાનો અધિકાર અનામત રાખે છે. 50 % ટેરિફ વધારો એવા દેશોની આયાતને લક્ષ્ય બનાવે છે જેમની પાસે મેક્સિકો સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી, જેમાં ભારત, ચીન, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ અને ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય છે. આ ટેરિફ વધારાને મેક્સિકન કોંગ્રેસના બંને ગૃહો દ્વારા 11 ડિસેમ્બર, 2025 ના રોજ મંજૂરી આપવામાં આવી હતી અને તે 1 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવવાનું છે.

Advertisement

Advertisement

Tariff: ભારતીય નિકાસકારો ચિંતા વ્યક્ત કરે છે

ભારતીય નિકાસકારોએ મેક્સિકોના આ પગલા પર ચિંતા વ્યક્ત કરી છે, ખાસ કરીને ઓટોમોબાઈલ અને ઓટો કોમ્પોનન્ટ્સ, મશીનરી, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ, ઓર્ગેનિક રસાયણો, ફાર્માસ્યુટિકલ્સ, કાપડ અને પ્લાસ્ટિક જેવા ક્ષેત્રોના નિકાસકારો, જે મોટા પ્રમાણમાં માલ નિકાસ કરે છે. અહેવાલો પ્રમાણે, એક સરકારી અધિકારીએ પુષ્ટિ આપી છે કે બિલના પ્રારંભિક પ્રસ્તાવથી ભારત મેક્સિકો સાથે ચર્ચા કરી રહ્યું છે. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલ અને મેક્સિકોના નાયબ અર્થવ્યવસ્થા મંત્રી લુઈસ રોસેન્ડોએ પહેલાથી જ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે, અને ટૂંક સમયમાં વધુ બેઠકો થવાની અપેક્ષા છે.

Gregory Meeks

52,000 કરોડથી વધુની નિકાસ પર અસર!

India-Mexico Trade ડેટા પર નજર કરીએ તો, 2024-25 નાણાકીય વર્ષમાં ભારતની મેક્સિકોમાં નિકાસ8.90 બિલિયન અથવા રૂ. 80,607 કરોડથી વધુ (ભારત મેક્સિકોમાં નિકાસ) હતી, જ્યારે મેક્સિકોથી આયાત 2.9 બિલિયન હતી. તેથી, જો 1 જાન્યુઆરીથી ઊંચા ટેરિફ લાગુ કરવામાં આવે છે, તો આ નિકાસ પર નોંધપાત્ર અસર પડી શકે છે. આ જ કારણ છે કે, ચાલી રહેલી વાટાઘાટો છતાં, ભારતે આ જાહેરાતના એકપક્ષીય સ્વભાવ પર ચિંતા વ્યક્ત કરી છે. અધિકારીએ જણાવ્યું હતું કે પૂર્વ સલાહ લીધા વિના મોસ્ટ ફેવર્ડ નેશન (MFN) ટેરિફમાં વધારો કરવો એ સહકારી આર્થિક જોડાણની ભાવના અને બહુપક્ષીય વેપાર પ્રણાલીના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે.

મેક્સિકોએ ટેરિફ કેમ લાદ્યો?

મેક્સિકો દ્વારા આ ટેરિફ વધારાનો હેતુ અંગે, આ પગલાનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા અને વેપાર અસંતુલનને ઘટાડવાનો હોવાનું જણાવાયું છે. જો કે, આ પગલા હેઠળ, મેક્સિકો આશરે 1,463 માલ પર આશરે 5% થી 50% સુધીની આયાત ડ્યુટી લાદશે. જો કે, અસરગ્રસ્ત માલની સત્તાવાર યાદી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

આ પણ વાંચો: Palanpur: સર્વ ધર્મના લોકોએ બાળકને બચાવવા રક્તદાન કર્યું

Tags :
Advertisement

.

×